ડિસ્ચાર્જ થનાર દર્દીઓ સે પોઝિટીવ કેસની સંખ્યા સતત ઘટી રહીં છે.
હાલ કોરોનાનાં ઓપીડી કેસ ઉપરાંત ક્રિટીકલ દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો – જિલ્લા કલેકટર
WatchGujarat. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના મુદ્દે રાહત જોવા મળી રહી છે. જેમાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓ સામે પોઝીટીવ કેસની સંખ્યા સતત ઘટી રહી છે. ત્યારે આજે બપોર સુધીમાં કોરોનાનાં વધુ 170 કેસ નોંધાયા છે. જો કે મૃત્યુઆંક હજુપણ ઘણો ઊંચો છે. અને છેલ્લા 24 કલાકમાં વધુ 62 દર્દીઓનાં મોત થયા છે. પણ ગઈકાલે થયેલા 62 પૈકી માત્ર 11 દર્દીઓનાં મોત કોરોનાને લીધે થયા હોવાનું સરકારી ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે. બીજીતરફ આજે કલેક્ટરે મીડિયા સાથેની વાતચીતમાં છેલ્લા ત્રણેક દિવસમાં ઓપીડી તેમજ ગંભીર દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.
શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 170 કેસ નોંધાતા કુલ આંક 36,082એ પહોંચ્યો છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ બપોર સુધીમાં વધુ 170 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 36,082 થયા છે. જોકે ગઈકાલે 597 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 32,159 થઈ છે. જેને લઈને રિકવરી રેટ વધીને 89.54 ટકા થયો છે. સાથે હાલ શહેર અને જિલ્લાની સરકારી - ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે 518 બેડ ઉપલબ્ધ છે.
મૃતકોની સંખ્યા અંગે વાત કરવામાં આવે તો તેમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. અને આજે કોરોનાની સારવાર દરમિયાન વધુ 62 લોકોના મોત નિપજ્યા છે. સતાવાર વિગતો મુજબ ગઈકાલે સવારે 8વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા વધુ 62 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે આ પૈકી કેટલા મોત કોરોનાને કારણે થયા છે તેનો આખરી નિર્ણય તો સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. કાલે થયેલા 62 પૈકી 11 મોત કોરોનાથી થયા હોવાનું કમિટી દ્વારા જાહેર કરાયું છે.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાનાં ઓપીડી કેસ ઉપરાંત ક્રિટીકલ દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેને લઈને સિવિલ બહાર લાગતી એમ્બ્યુલન્સની લાઈનો દૂર થઈ છે. જો કે હજુ ઘણા ગંભીર દર્દીઓ સારવારમાં હોવાથી સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી તેમજ ગોવિંદ પટેલની ગ્રાન્ટમાંથી કોરોના સહાય માટે રૂ. 20-20 લાખ ફાળવાયા છે. મ્યુ. કમિશ્નર સાથે મળીને લોકોના હિત માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.
વધુમાં ઓક્સિજન અંગે તેમણે કહ્યું હતું કે, રાજકોટ - જસદણ - ઉપલેટા - ધોરાજી ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ માટેની કાર્યવાહી જોરશોરથી ચાલી રહી છે. SBI દ્રારા હાલમાં રૂપિયા 35 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી. જેમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. સાથે રેમડેસીવીરની અછત મહદઅંશે દૂર થઈ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. જોકે લોકોને ઓક્સિજન-ઇન્જેક્શનનો જરૂર મુજબ ઉપયોગ કરવાની અપીલ પણ તેમણે કરી હતી. તેમજ કુંદન હોસ્પિટલમાં થયેલા દર્દીઓના મૃત્યુ મામલે તપાસ ચાલુ હોવાનું અને તપાસ પૂર્ણ થયા બાદ જ આ મોત ઓક્સિજનનાં અભાવે થયા છે કે કેમ તે જાણી શકાશે.
- ડિસ્ચાર્જ થનાર દર્દીઓ સે પોઝિટીવ કેસની સંખ્યા સતત ઘટી રહીં છે.
- હાલ કોરોનાનાં ઓપીડી કેસ ઉપરાંત ક્રિટીકલ દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો – જિલ્લા કલેકટર
WatchGujarat. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના મુદ્દે રાહત જોવા મળી રહી છે. જેમાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓ સામે પોઝીટીવ કેસની સંખ્યા સતત ઘટી રહી છે. ત્યારે આજે બપોર સુધીમાં કોરોનાનાં વધુ 170 કેસ નોંધાયા છે. જો કે મૃત્યુઆંક હજુપણ ઘણો ઊંચો છે. અને છેલ્લા 24 કલાકમાં વધુ 62 દર્દીઓનાં મોત થયા છે. પણ ગઈકાલે થયેલા 62 પૈકી માત્ર 11 દર્દીઓનાં મોત કોરોનાને લીધે થયા હોવાનું સરકારી ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે. બીજીતરફ આજે કલેક્ટરે મીડિયા સાથેની વાતચીતમાં છેલ્લા ત્રણેક દિવસમાં ઓપીડી તેમજ ગંભીર દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.
શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 170 કેસ નોંધાતા કુલ આંક 36,082એ પહોંચ્યો છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ બપોર સુધીમાં વધુ 170 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 36,082 થયા છે. જોકે ગઈકાલે 597 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 32,159 થઈ છે. જેને લઈને રિકવરી રેટ વધીને 89.54 ટકા થયો છે. સાથે હાલ શહેર અને જિલ્લાની સરકારી - ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે 518 બેડ ઉપલબ્ધ છે.
મૃતકોની સંખ્યા અંગે વાત કરવામાં આવે તો તેમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. અને આજે કોરોનાની સારવાર દરમિયાન વધુ 62 લોકોના મોત નિપજ્યા છે. સતાવાર વિગતો મુજબ ગઈકાલે સવારે 8વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા વધુ 62 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે આ પૈકી કેટલા મોત કોરોનાને કારણે થયા છે તેનો આખરી નિર્ણય તો સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. કાલે થયેલા 62 પૈકી 11 મોત કોરોનાથી થયા હોવાનું કમિટી દ્વારા જાહેર કરાયું છે.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાનાં ઓપીડી કેસ ઉપરાંત ક્રિટીકલ દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેને લઈને સિવિલ બહાર લાગતી એમ્બ્યુલન્સની લાઈનો દૂર થઈ છે. જો કે હજુ ઘણા ગંભીર દર્દીઓ સારવારમાં હોવાથી સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી તેમજ ગોવિંદ પટેલની ગ્રાન્ટમાંથી કોરોના સહાય માટે રૂ. 20-20 લાખ ફાળવાયા છે. મ્યુ. કમિશ્નર સાથે મળીને લોકોના હિત માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.
વધુમાં ઓક્સિજન અંગે તેમણે કહ્યું હતું કે, રાજકોટ - જસદણ - ઉપલેટા - ધોરાજી ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ માટેની કાર્યવાહી જોરશોરથી ચાલી રહી છે. SBI દ્રારા હાલમાં રૂપિયા 35 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી. જેમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. સાથે રેમડેસીવીરની અછત મહદઅંશે દૂર થઈ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. જોકે લોકોને ઓક્સિજન-ઇન્જેક્શનનો જરૂર મુજબ ઉપયોગ કરવાની અપીલ પણ તેમણે કરી હતી. તેમજ કુંદન હોસ્પિટલમાં થયેલા દર્દીઓના મૃત્યુ મામલે તપાસ ચાલુ હોવાનું અને તપાસ પૂર્ણ થયા બાદ જ આ મોત ઓક્સિજનનાં અભાવે થયા છે કે કેમ તે જાણી શકાશે.