દર સોમવારે સમારકામ અને જાળવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર બંધ રહે છે
પ્રવાસીઓની લાગણી અને માંગણી ધ્યાને લઇ નિર્ણય
30 માર્ચે તમામ સ્થળો બંધ રહેશે
[caption id="attachment_5258" align="aligncenter" width="1280"] WatchGujarat. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રંગોની હોળી ખેલવા ઉત્સુક પ્રવાસીઓની લાગણી અને માંગણી ને ધ્યાને લઇ 2.5 વર્ષમાં પેહલી વાર સોમવારે ધુળેટી એ SOU ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના બદલે મંગળવારે તમામ સ્થળો બંધ રહેશે. SOU સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પર્યટન સ્થળો એ 29 માર્ચ સોમવાર ધુળેટી પર્વે પ્રવાસીઓને પ્રવેશ અપાશે. જ્યારે 30 માર્ચ મંગળવારનાં રોજ તમામ સ્થળોએ રજા રહેશે.[/caption]
આગામી સોમવારનાં રોજ ધુળેટી પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને મુખ્ય વહીવટદાર કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો છે. SOU ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.
ધુળેટી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે છે. તેનાં બદલે 30 માર્ચ નાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય સ્થળોએ જાહેર રજા રહેશે. કોઇ પણ પ્રકારની પૂછપરછ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 6600 પર સવારે 8 થી સાંજનાં 6 દરમ્યાન (સોમવાર સિવાય) સંપર્ક કરી શકાશે તેમ જણાવાયું છે.
ઓનલાઇન ટિકીટ બુક કરાવવા માટે www.soutickets.in અને એન્ડ્રોઇડ એપ્લીકેશન statue of unity tickets (official)નો ઉપયોગ કરીને પણ ટિકીટ બૂક કરાવી શકાશે, તેમ અધિક કલેકટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, કેવડીયા તરફથી જાહેરાત કરાઈ છે.
દર સોમવારે સમારકામ અને જાળવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર બંધ રહે છે
પ્રવાસીઓની લાગણી અને માંગણી ધ્યાને લઇ નિર્ણય
30 માર્ચે તમામ સ્થળો બંધ રહેશે
[caption id="attachment_5258" align="aligncenter" width="1280"] WatchGujarat. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રંગોની હોળી ખેલવા ઉત્સુક પ્રવાસીઓની લાગણી અને માંગણી ને ધ્યાને લઇ 2.5 વર્ષમાં પેહલી વાર સોમવારે ધુળેટી એ SOU ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના બદલે મંગળવારે તમામ સ્થળો બંધ રહેશે. SOU સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પર્યટન સ્થળો એ 29 માર્ચ સોમવાર ધુળેટી પર્વે પ્રવાસીઓને પ્રવેશ અપાશે. જ્યારે 30 માર્ચ મંગળવારનાં રોજ તમામ સ્થળોએ રજા રહેશે.[/caption]
આગામી સોમવારનાં રોજ ધુળેટી પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને મુખ્ય વહીવટદાર કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો છે. SOU ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.
ધુળેટી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે છે. તેનાં બદલે 30 માર્ચ નાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય સ્થળોએ જાહેર રજા રહેશે. કોઇ પણ પ્રકારની પૂછપરછ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 6600 પર સવારે 8 થી સાંજનાં 6 દરમ્યાન (સોમવાર સિવાય) સંપર્ક કરી શકાશે તેમ જણાવાયું છે.
ઓનલાઇન ટિકીટ બુક કરાવવા માટે www.soutickets.in અને એન્ડ્રોઇડ એપ્લીકેશન statue of unity tickets (official)નો ઉપયોગ કરીને પણ ટિકીટ બૂક કરાવી શકાશે, તેમ અધિક કલેકટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, કેવડીયા તરફથી જાહેરાત કરાઈ છે.