સ્થાનિક યુવાનોએ મગરના જડબામાં લાકડીઓ મારીને આધેડને નદીમાંથી બહાર કાઢ્યા
યુવાનોએ મગરના જડબામાં લાકડીના ફટકા મારીને આધેડને છોડાવ્યા, પણ બચી ન શક્યા
મગરે આધેડનો ડાબો હાથ કરડી ખાધો અને શરીરના વિવિધ ભાગોમાં બચકાં ભરતા મોત થયું
યુવાનો મૃતદેહને હોડીમાં મૂકીને ફૂલવાડી લઇ આવ્યા
ફૂલવાડી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં ચારથી પાંચ જેટલા મહાકાય મગરો છે
નદીમાંથી 5 મહાકાય મગરને રેસ્ક્યૂ કરવા માંગ ઉઠી
વડોદરા. ડભોઇ તાલુકાના ચાંદોદ પાસેના ગામડી-ફૂલવાડી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં ન્હાવા પડેલા આધેડ ઉપર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો. જોકે મગરે કરેલા જીવેલણ હુમલામાં આધેડનું મોત નીપજ્યું હતું.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાંદોદ પાસેના ગામડી-ફૂલવાડી ગામના રહેવાસી કાંતિભાઇ વાલજીભાઇ વસાવા ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં મોડી સાંજે ન્હાવા માટે ગયા હતા. દરમિયાન એકાએક ધસી આવેલા મગરે આધેડ કાંતિભાઇ ઉપર હુમલો કર્યો હતો. મગરે કરેલા હુમલામાં આધેડનો ડાબો હાથ જડબામાં આવી ગયો હતો. મગરના જડબામાં આવી ગેયાલ હાથને છોડાવવા માટે કાંતીભાઈએ ભારે ધમપછાડા કર્યા હતા. પરંતુ, તેઓ પોતાનો હાથ છોડાવી શક્યા ન હતા. અને મગર આધેડને નદીની સામે આવેલા ભાલોદરા ગામના કિનારા સુધી ખેંચી ગયો હતો.
https://youtu.be/yCMcTzEVQmI
દરમ્યાન આ બનાવની જાણ ગામના લોકોને થતાં યુવાનો નદી કિનારે દોડી આવ્યા હતા. કિનારાની આસપાસ કાંતિભાઇ જણાઇ આવ્યા ન હતા. તપાસ કરતા મગર આધેડને સામે આવેલા ભાલોદરા ગામના કિનારે લઇ ગયા હોવાની જાણ થતાં યુવાનો હોડીમાં ભાલોદરા ગામના કિનારે પહોંચી ગયા હતા. અને મગરના જડબામાં લાકડીના ફટકા મારીને મગરના મોંઢામાં ફસાયેલા આધેડ કાંતિભાઇને છોડાવ્યા હતા. જોકે, મગર દ્વારા આધેડનો એક આખો ડાબો હાથ કરડી ખાતા અને શરીરના વિવિધ ભાગોમાં બચકાં ભરતા મોત નીપજ્યું હતું.
મગરના હુમલાથી મોતને ભેટેલા આધેડ કાંતિભાઇ વસાવાના મૃતદેહ હોડીમાં મૂકીને ગામના યુવાનો ફૂલવાડી લઇ આવ્યા હતા. આ સાથે આ બનાવની જાણ ચાંદોદ પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. બુધવારે મોડી સાંજે બનેલા આ બનાવથી ગામમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
ગામના યુવાનોએ માંગણી કરી હતી કે, ફૂલવાડી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં ચારથી પાંચ જેટલા મહાકાય મગરો છે અને મગરો દ્વારા ગામ લોકો ઉપર હુમલો કરવામાં આવે છે. આ સાથે આ મગરો દ્વારા પાણી પીવા માટે જતા પશુઓ ઉપર પણ હુમલા કરવામાં આવે છે. આથી આ મગરોને વન વિભાગ દ્વારા પકડીને અન્ય સ્થળે છોડવા લાગણી વ્યક્ત કરી હતી.
- સ્થાનિક યુવાનોએ મગરના જડબામાં લાકડીઓ મારીને આધેડને નદીમાંથી બહાર કાઢ્યા
- યુવાનોએ મગરના જડબામાં લાકડીના ફટકા મારીને આધેડને છોડાવ્યા, પણ બચી ન શક્યા
- મગરે આધેડનો ડાબો હાથ કરડી ખાધો અને શરીરના વિવિધ ભાગોમાં બચકાં ભરતા મોત થયું
- યુવાનો મૃતદેહને હોડીમાં મૂકીને ફૂલવાડી લઇ આવ્યા
- ફૂલવાડી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં ચારથી પાંચ જેટલા મહાકાય મગરો છે
- નદીમાંથી 5 મહાકાય મગરને રેસ્ક્યૂ કરવા માંગ ઉઠી
વડોદરા. ડભોઇ તાલુકાના ચાંદોદ પાસેના ગામડી-ફૂલવાડી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં ન્હાવા પડેલા આધેડ ઉપર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો. જોકે મગરે કરેલા જીવેલણ હુમલામાં આધેડનું મોત નીપજ્યું હતું.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાંદોદ પાસેના ગામડી-ફૂલવાડી ગામના રહેવાસી કાંતિભાઇ વાલજીભાઇ વસાવા ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં મોડી સાંજે ન્હાવા માટે ગયા હતા. દરમિયાન એકાએક ધસી આવેલા મગરે આધેડ કાંતિભાઇ ઉપર હુમલો કર્યો હતો. મગરે કરેલા હુમલામાં આધેડનો ડાબો હાથ જડબામાં આવી ગયો હતો. મગરના જડબામાં આવી ગેયાલ હાથને છોડાવવા માટે કાંતીભાઈએ ભારે ધમપછાડા કર્યા હતા. પરંતુ, તેઓ પોતાનો હાથ છોડાવી શક્યા ન હતા. અને મગર આધેડને નદીની સામે આવેલા ભાલોદરા ગામના કિનારા સુધી ખેંચી ગયો હતો.
દરમ્યાન આ બનાવની જાણ ગામના લોકોને થતાં યુવાનો નદી કિનારે દોડી આવ્યા હતા. કિનારાની આસપાસ કાંતિભાઇ જણાઇ આવ્યા ન હતા. તપાસ કરતા મગર આધેડને સામે આવેલા ભાલોદરા ગામના કિનારે લઇ ગયા હોવાની જાણ થતાં યુવાનો હોડીમાં ભાલોદરા ગામના કિનારે પહોંચી ગયા હતા. અને મગરના જડબામાં લાકડીના ફટકા મારીને મગરના મોંઢામાં ફસાયેલા આધેડ કાંતિભાઇને છોડાવ્યા હતા. જોકે, મગર દ્વારા આધેડનો એક આખો ડાબો હાથ કરડી ખાતા અને શરીરના વિવિધ ભાગોમાં બચકાં ભરતા મોત નીપજ્યું હતું.
મગરના હુમલાથી મોતને ભેટેલા આધેડ કાંતિભાઇ વસાવાના મૃતદેહ હોડીમાં મૂકીને ગામના યુવાનો ફૂલવાડી લઇ આવ્યા હતા. આ સાથે આ બનાવની જાણ ચાંદોદ પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. બુધવારે મોડી સાંજે બનેલા આ બનાવથી ગામમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
ગામના યુવાનોએ માંગણી કરી હતી કે, ફૂલવાડી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં ચારથી પાંચ જેટલા મહાકાય મગરો છે અને મગરો દ્વારા ગામ લોકો ઉપર હુમલો કરવામાં આવે છે. આ સાથે આ મગરો દ્વારા પાણી પીવા માટે જતા પશુઓ ઉપર પણ હુમલા કરવામાં આવે છે. આથી આ મગરોને વન વિભાગ દ્વારા પકડીને અન્ય સ્થળે છોડવા લાગણી વ્યક્ત કરી હતી.