WatchGujarat. માર્ચ 2020 માં કોરોનાના શરૂઆતના સમયમાં કડક પગલા લેવામાં આવ્યા હતા. હવે એક વર્ષ બાદ પણ સ્થિતીમાં કોઇ ખાસ ફર્ક આવ્યો નથી. માર્ચ, 2020 માં કોરોના અટકાવવા માટે લીધેલા પગલાનું પુનરાવર્તન કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને સુરતમાં રાત્રી કર્ફ્યુનો સમય બદલવામાં આવ્યો છે. હવે વડોદરામાં પણ કર્ફ્યુનો સમય વધારીને રાત્રે 9 થી સવારે 6 સુધી કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં ચુંટણી પતી ગયા બાદ કોરોના પોઝીટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને તંત્ર હવે એક્શનમાં આવ્યું છે. અને તમામ પ્રકારના અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં રાત્રી કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે વડોદરામાં પણ રાત્રી કર્ફયુનો સમય વધારવામાં આવ્યો છે. હવે રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. અને શનિવાર અને રવિવારના રોજ તમામ મોલ - મલ્ટીપ્લેક્ષ બંધ રાખવાનો નિર્ણય ઓ.એસ.ડી ડો. વિનોદ રાવ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોના કામ વગર બહાર નહિ નિકળવાની અપીલ પણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ડો. વિનોદ રાવને ઓ.ઓસ.ડી તરીકે મુકવામાં આવ્યા છે. અને શહેરમાં કોરોના કેસોમાં વધારો થતા હાલ ડો. વિનોદ રાવ વડોદરામાં છે. ડો. વિનોદ રાવે તાજેતરમાં વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. અને શનિવાર – રવિવાર માં દુકાનો ચાલુ રાખવી કે નહિ અથવાતો ચાલુ રાખવી તો કેટલા સમય સુધી ચાલુ રાખવી તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. જો કે, વેપારીઓના હિતમાં અગ્રણીઓએ દુકાનો સદંતર બંધ રાખવાના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો.
WatchGujarat. માર્ચ 2020 માં કોરોનાના શરૂઆતના સમયમાં કડક પગલા લેવામાં આવ્યા હતા. હવે એક વર્ષ બાદ પણ સ્થિતીમાં કોઇ ખાસ ફર્ક આવ્યો નથી. માર્ચ, 2020 માં કોરોના અટકાવવા માટે લીધેલા પગલાનું પુનરાવર્તન કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને સુરતમાં રાત્રી કર્ફ્યુનો સમય બદલવામાં આવ્યો છે. હવે વડોદરામાં પણ કર્ફ્યુનો સમય વધારીને રાત્રે 9 થી સવારે 6 સુધી કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં ચુંટણી પતી ગયા બાદ કોરોના પોઝીટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને તંત્ર હવે એક્શનમાં આવ્યું છે. અને તમામ પ્રકારના અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં રાત્રી કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે વડોદરામાં પણ રાત્રી કર્ફયુનો સમય વધારવામાં આવ્યો છે. હવે રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. અને શનિવાર અને રવિવારના રોજ તમામ મોલ - મલ્ટીપ્લેક્ષ બંધ રાખવાનો નિર્ણય ઓ.એસ.ડી ડો. વિનોદ રાવ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોના કામ વગર બહાર નહિ નિકળવાની અપીલ પણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ડો. વિનોદ રાવને ઓ.ઓસ.ડી તરીકે મુકવામાં આવ્યા છે. અને શહેરમાં કોરોના કેસોમાં વધારો થતા હાલ ડો. વિનોદ રાવ વડોદરામાં છે. ડો. વિનોદ રાવે તાજેતરમાં વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. અને શનિવાર – રવિવાર માં દુકાનો ચાલુ રાખવી કે નહિ અથવાતો ચાલુ રાખવી તો કેટલા સમય સુધી ચાલુ રાખવી તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. જો કે, વેપારીઓના હિતમાં અગ્રણીઓએ દુકાનો સદંતર બંધ રાખવાના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો.