રશ્મિ કટારીયા ચાર વર્ષથી LIVE IN RELATIONSHIPમાં ચિરાગ પટેલ સાથે રહેતી હતી.
રશ્મિ ગર્ભવતિ હતી અને તેના ત્રણ વર્ષના બાળક સાથે ભાડાના મકાનમાં રહેતી હતી.
રશ્મિનુ ગળુ દબાવી હત્યા કરી હોવાની ચિરાગે પોલીસ સમક્ષ કબુલાત કરી
ખેતરમાં ખાડો ખોદી લાશને દાટી દેવી કોઇ એક વ્યક્તિનુ કામ નથી, બનાવમાં અન્ય લોકોના પણ સંડોવણી હોવાની આશંકા
ચિરાગે રશ્મિની હત્યા કરી લાશને પહેલા સસરાના ખેતરમાં દાટી દીધી હતી.
WatchGujarat. બારડોલીના બાબેન ગામે રહેતી 28 વર્ષીય યુવતિ છેલ્લા ચાર વર્ષથી પોતાના 3 વર્ષના બાળક સાથે પ્રેમી જોડે ભાડાના મકાનમાં રહેતી હતી. પ્રેમીએ ગર્ભવતિ 28 વર્ષીય યુવતિની હત્યા કરી લાશને પહેલી પત્નીના પિતા (સસરા)ના ખેતરમાં દાટી દીધી હતી. જોકે યુવતિના પિતા બારડોલી પોલીસ સ્ટેશને પહોંચતા ચકચારી હત્યાનો ભેદ ખુલ્યો હતો.
બારડોલીના બાબેન ગામે આવેલા લકઝૂરીયસ એપાર્ટમેન્ટમાં ભાડે મકાન રાખી પોતાના 3 વર્ષના પુત્ર સાથે રહેતી રશ્મિ કટારીયાની તેના પ્રેમી ચિરાગ પટેલે કરપીણ હત્યા કરી હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. રશ્મિ ગર્ભવતિ હતી અને છેલ્લા ચાર વર્ષથી ચિરાગ સાથે પ્રેમસંબંધમાં તેની સાથે જ રહેતી હતી. ચિરાગ પટેલ પરણીત હોવા છતાં ભાડાના ફ્લેટમાં રશ્મિ સાથે LIVE IN RELATIONSHIP માં રહેતો હતો. જ્યાં તેણે રશ્મિની હત્યા કરી લાશને પહેલી પત્નીના પિતા એટલે કે સસરાના ખેતરમાં દાટી દીધી હોવાની પોલીસ કમક્ષ કબૂલાત કરી હતી.
આ મામલે મૃતક રશ્મિ પટેલના પિતા જ્યંતિભાઇ વનમાળીભાઇ કટારીયાએ બારડોલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેમની નાની દિકરી રશ્મિને ગામના ચિરાગ સુરેશભાઇ પટેલ સાથે પ્રેમસંબંધ હોવાથી તે 4 વર્ષથી તેની સાથે જ રહેતી હતી. ચિરાગ રશ્મિને બીજી પત્ની તરીકે રાખતો અને બાબેન ગામમાં આવેલા લકઝૂરીયસ ફ્લેટમાં 3 વર્ષના પુત્ર સાથે રહેતી રશ્મિ ગર્ભવતિ પણ હતી.
દિવાળી હોવાથી મળવા માટે પિતા જ્યંતિભાઇએ રશ્મિને ફોન કર્યો હતો. જોકે ફોન ચિરાગે ઉપાડી કહ્યું કે, રશ્મિ ટોયલેટમાં ગઇ છે. થોડા સમય બાદ જ્યંતિભાઇએ ફરી રશ્મિનો ફોન પર સંપર્ક કર્યો ત્યારે ચિરાગે કહ્યું કે, રશ્મિ ફરવા બહાર ગઇ છે. તમારે શું કામ છે, કહીં ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ ગત તા. 17મીના રોજ જ્યંતિભાઇ રશ્મિને મળવા માટે ઘરે પહોચ્યાં હતા. જ્યાં રશ્મિનો ત્રણ વર્ષનો પુત્ર કામવાળી બાઇ સાથે રમતો જોવા મળ્યે હતો. જોકે રશ્મિ અને ચિરાગ બન્ને ઘરમાં હાજર ન હતા.
ગત તા. 18 નવેમ્બરના રોજ જ્યંતિભાઇ દિકરી રશ્મિને મળવા માટે ફરી એક વખત તેના ઘરે લકઝૂરીયસ એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યાં હતા. જ્યાં ઘરના દરવાજે તાળુ લાગેલુ જોઇ તેમણે ચિરાગ પટેલને ફોન કર્યો હતો. પરંતુ ચિરાગે ફોન પર વ્યવસ્થિત વાત ન કરતા આખરે પિતાએ પુત્રીની શોધોખોડ શરૂ કરી હતી. જોકે કોઇ પત્તો ન લાગતા બીજા દિવસે બારડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતા.
ગત તા. 20 નવેમ્બરના રોજ જ્યંતિભાઇ બારડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતા. જ્યાં તેમણે પુત્રી રશ્મિની ગુમ થયાની ફરીયાદ આપી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા શંકાની સોઇ ચિરાગ સામે ઉઠી હતી. પોલીસે ચિરાગની અટકાયત કરી તેની સધન પુછપરછ કરતા તે ભાંગી પડ્યો અને કબુલ્યુ કે રશ્મિની તેને જ ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી રશ્મિની લાશનો ક્યાં નિકાલ કરાયો તે બાબતે પુછતા, બાબેન ગામથી નજીક આવેલા વાલોડ ગામ ખાતે ખેતરમાં દાટી દીધી હોવાની વિગતો જાણવા મળી હતી.
ચિરાગની કબુલાત બાદ પોલીસની ટીમ, FSL અને મેજીસ્ટ્રેટ સાથે તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. જ્યાં ત્રણ કલાકની જહેમતે JCBની મદદથી ખેતરમાં ખાડો ખોદતા પ્લાસ્ટીકની તાળપત્રી અને પ્લાસ્ટીકના મીણીયામાં લપેટેલી કોહવાયેલી રશ્મિની લાશ મળી આવી હતી. હત્યા કર્યા બાદ ચિરાગ રશ્મિની લાશને પોતાની કારમાં મૂકી ખેતરમાં પહોંચી દાટી હોવાની કબુલતા કરી છે. પરંતુ આ કામ કોઇ એક વ્યક્તિનુ હોય તેવુ જણાઇ આવતુ નથી. જેથી અન્ય વ્યક્તિની પણ આ મામલે સંડોવાણી હોવાનુ રશ્મિના પરિવારે આક્ષેપ કર્યો છે. જોકે રશ્મિની લાશનો વહેલી તકે નિકાલ થાય તે માટે હત્યારા ચિરાગે ખાડો ખોદી મીઠું પણ નાખ્યુ હોવાની જાણવા મળી આવ્યું હતુ.
[caption id="attachment_18416" align="aligncenter" width="720"] (બારડોલી DYSP રૂપલ સોલંકી)[/caption]
બનાવ અંગે બારડોલી Dysp રૂપલ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, રશ્મિ અને ચિરાગ બન્ને LIVE IN RELATIONSHIPમાં રહેતા હતા. જોકે બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડો થતાં ચિરાગે રશ્મિનુ ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. અને બાદમાં લાશને પહેલી પત્નીના પિતાના ખેતરમાં ખાડો ખોદી દાટી દીધી હતી.
[caption id="attachment_18423" align="aligncenter" width="1280"] (રશ્મિનો હત્યારો ચિરાગ પટેલ)[/caption]
આ મામલે એવુ પણ જાણવા મળ્યુ છે કે, રશ્મિ છેલ્લા ચાર વર્ષથી ચિરાગ પટેલ સાથે લીવ ઇન રિલેશનસિપમાં રહેતી હતી અને ત્રણ માસનો ગર્ભ ધરાવતી હતી. આ બાબતે ચિરાગ અને રશ્મિ વચ્ચે અવાર નવાર ખૂબ બોલાચાલી અને ઝઘડો થતો હતો. રશ્મિ ગર્ભવતિ હોવાથી ચિરાગને લગ્ન કરવા માટે કહેતી હતી અને આજ બાબતે બન્ને વચ્ચે ફરી એક વખત ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતાં વહેલી સવારે પાંચ વાગે ચિરાગે રશ્મિનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
રશ્મિ કટારીયા ચાર વર્ષથી LIVE IN RELATIONSHIPમાં ચિરાગ પટેલ સાથે રહેતી હતી.
રશ્મિ ગર્ભવતિ હતી અને તેના ત્રણ વર્ષના બાળક સાથે ભાડાના મકાનમાં રહેતી હતી.
રશ્મિનુ ગળુ દબાવી હત્યા કરી હોવાની ચિરાગે પોલીસ સમક્ષ કબુલાત કરી
ખેતરમાં ખાડો ખોદી લાશને દાટી દેવી કોઇ એક વ્યક્તિનુ કામ નથી, બનાવમાં અન્ય લોકોના પણ સંડોવણી હોવાની આશંકા
ચિરાગે રશ્મિની હત્યા કરી લાશને પહેલા સસરાના ખેતરમાં દાટી દીધી હતી.
WatchGujarat. બારડોલીના બાબેન ગામે રહેતી 28 વર્ષીય યુવતિ છેલ્લા ચાર વર્ષથી પોતાના 3 વર્ષના બાળક સાથે પ્રેમી જોડે ભાડાના મકાનમાં રહેતી હતી. પ્રેમીએ ગર્ભવતિ 28 વર્ષીય યુવતિની હત્યા કરી લાશને પહેલી પત્નીના પિતા (સસરા)ના ખેતરમાં દાટી દીધી હતી. જોકે યુવતિના પિતા બારડોલી પોલીસ સ્ટેશને પહોંચતા ચકચારી હત્યાનો ભેદ ખુલ્યો હતો.
બારડોલીના બાબેન ગામે આવેલા લકઝૂરીયસ એપાર્ટમેન્ટમાં ભાડે મકાન રાખી પોતાના 3 વર્ષના પુત્ર સાથે રહેતી રશ્મિ કટારીયાની તેના પ્રેમી ચિરાગ પટેલે કરપીણ હત્યા કરી હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. રશ્મિ ગર્ભવતિ હતી અને છેલ્લા ચાર વર્ષથી ચિરાગ સાથે પ્રેમસંબંધમાં તેની સાથે જ રહેતી હતી. ચિરાગ પટેલ પરણીત હોવા છતાં ભાડાના ફ્લેટમાં રશ્મિ સાથે LIVE IN RELATIONSHIP માં રહેતો હતો. જ્યાં તેણે રશ્મિની હત્યા કરી લાશને પહેલી પત્નીના પિતા એટલે કે સસરાના ખેતરમાં દાટી દીધી હોવાની પોલીસ કમક્ષ કબૂલાત કરી હતી.
આ મામલે મૃતક રશ્મિ પટેલના પિતા જ્યંતિભાઇ વનમાળીભાઇ કટારીયાએ બારડોલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેમની નાની દિકરી રશ્મિને ગામના ચિરાગ સુરેશભાઇ પટેલ સાથે પ્રેમસંબંધ હોવાથી તે 4 વર્ષથી તેની સાથે જ રહેતી હતી. ચિરાગ રશ્મિને બીજી પત્ની તરીકે રાખતો અને બાબેન ગામમાં આવેલા લકઝૂરીયસ ફ્લેટમાં 3 વર્ષના પુત્ર સાથે રહેતી રશ્મિ ગર્ભવતિ પણ હતી.
દિવાળી હોવાથી મળવા માટે પિતા જ્યંતિભાઇએ રશ્મિને ફોન કર્યો હતો. જોકે ફોન ચિરાગે ઉપાડી કહ્યું કે, રશ્મિ ટોયલેટમાં ગઇ છે. થોડા સમય બાદ જ્યંતિભાઇએ ફરી રશ્મિનો ફોન પર સંપર્ક કર્યો ત્યારે ચિરાગે કહ્યું કે, રશ્મિ ફરવા બહાર ગઇ છે. તમારે શું કામ છે, કહીં ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ ગત તા. 17મીના રોજ જ્યંતિભાઇ રશ્મિને મળવા માટે ઘરે પહોચ્યાં હતા. જ્યાં રશ્મિનો ત્રણ વર્ષનો પુત્ર કામવાળી બાઇ સાથે રમતો જોવા મળ્યે હતો. જોકે રશ્મિ અને ચિરાગ બન્ને ઘરમાં હાજર ન હતા.
ગત તા. 18 નવેમ્બરના રોજ જ્યંતિભાઇ દિકરી રશ્મિને મળવા માટે ફરી એક વખત તેના ઘરે લકઝૂરીયસ એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યાં હતા. જ્યાં ઘરના દરવાજે તાળુ લાગેલુ જોઇ તેમણે ચિરાગ પટેલને ફોન કર્યો હતો. પરંતુ ચિરાગે ફોન પર વ્યવસ્થિત વાત ન કરતા આખરે પિતાએ પુત્રીની શોધોખોડ શરૂ કરી હતી. જોકે કોઇ પત્તો ન લાગતા બીજા દિવસે બારડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતા.
ગત તા. 20 નવેમ્બરના રોજ જ્યંતિભાઇ બારડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતા. જ્યાં તેમણે પુત્રી રશ્મિની ગુમ થયાની ફરીયાદ આપી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા શંકાની સોઇ ચિરાગ સામે ઉઠી હતી. પોલીસે ચિરાગની અટકાયત કરી તેની સધન પુછપરછ કરતા તે ભાંગી પડ્યો અને કબુલ્યુ કે રશ્મિની તેને જ ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી રશ્મિની લાશનો ક્યાં નિકાલ કરાયો તે બાબતે પુછતા, બાબેન ગામથી નજીક આવેલા વાલોડ ગામ ખાતે ખેતરમાં દાટી દીધી હોવાની વિગતો જાણવા મળી હતી.
ચિરાગની કબુલાત બાદ પોલીસની ટીમ, FSL અને મેજીસ્ટ્રેટ સાથે તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. જ્યાં ત્રણ કલાકની જહેમતે JCBની મદદથી ખેતરમાં ખાડો ખોદતા પ્લાસ્ટીકની તાળપત્રી અને પ્લાસ્ટીકના મીણીયામાં લપેટેલી કોહવાયેલી રશ્મિની લાશ મળી આવી હતી. હત્યા કર્યા બાદ ચિરાગ રશ્મિની લાશને પોતાની કારમાં મૂકી ખેતરમાં પહોંચી દાટી હોવાની કબુલતા કરી છે. પરંતુ આ કામ કોઇ એક વ્યક્તિનુ હોય તેવુ જણાઇ આવતુ નથી. જેથી અન્ય વ્યક્તિની પણ આ મામલે સંડોવાણી હોવાનુ રશ્મિના પરિવારે આક્ષેપ કર્યો છે. જોકે રશ્મિની લાશનો વહેલી તકે નિકાલ થાય તે માટે હત્યારા ચિરાગે ખાડો ખોદી મીઠું પણ નાખ્યુ હોવાની જાણવા મળી આવ્યું હતુ.
બનાવ અંગે બારડોલી Dysp રૂપલ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, રશ્મિ અને ચિરાગ બન્ને LIVE IN RELATIONSHIPમાં રહેતા હતા. જોકે બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડો થતાં ચિરાગે રશ્મિનુ ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. અને બાદમાં લાશને પહેલી પત્નીના પિતાના ખેતરમાં ખાડો ખોદી દાટી દીધી હતી.
આ મામલે એવુ પણ જાણવા મળ્યુ છે કે, રશ્મિ છેલ્લા ચાર વર્ષથી ચિરાગ પટેલ સાથે લીવ ઇન રિલેશનસિપમાં રહેતી હતી અને ત્રણ માસનો ગર્ભ ધરાવતી હતી. આ બાબતે ચિરાગ અને રશ્મિ વચ્ચે અવાર નવાર ખૂબ બોલાચાલી અને ઝઘડો થતો હતો. રશ્મિ ગર્ભવતિ હોવાથી ચિરાગને લગ્ન કરવા માટે કહેતી હતી અને આજ બાબતે બન્ને વચ્ચે ફરી એક વખત ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતાં વહેલી સવારે પાંચ વાગે ચિરાગે રશ્મિનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.