ગઈકાલ રાતથી અમદાવાદના દર્દીઓને 108 મારફતે કરમસદ સ્થિત કોવિડ ડેઝિગ્નેટેડ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાઈ રહ્યાં છે.
સારવાર માટે અમદાવાદથી કરમસદ ખસેડવામાં આવતાં કોરોના દર્દીઓને ભારે હાલાકી.
બહારના દર્દીઓ આવતાં આણંદની કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલત પણ કફોડી.
WatchGujarat. દિવાળીના તહેવારમાં પ્રજાજનોએ કાળજી ના રાખતાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો હોવાનું સરકારના ધ્યાનમાં આવતાં, “સંવેદનશીલ” સરકારે પહેલાં અમદાવાદમાં તાત્કાલિક અસરથી કર્ફ્યુ લગાવી દેવાનું ફરમાન કર્યું હતું. અને ગઈકાલે નાયબ મુખ્યમંત્રીએ રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય જાહેર કરવા માટે યોજેલી પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, અમદાવાદમાં કોવિડ-19ના દર્દીઓ માટે પુરતી સુવિધા અને પથારીઓની વ્યવસ્થા છે. જોકે, ગઈકાલે રાતથી જ અમદાવાદના કોરોના પોઝિટીવ દર્દીઓને આણંદ પાસેના કરમસદ સ્થિત કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોવાની વિગતો, નાયબ મુખ્યમંત્રીના દાવાને પોકળ સાબિત કરી રહી છે.
https://youtu.be/5prCdNOjIoQ
ગત રોજ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે સિવીલ તેમજ સોલા હોસ્પિટલમાં 1200 ઉપરાંત પથારીઓની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તથા અન્ય હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, શુક્રવાર રાતથી અમદાવાદના કોરોના સંક્રમિત દર્દીઓની સ્થાનિક સ્થળે સારવાર આપવાને બદલે 77 કી.મી દુર આણંદ ખાતે ખસેડવામાં આવી રહ્યાં છે. આ મામલે દર્દીઓના સગાએ જણાવ્યું છે કે, નિતીનભાઇ પટેલે કહ્યું હતુ કે, અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે પુરતી પથારીઓ છે. તો પછી અમદાવાદમાં સારવાર આપવાને બદલે દર્દીઓને 108 મારફતે આણંદ કેમ ખસેડવામાં આવી રહ્યાં છે. અમદાવાદથી 77 કી.મી દુર આણંદના કરમસદ ખાતે આવેલી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ગત રાતથી અત્યાર સુધીમાં અંદાજીત 50 જેટલા કોરોના દર્દીઓને સારવાર અર્થે લવાયા હોવાનુ જાણવા મળી રહ્યું છે. ઘરથી દુર દાખલ દર્દીઓને ખૂબ હાલાકી ભોગવવી પડી રહીં છે. જ્યારે હોસ્પિટલમાં અગાઉથી દાખલ દર્દીઓની હાલત પણ કફોડી બની હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ગઈકાલ રાતથી અમદાવાદના દર્દીઓને 108 મારફતે કરમસદ સ્થિત કોવિડ ડેઝિગ્નેટેડ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાઈ રહ્યાં છે.
સારવાર માટે અમદાવાદથી કરમસદ ખસેડવામાં આવતાં કોરોના દર્દીઓને ભારે હાલાકી.
WatchGujarat. દિવાળીના તહેવારમાં પ્રજાજનોએ કાળજી ના રાખતાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો હોવાનું સરકારના ધ્યાનમાં આવતાં, “સંવેદનશીલ” સરકારે પહેલાં અમદાવાદમાં તાત્કાલિક અસરથી કર્ફ્યુ લગાવી દેવાનું ફરમાન કર્યું હતું. અને ગઈકાલે નાયબ મુખ્યમંત્રીએ રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય જાહેર કરવા માટે યોજેલી પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, અમદાવાદમાં કોવિડ-19ના દર્દીઓ માટે પુરતી સુવિધા અને પથારીઓની વ્યવસ્થા છે. જોકે, ગઈકાલે રાતથી જ અમદાવાદના કોરોના પોઝિટીવ દર્દીઓને આણંદ પાસેના કરમસદ સ્થિત કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોવાની વિગતો, નાયબ મુખ્યમંત્રીના દાવાને પોકળ સાબિત કરી રહી છે.
ગત રોજ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે સિવીલ તેમજ સોલા હોસ્પિટલમાં 1200 ઉપરાંત પથારીઓની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તથા અન્ય હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, શુક્રવાર રાતથી અમદાવાદના કોરોના સંક્રમિત દર્દીઓની સ્થાનિક સ્થળે સારવાર આપવાને બદલે 77 કી.મી દુર આણંદ ખાતે ખસેડવામાં આવી રહ્યાં છે. આ મામલે દર્દીઓના સગાએ જણાવ્યું છે કે, નિતીનભાઇ પટેલે કહ્યું હતુ કે, અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે પુરતી પથારીઓ છે. તો પછી અમદાવાદમાં સારવાર આપવાને બદલે દર્દીઓને 108 મારફતે આણંદ કેમ ખસેડવામાં આવી રહ્યાં છે. અમદાવાદથી 77 કી.મી દુર આણંદના કરમસદ ખાતે આવેલી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ગત રાતથી અત્યાર સુધીમાં અંદાજીત 50 જેટલા કોરોના દર્દીઓને સારવાર અર્થે લવાયા હોવાનુ જાણવા મળી રહ્યું છે. ઘરથી દુર દાખલ દર્દીઓને ખૂબ હાલાકી ભોગવવી પડી રહીં છે. જ્યારે હોસ્પિટલમાં અગાઉથી દાખલ દર્દીઓની હાલત પણ કફોડી બની હોવાનુ જાણવા મળી રહ્યું છે.