પશ્ચિમ બંગાલમાં ચૂંટમી પરિણામ જાહેર થયા બાદ ફાટી નિકળેલી હિંસાનો ભાજપ દ્વારા રાજ્ય વ્યાપી ધરણા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
પુણા ગામ ખાતે તૃણમૂલ કોંગ્રેસનો વિરોધ કરવા પહોંચેલા મેયર હેમાલી બોઘાલાનો સ્થાનિકો અને કોંગી કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો
શહેરનો પુણા વિસ્તાર બંગાળમાં આવતો હોય તેમ અહિં વિરોધ કરવામાં આવી રહ્યો છે – સુરેશ સુહાગીયા
WatchGujarat. પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ત્યાં હિંસા ફાટી નીકળી છે. આ હિંસાના વિરોધમાં સુરતમાં ભાજપ દ્બારા ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં મેયર વિરોધ માટે પહોચતા જ કોંગેસ દ્વારા મેયર હેમાલીબેન બોઘવાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને કહ્યું હતું કે અત્યારે મહામારીમાં લોકોને બેડ, ઓક્સીજન અને દવાની અછત છે તે પહેલા પૂર્ણ કરો. ધરણા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા મેયરનો વિરોધ થતાં તેઓ કંઇ જ બોલ્યા વિના પોતાની ગાડીમાં બેસી રવાના થઇ ગયા હતા.
https://youtu.be/KDMUFPJAl9A
પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસની જીત થઈ છે. જો કે આ પરિણામો જાહેર થયા બાદ ત્યાં તોફાનો ફાટી નીકળ્યા છે. જેમાં કેટલાક ભાજપ કાર્યકરોની હત્યા થઇ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. પરંતુ બંગાળની ઘટનાના પડઘા સુરતમાં જોવા મળ્યા હતા. સુરતમાં ભાજપ દ્વારા બંગાળમાં થઇ રહેલી હિંસાને લઈને વિરોધ નોંધાવવાનું આયોજન પુણા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘવાલા પણ ત્યાં પહોચ્યા હતા. જો કે મેયર ત્યાં પહોચતા જ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવવાનું શરુ કર્યું હતું. મેયર અને ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. જો કે વિરોધ કરી રહેલા કોંગેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી અને પુણા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
સુરતની જનતા મહામારીમાં પીડાઈ છે તેની મદદ પહેલા કરો
સુરેશ સુહાગીયાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા શહેર હિતને નેવે મુકીને હાલમાં ભાજપ વિરોધ કરી રહ્યા છે. પુણા વિસ્તાર જાણે બંગાળમાં આવતું હોય તેમ અહી વિરોધ કરી રહ્યા છે. એક તરફ સુરતમાં મહામારી ફેલાઈ રહી છે. ત્યારે લોકોને દવા, વેક્સીન, ઓક્સીજન, ઈજેક્શન સહિતની જરૂરીયાત પૂરી પાડવાને બદલે અત્યારે ભાજપના શાસક પક્ષના નેતાઓ વિરોધ કરી તાયફો કરી રહ્યા છે. જેને લઈને અમે અહી મેયર હેમાલીબોઘાવાલાનો વિરોધ કર્યો છે.
અમારી બહેન દીકરીઓ ઇન્જ્કેશન વગર મરે છે તેની મદદ કરો
પુણા વિસ્તારમાં મેયર હેમાલીબેન બોઘવાલા ધરણા પ્રદર્શન માટે પહોચ્યા હતા. જો કે ત્યાં તેઓનો જબરદસ્ત વિરોધ થતા તેઓને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. વિરોધ કરી રહેલા લોકોમાં કોંગ્રેસના લોકો પણ સામેલ હતા. પરંતુ ત્યાં એક વ્યતક્તિએ જોર જોરથી બુમો પાડી હતી અને કહ્યું હતું કે અમે ભાજપના કાર્યકરો છીએ. અમારી બહેનું દીકરીઓ ઇન્જેક્શન વગર મરી રહી છે. તેને પહેલા ઈન્જેક્ષણ અપાવો. અમે અન્ય કોઈ પાર્ટીના કાર્યકરો નથી.
પશ્ચિમ બંગાલમાં ચૂંટમી પરિણામ જાહેર થયા બાદ ફાટી નિકળેલી હિંસાનો ભાજપ દ્વારા રાજ્ય વ્યાપી ધરણા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
પુણા ગામ ખાતે તૃણમૂલ કોંગ્રેસનો વિરોધ કરવા પહોંચેલા મેયર હેમાલી બોઘાલાનો સ્થાનિકો અને કોંગી કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો
શહેરનો પુણા વિસ્તાર બંગાળમાં આવતો હોય તેમ અહિં વિરોધ કરવામાં આવી રહ્યો છે – સુરેશ સુહાગીયા
WatchGujarat. પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ત્યાં હિંસા ફાટી નીકળી છે. આ હિંસાના વિરોધમાં સુરતમાં ભાજપ દ્બારા ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં મેયર વિરોધ માટે પહોચતા જ કોંગેસ દ્વારા મેયર હેમાલીબેન બોઘવાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને કહ્યું હતું કે અત્યારે મહામારીમાં લોકોને બેડ, ઓક્સીજન અને દવાની અછત છે તે પહેલા પૂર્ણ કરો. ધરણા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા મેયરનો વિરોધ થતાં તેઓ કંઇ જ બોલ્યા વિના પોતાની ગાડીમાં બેસી રવાના થઇ ગયા હતા.
પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસની જીત થઈ છે. જો કે આ પરિણામો જાહેર થયા બાદ ત્યાં તોફાનો ફાટી નીકળ્યા છે. જેમાં કેટલાક ભાજપ કાર્યકરોની હત્યા થઇ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. પરંતુ બંગાળની ઘટનાના પડઘા સુરતમાં જોવા મળ્યા હતા. સુરતમાં ભાજપ દ્વારા બંગાળમાં થઇ રહેલી હિંસાને લઈને વિરોધ નોંધાવવાનું આયોજન પુણા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘવાલા પણ ત્યાં પહોચ્યા હતા. જો કે મેયર ત્યાં પહોચતા જ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવવાનું શરુ કર્યું હતું. મેયર અને ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. જો કે વિરોધ કરી રહેલા કોંગેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી અને પુણા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
સુરતની જનતા મહામારીમાં પીડાઈ છે તેની મદદ પહેલા કરો
સુરેશ સુહાગીયાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા શહેર હિતને નેવે મુકીને હાલમાં ભાજપ વિરોધ કરી રહ્યા છે. પુણા વિસ્તાર જાણે બંગાળમાં આવતું હોય તેમ અહી વિરોધ કરી રહ્યા છે. એક તરફ સુરતમાં મહામારી ફેલાઈ રહી છે. ત્યારે લોકોને દવા, વેક્સીન, ઓક્સીજન, ઈજેક્શન સહિતની જરૂરીયાત પૂરી પાડવાને બદલે અત્યારે ભાજપના શાસક પક્ષના નેતાઓ વિરોધ કરી તાયફો કરી રહ્યા છે. જેને લઈને અમે અહી મેયર હેમાલીબોઘાવાલાનો વિરોધ કર્યો છે.
અમારી બહેન દીકરીઓ ઇન્જ્કેશન વગર મરે છે તેની મદદ કરો
પુણા વિસ્તારમાં મેયર હેમાલીબેન બોઘવાલા ધરણા પ્રદર્શન માટે પહોચ્યા હતા. જો કે ત્યાં તેઓનો જબરદસ્ત વિરોધ થતા તેઓને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. વિરોધ કરી રહેલા લોકોમાં કોંગ્રેસના લોકો પણ સામેલ હતા. પરંતુ ત્યાં એક વ્યતક્તિએ જોર જોરથી બુમો પાડી હતી અને કહ્યું હતું કે અમે ભાજપના કાર્યકરો છીએ. અમારી બહેનું દીકરીઓ ઇન્જેક્શન વગર મરી રહી છે. તેને પહેલા ઈન્જેક્ષણ અપાવો. અમે અન્ય કોઈ પાર્ટીના કાર્યકરો નથી.