6 દિવસમાં 29.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઘરે બેઠા ડિજિટલ દર્શન કર્યા
આજે ભાદરવા સુદ પૂર્ણિમા છે અને સામાન્ય રીતે આ દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાતો હોય છે
ભક્તો માટે ગુરૂવારથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે
દર વખતે ભાદરવી પૂનમના મહામેળા માટે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડતા હોય છે
આજે અંબાજી જતા માઈભક્તો માટે એક ખુશખબર સામે આવી રહ્યા છે. અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે તો બંધ કરી દેવામાં આવ્યા હતા. અંબાજી મંદિર દ્રસ્ટ દ્વારા અગાઉ મંદિરના કપાટ 4 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ નિર્ણયમાં થોડો ફેરફાર કરીને અંબાજી મંદિર 4 સપ્ટેમ્બર સુધી નહીં, પરંતુ 2 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે આજે મધ્યરાત્રિથી અંબાજી મંદિર રાબેતા મુજબ ખુલ્લું રહેશે. ભાઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂનમના અવસરે માતાજીના ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાદરવા સુદ પૂર્ણિમા બુધવારે છે અને સામાન્ય રીતે આ દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાતો હોય છે. પરંતુ કોરોના મહામારીને લઈ આ વખતે મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતાં જોકે હવે ભક્તો માટે ગુરૂવારથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.
ભાદરવી પૂનમના મેળા માટે ભાદરવા માસના પ્રારંભથી પદયાત્રીઓનું શક્તિપીઠ અંબાજી ખાતે આગમન શરૂ થઇ જતું હોય છે. . કોરોનામાં પ્રવર્તમાન સંજોગોને પગલે આ વખતે 24 ઓગસ્ટ સોમવારથી 2 સપ્ટેમ્બર એમ કુલ 10 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માઈભક્તોની લાગણી દુભાઇ નહી તેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરની હવન શાળામાં સહસ્ત્ર નવચંડી યજ્ઞ યોજાઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.
શ્રી આરાસુરી અંબાજી મંદિરે એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, દર્શનાર્થીઓ માટે 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. કોરોના વાયરસથી જનજીવનનું રક્ષણ થાય તેવા આશયથી ચાચર ચોકમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. મંગળવારે છઠ્ઠા દિવસે માતાજીના લલીતાસહસ્ત્રનું પઠન-અર્ચન-હોમ કરાયા હતા. ચંડીપાઠમાં બ્રાહ્મણો દ્વારા માતાજીના મંદિરમાં બેસી 1 હજારથી વધુ પાઠ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ યજ્ઞાની પ્રાપ્તિ થાય માટે આ પાઠનો હોમ આજે કરવામાં આવ્યો તેમજ આવતીકાલે પણ કરવામાં આવશે.
દર વખતે ભાદરવી પૂનમના મહામેળા માટે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડતા હોય છે. જોકે, ‘અનલોક-3’ની ગાઇડલાઇન પ્રમાણે 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ઈતિહાસમાં પ્રથમવાર યોજાયો નહોતો. પ્રવર્તમાન સંજોગોને પગલે અંબાજી મંદિરની સાથે પગપાળા સંઘો-સેવા કેમ્પો-શોભા યાત્રા સહિતની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગત રવિવારે શક્તિપીઠ અંબાજીના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે.
દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં 25તી 30 લાખ કરતાં વધુ ભક્તો મેળામાં આવે છે. ત્યારે 300 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર અંબાજીનો મેળો બંધ રહ્યો છે. બીજી બાજુ અમદાવાદથી કેટલાક પગપાળા સંઘોએ મર્યાદિત પદયાત્રીઓ સાથે ગત સપ્તાહે અંબાજીમાં ધજા ચઢાવીને વર્ષો પુરાણી પરંપરા જાળવી રાખી હતી. વિશ્વભરમાં વસતા મા અંબાના શ્રદ્ધાળુઓ માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબૂક, યુ ટયુબ, ટ્વીટર, લાઇવ સ્ટ્રીમિંગ સર્વરના ડિજિટલ પ્લેટફોર્મ પર 27 ઓગસ્ટથી જીવંત પ્રસારણ કરાઇ રહ્યું છે. આ 6 દિવસમાં 29.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઘરે બેઠા ડિજિટલ દર્શન કર્યા છે.
- 6 દિવસમાં 29.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઘરે બેઠા ડિજિટલ દર્શન કર્યા
- આજે ભાદરવા સુદ પૂર્ણિમા છે અને સામાન્ય રીતે આ દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાતો હોય છે
- ભક્તો માટે ગુરૂવારથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે
- દર વખતે ભાદરવી પૂનમના મહામેળા માટે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડતા હોય છે
આજે અંબાજી જતા માઈભક્તો માટે એક ખુશખબર સામે આવી રહ્યા છે. અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે તો બંધ કરી દેવામાં આવ્યા હતા. અંબાજી મંદિર દ્રસ્ટ દ્વારા અગાઉ મંદિરના કપાટ 4 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ નિર્ણયમાં થોડો ફેરફાર કરીને અંબાજી મંદિર 4 સપ્ટેમ્બર સુધી નહીં, પરંતુ 2 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે આજે મધ્યરાત્રિથી અંબાજી મંદિર રાબેતા મુજબ ખુલ્લું રહેશે. ભાઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂનમના અવસરે માતાજીના ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાદરવા સુદ પૂર્ણિમા બુધવારે છે અને સામાન્ય રીતે આ દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાતો હોય છે. પરંતુ કોરોના મહામારીને લઈ આ વખતે મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતાં જોકે હવે ભક્તો માટે ગુરૂવારથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.
ભાદરવી પૂનમના મેળા માટે ભાદરવા માસના પ્રારંભથી પદયાત્રીઓનું શક્તિપીઠ અંબાજી ખાતે આગમન શરૂ થઇ જતું હોય છે. . કોરોનામાં પ્રવર્તમાન સંજોગોને પગલે આ વખતે 24 ઓગસ્ટ સોમવારથી 2 સપ્ટેમ્બર એમ કુલ 10 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માઈભક્તોની લાગણી દુભાઇ નહી તેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરની હવન શાળામાં સહસ્ત્ર નવચંડી યજ્ઞ યોજાઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.
શ્રી આરાસુરી અંબાજી મંદિરે એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, દર્શનાર્થીઓ માટે 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. કોરોના વાયરસથી જનજીવનનું રક્ષણ થાય તેવા આશયથી ચાચર ચોકમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. મંગળવારે છઠ્ઠા દિવસે માતાજીના લલીતાસહસ્ત્રનું પઠન-અર્ચન-હોમ કરાયા હતા. ચંડીપાઠમાં બ્રાહ્મણો દ્વારા માતાજીના મંદિરમાં બેસી 1 હજારથી વધુ પાઠ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ યજ્ઞાની પ્રાપ્તિ થાય માટે આ પાઠનો હોમ આજે કરવામાં આવ્યો તેમજ આવતીકાલે પણ કરવામાં આવશે.
દર વખતે ભાદરવી પૂનમના મહામેળા માટે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડતા હોય છે. જોકે, ‘અનલોક-3’ની ગાઇડલાઇન પ્રમાણે 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ઈતિહાસમાં પ્રથમવાર યોજાયો નહોતો. પ્રવર્તમાન સંજોગોને પગલે અંબાજી મંદિરની સાથે પગપાળા સંઘો-સેવા કેમ્પો-શોભા યાત્રા સહિતની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગત રવિવારે શક્તિપીઠ અંબાજીના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે.
દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં 25તી 30 લાખ કરતાં વધુ ભક્તો મેળામાં આવે છે. ત્યારે 300 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર અંબાજીનો મેળો બંધ રહ્યો છે. બીજી બાજુ અમદાવાદથી કેટલાક પગપાળા સંઘોએ મર્યાદિત પદયાત્રીઓ સાથે ગત સપ્તાહે અંબાજીમાં ધજા ચઢાવીને વર્ષો પુરાણી પરંપરા જાળવી રાખી હતી. વિશ્વભરમાં વસતા મા અંબાના શ્રદ્ધાળુઓ માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબૂક, યુ ટયુબ, ટ્વીટર, લાઇવ સ્ટ્રીમિંગ સર્વરના ડિજિટલ પ્લેટફોર્મ પર 27 ઓગસ્ટથી જીવંત પ્રસારણ કરાઇ રહ્યું છે. આ 6 દિવસમાં 29.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઘરે બેઠા ડિજિટલ દર્શન કર્યા છે.