"એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે" : અંતિમ શબ્દો
લગ્ન બાદ પરિણીતાને પતિ સહિત સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા
તારે મરવું હોય તો મરી જા અને તેનો વિડીયો બનાવી મોકલી આપવા પતિએ કહ્યું
પરિણીતાએ પતિ સાથે ફોન પર વાત કર્યાબાદ પિતાની ખબર અંતર પૂછી રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું
ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે મૃતદેહને બહાર કાઢ્યો
WatchGujarat ''મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું" "એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે" જેવા હ્ર્દય શ્પર્શી શબ્દોની સાથે પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી વટવામાં રહેતી પરિણીતાએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. નદીમાં પડતુ મુકતા પહેલા પરિણીતાએ પતિને ફોન કર્યો અને પતિએ મરી જવાની વાત કરી હતી. જીવનનો અંત લાવતા પહેલા તેણીએ એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વટવામાં વિસ્તારમાં રહેતા 54 વર્ષીય પિતા સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે દીકરી અને બે દીકરા થઈ કુલ 4 સંતાન છે. જે પૈકી તેમની બંને દીકરીના લગ્ન થઇ ગયા છે. સૌથી નાની દીકરી આઇશા ખાન હતી. દીકરી આઇશાના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે થયા હતા. આઇશાએ MA સુધીનો અભ્યાસ કર્યો છે. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસુ-સસરા અને નણંદ મળી દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરી આઇશાને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે લઈ ગયા હતા. વર્ષ 2019 માં આઇશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં ફરી મૂકી ગયો હતો. વર્ષ 2020માં જમાઈ આરીફ આઇશાના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ જતો રહ્યો હતો.
https://youtu.be/7eitGFFK1Yc
વર્ષ 2020ના માર્ચ મહિનામાં આઇશા સાથે ઝઘડો કરી આરીફ ફરીથી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતા રહ્યો હતો. જેથી ઓગસ્ટ મહિનામાં આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. પિતાના ઘરે રહેતી આઇશાએ બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા નું પણ શરૂ કરી દીધું હતું. ગુરુવારે આઇશા નોકરી પર ગઈ હતી. ત્યરે બપોરે 4:30 વાગ્યે આઇશાએ પિતાને ફોન કરી તમે જમ્યા કે નહી તેમ ખબર અંતર પૂછ્યા હતા.
ખબર અંતર પૂછ્યાબાદ આઇશાએ પિતાને જણાવ્યું હતું કે મેં આરીફને ફોન કર્યો હતો. પિતાએ કેમ ફોન કર્યો શુ કહ્યું આરીફે તેમ પૂછ્યું હતું. ત્યારે આઇશાએ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી જેથી હું આપઘાત કરી લઈશ તેમ કહેતા આરીફે કહ્યું હતું કે, તારે મરવું હોય તો મરી જા અને વિડીયો બનાવી મને વિડીયો મોકલવા કહ્યું હતું. જેથી મેં વિડીયો બનાવી તેને મોકલી આપ્યો છે. અને હાલ હું રિવરફ્રન્ટ આવેલ છું. અને નદીમાં પડવા જાવ છું.
આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. થોડા સમય બાદ આઇશાના ફોન પરથી કોઈ અજાણી વ્યક્તિનો ફોન પિતા પર આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી એક બેગ અને ફોન મળી આવ્યો છે. જેથી આઇશાના માતા-પિતા અને બંને ભાઈ રિવરફ્રન્ટ પર દોડી આવ્યા હતા.ત્યારે ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં તપાસ કરી એક આઇશાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આઇશાના મૃતદેહને વીએસ હોસ્પિટલ પર ખસેડતા હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
આઇશાના અંતિમ ક્રિયા પૂર્ણ કર્યાબાદ પિતાએ આઇશાના મોબાઈલ ફોનની તપાસ કરતા તેણે એક વિડીયો બનાવી આરીફને મોકલી આપ્યો હતો તે મળી આવ્યો હતો. તેમજ બપોરે 12:30 વાગ્યે પતિ સાથે ફોન પર કરેલી વાતનો ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું. જેમાં આઇશા પતિ સાથે સારી રીતે રહેવા માંગતી હતી. પરંતુ પતિએ તેની સાથે ગુસ્સેથી વાત કરી મરવા જણાવ્યું હતું. ત્યારે આઇશાએ અંતિમ પગલું ભરી લીધું હતું. જેથી પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરી લીધો હોય તેવી ફરિયાદ પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવી હતી. પોલીસે આ મામલે વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ પૂરાવાના આધારે આઇશાના પતિ આરીફ બાબુખાન ગફુરજી (રહે,ઝાલોર સીટી, ઝાલોર, રાજસ્થાન) વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આઇશા હ્ર્દય શ્પર્શી વાત વિડીયોના સ્વરૂપમાં કહી ચાલી નીકળી
"હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું...ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે...ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.''ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે. અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.' 'એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફ કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે.ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું .મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.
"એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે" : અંતિમ શબ્દો
લગ્ન બાદ પરિણીતાને પતિ સહિત સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા
તારે મરવું હોય તો મરી જા અને તેનો વિડીયો બનાવી મોકલી આપવા પતિએ કહ્યું
પરિણીતાએ પતિ સાથે ફોન પર વાત કર્યાબાદ પિતાની ખબર અંતર પૂછી રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું
ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે મૃતદેહને બહાર કાઢ્યો
WatchGujarat ''મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું" "એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે" જેવા હ્ર્દય શ્પર્શી શબ્દોની સાથે પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી વટવામાં રહેતી પરિણીતાએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. નદીમાં પડતુ મુકતા પહેલા પરિણીતાએ પતિને ફોન કર્યો અને પતિએ મરી જવાની વાત કરી હતી. જીવનનો અંત લાવતા પહેલા તેણીએ એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વટવામાં વિસ્તારમાં રહેતા 54 વર્ષીય પિતા સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે દીકરી અને બે દીકરા થઈ કુલ 4 સંતાન છે. જે પૈકી તેમની બંને દીકરીના લગ્ન થઇ ગયા છે. સૌથી નાની દીકરી આઇશા ખાન હતી. દીકરી આઇશાના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે થયા હતા. આઇશાએ MA સુધીનો અભ્યાસ કર્યો છે. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસુ-સસરા અને નણંદ મળી દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરી આઇશાને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે લઈ ગયા હતા. વર્ષ 2019 માં આઇશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં ફરી મૂકી ગયો હતો. વર્ષ 2020માં જમાઈ આરીફ આઇશાના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ જતો રહ્યો હતો.
વર્ષ 2020ના માર્ચ મહિનામાં આઇશા સાથે ઝઘડો કરી આરીફ ફરીથી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતા રહ્યો હતો. જેથી ઓગસ્ટ મહિનામાં આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. પિતાના ઘરે રહેતી આઇશાએ બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા નું પણ શરૂ કરી દીધું હતું. ગુરુવારે આઇશા નોકરી પર ગઈ હતી. ત્યરે બપોરે 4:30 વાગ્યે આઇશાએ પિતાને ફોન કરી તમે જમ્યા કે નહી તેમ ખબર અંતર પૂછ્યા હતા.
ખબર અંતર પૂછ્યાબાદ આઇશાએ પિતાને જણાવ્યું હતું કે મેં આરીફને ફોન કર્યો હતો. પિતાએ કેમ ફોન કર્યો શુ કહ્યું આરીફે તેમ પૂછ્યું હતું. ત્યારે આઇશાએ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી જેથી હું આપઘાત કરી લઈશ તેમ કહેતા આરીફે કહ્યું હતું કે, તારે મરવું હોય તો મરી જા અને વિડીયો બનાવી મને વિડીયો મોકલવા કહ્યું હતું. જેથી મેં વિડીયો બનાવી તેને મોકલી આપ્યો છે. અને હાલ હું રિવરફ્રન્ટ આવેલ છું. અને નદીમાં પડવા જાવ છું.
આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. થોડા સમય બાદ આઇશાના ફોન પરથી કોઈ અજાણી વ્યક્તિનો ફોન પિતા પર આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી એક બેગ અને ફોન મળી આવ્યો છે. જેથી આઇશાના માતા-પિતા અને બંને ભાઈ રિવરફ્રન્ટ પર દોડી આવ્યા હતા.ત્યારે ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં તપાસ કરી એક આઇશાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આઇશાના મૃતદેહને વીએસ હોસ્પિટલ પર ખસેડતા હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
આઇશાના અંતિમ ક્રિયા પૂર્ણ કર્યાબાદ પિતાએ આઇશાના મોબાઈલ ફોનની તપાસ કરતા તેણે એક વિડીયો બનાવી આરીફને મોકલી આપ્યો હતો તે મળી આવ્યો હતો. તેમજ બપોરે 12:30 વાગ્યે પતિ સાથે ફોન પર કરેલી વાતનો ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું. જેમાં આઇશા પતિ સાથે સારી રીતે રહેવા માંગતી હતી. પરંતુ પતિએ તેની સાથે ગુસ્સેથી વાત કરી મરવા જણાવ્યું હતું. ત્યારે આઇશાએ અંતિમ પગલું ભરી લીધું હતું. જેથી પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરી લીધો હોય તેવી ફરિયાદ પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવી હતી. પોલીસે આ મામલે વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ પૂરાવાના આધારે આઇશાના પતિ આરીફ બાબુખાન ગફુરજી (રહે,ઝાલોર સીટી, ઝાલોર, રાજસ્થાન) વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.