રૂ. 14 હજાર કરોડના મસમોટા બેંક કૌભાંડમાં સંડોવાયેલા ચેનત સાંડેસરા, નિતિન સાંડેસરા, દિપ્તી સાંડેસરાને આખરે ભાગેડુ જાહેર કરાયા
સોમવારે દિલ્હીની કોર્ટમાં સુનવણી દરમિયાન ચેતન સાંડેસરા, નિતિન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાને ભાગેડુ જાહેર કરવાનો ચુકાદો આપ્યો
Fugitive Economic Offenders Act અંતર્ગત અગાઉ નિરવ મોદી અને વિજય માલ્યા જેવા કૌભાંડીઓને ભાગેડુ જાહેર કરાયા
ભાગેડુ જાહેર કર્યા બાદ તમામ સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટીસ ઇશ્યુ થવાની પ્રબળ શક્યતા
વડોદરા. શહેરની એક સમયે જાણીતી સ્ટર્લિંગ બાયોટેક લી. ના પ્રોમોટર 14 હજાર કરોડના બેંક લોન સંડોવાયેલા હતા. છેલ્લા કેટલાય સમયથી તપાસ સંસ્થાની પકડથી દુર સાંડેસરા બંધુઓને દિલ્હીની કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. સ્ટર્લિંગ જુથના ચેનત સાંડેસરા, નિતિન સાંડેસરા, દિપ્તી સાંડેસરાની લાંબા સમયથી કોઇ ભાળ મળી શકી નથી.
રૂ. 14 હજાર કરોડના બેંક લોન કૌભાંડમાં સ્ટર્લિંગ જુથના ચેતન સાંડેસરા, નિતિન સાંડેસરા અને દિપ્તી સાંડેસરા સામે દેશની અગ્રણી સંસ્થાઓ તપાસ કરી રહી છે. સાંડેસરા બંધુઓ સામે ઇડી, સીબીઆઇ, દ્વારા કાર્યવાહી શરૂ કર્યા બાદથી લઇને તેઓ ફરાર બન્યા છે. સમગ્ર મામલે સોમવારે દિલ્હીની કોર્ટમાં સુનવણી દરમિયાન ચેતન સાંડેસરા, નિતિન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાને ભાગેડુ જાહેર કરવાનો ચુકાદો આપ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી કૌભાંડીઓને ભાગેડુ જાહેર કરવાની માંગ ઉઠી હતી.
જુન-2019 માં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) દ્વારા બેંક લોન કૌભાંડી સાંડેસરા બંધુઓની નાઇજીરીયા સ્થિત રૂ. 9,778 કરોડની સ્થાવર અને જંગમ મિલ્કતને ટાંચમાં લીધી હતી. ખાસ કરીને નાઇજીરીયમાંથી કૌભાંડીઓની ક્રુડ ઓઇલના પરિવહન સાથે સંકળાયેલી શીપ તથા લંડન સ્થિત લક્ઝુરીયસ ફ્લેટ અને ગલ્ફ સ્ટ્રીમ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
સોમવારે ચેતન સાંડેસરા, નિતિન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાને ભાગેડુ જાહેર કર્યા હતા. હવે તેમની સામે વિદેશી સંપત્તિને ટાંચમાં લેવા સહિતની કાર્યવાહી વધુ તેજ થશે. ભાગેડુ જાહેર કર્યા બાદ તમામ સામે રેડ કોર્નર નોટીસ ઇશ્યુ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
Fugitive Economic Offenders Act અંતર્ગત રૂ. 100 કરોડથી વધારેના કૌભાંડ સાથે સંકળાયેલા અપરાધીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ એક્ટ અંતર્ગત અગાઉ નિરવ મોદી અને વિજય માલ્યા જેવા કૌભાંડીઓને ભાગેડુ જાહેર કરાઇ ચુક્યા છે.
સોમવારે દિલ્હીની કોર્ટમાં સુનવણી દરમિયાન ચેતન સાંડેસરા, નિતિન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાને ભાગેડુ જાહેર કરવાનો ચુકાદો આપ્યો
Fugitive Economic Offenders Act અંતર્ગત અગાઉ નિરવ મોદી અને વિજય માલ્યા જેવા કૌભાંડીઓને ભાગેડુ જાહેર કરાયા
ભાગેડુ જાહેર કર્યા બાદ તમામ સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટીસ ઇશ્યુ થવાની પ્રબળ શક્યતા
વડોદરા. શહેરની એક સમયે જાણીતી સ્ટર્લિંગ બાયોટેક લી. ના પ્રોમોટર 14 હજાર કરોડના બેંક લોન સંડોવાયેલા હતા. છેલ્લા કેટલાય સમયથી તપાસ સંસ્થાની પકડથી દુર સાંડેસરા બંધુઓને દિલ્હીની કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. સ્ટર્લિંગ જુથના ચેનત સાંડેસરા, નિતિન સાંડેસરા, દિપ્તી સાંડેસરાની લાંબા સમયથી કોઇ ભાળ મળી શકી નથી.
રૂ. 14 હજાર કરોડના બેંક લોન કૌભાંડમાં સ્ટર્લિંગ જુથના ચેતન સાંડેસરા, નિતિન સાંડેસરા અને દિપ્તી સાંડેસરા સામે દેશની અગ્રણી સંસ્થાઓ તપાસ કરી રહી છે. સાંડેસરા બંધુઓ સામે ઇડી, સીબીઆઇ, દ્વારા કાર્યવાહી શરૂ કર્યા બાદથી લઇને તેઓ ફરાર બન્યા છે. સમગ્ર મામલે સોમવારે દિલ્હીની કોર્ટમાં સુનવણી દરમિયાન ચેતન સાંડેસરા, નિતિન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાને ભાગેડુ જાહેર કરવાનો ચુકાદો આપ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી કૌભાંડીઓને ભાગેડુ જાહેર કરવાની માંગ ઉઠી હતી.
જુન-2019 માં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) દ્વારા બેંક લોન કૌભાંડી સાંડેસરા બંધુઓની નાઇજીરીયા સ્થિત રૂ. 9,778 કરોડની સ્થાવર અને જંગમ મિલ્કતને ટાંચમાં લીધી હતી. ખાસ કરીને નાઇજીરીયમાંથી કૌભાંડીઓની ક્રુડ ઓઇલના પરિવહન સાથે સંકળાયેલી શીપ તથા લંડન સ્થિત લક્ઝુરીયસ ફ્લેટ અને ગલ્ફ સ્ટ્રીમ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
સોમવારે ચેતન સાંડેસરા, નિતિન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાને ભાગેડુ જાહેર કર્યા હતા. હવે તેમની સામે વિદેશી સંપત્તિને ટાંચમાં લેવા સહિતની કાર્યવાહી વધુ તેજ થશે. ભાગેડુ જાહેર કર્યા બાદ તમામ સામે રેડ કોર્નર નોટીસ ઇશ્યુ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
Fugitive Economic Offenders Act અંતર્ગત રૂ. 100 કરોડથી વધારેના કૌભાંડ સાથે સંકળાયેલા અપરાધીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ એક્ટ અંતર્ગત અગાઉ નિરવ મોદી અને વિજય માલ્યા જેવા કૌભાંડીઓને ભાગેડુ જાહેર કરાઇ ચુક્યા છે.