ગાંધીનગર. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્કુલો શરૂ કરવાનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. ત્યારે આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં હાલ ધોરણ 9 થી 12 માટે શાળાઓ નહીં ખુલે. પણ કેન્દ્રની ગાઇડલાઇન મરજીયાત છે.
દિવાળી સુધી સ્કુલો નહીં ખુલે : ભુપેન્દ્રસિંહ ચુડાસામા
છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના રાજ્યમાં વધતા સંક્રમણને લઇને વાલીઓ ઘણી અસમંજસમાં હતા. વાલીઓ વિદ્યાર્થીઓ ને સ્કુલમાં મોકલવા કે નહીં તેની ચિંતામાં હતા. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસામાએ જાહેરાતની સાથે કહ્યું કે હાલ દિવાળી સુધી સ્કુલનો નહીં ખુલે પણ દિવાળી બાદ રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરતા પહેલા કોરોનાની પરિસ્થિતિ કેવી છે તેના ધ્યાનમાં લઇને સરકાર નિર્ણય લેશે.
અનલોકની નવી ગાઇડલાઇ પ્રમાણે 21 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી
તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રામાણે અનલોક 4ની નવી ગાઇડલાઇન પ્રમાણે 21 સપ્ટેમ્બરથી શાળાઓ શરતોને આધીન શરૂ કરવાની મંજુરી હતી. જેમાં 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ ને શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકે છે. તો ઓનલાઇન અભ્યાસ માટે શાળા 50% સ્ટાફને બોલાવી શકે છે. પણ આજે કેબિનેટ બેઠકમાં શાળા ન ખોલવાનો નિર્ણય આવતા તમામ અસમંજસતાઓનો સુખદ અંત આવ્યો હતો.
રાજ્યમાં 16 માર્ચથી સ્કુલો બંધ છે
કોરોના વાયરસની મહામારીને પગલે ગુજરાતમાં સરકારે 15 માર્ચે જાહેરાત કરી હતી કે 16 માર્ચથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી અત્યાર સુધી શાળાઓ બંધ છે. જેને આજે 6 મહિના થયા છે. ત્યારે હાલ બાળકોના ભવિષ્યને લઇને કોંગ્રેસે સરકારને અડધો કરી દેવાની પણ ભલામણ કરી છે.
ગાંધીનગર. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્કુલો શરૂ કરવાનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. ત્યારે આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં હાલ ધોરણ 9 થી 12 માટે શાળાઓ નહીં ખુલે. પણ કેન્દ્રની ગાઇડલાઇન મરજીયાત છે.
દિવાળી સુધી સ્કુલો નહીં ખુલે : ભુપેન્દ્રસિંહ ચુડાસામા
છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના રાજ્યમાં વધતા સંક્રમણને લઇને વાલીઓ ઘણી અસમંજસમાં હતા. વાલીઓ વિદ્યાર્થીઓ ને સ્કુલમાં મોકલવા કે નહીં તેની ચિંતામાં હતા. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસામાએ જાહેરાતની સાથે કહ્યું કે હાલ દિવાળી સુધી સ્કુલનો નહીં ખુલે પણ દિવાળી બાદ રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરતા પહેલા કોરોનાની પરિસ્થિતિ કેવી છે તેના ધ્યાનમાં લઇને સરકાર નિર્ણય લેશે.
અનલોકની નવી ગાઇડલાઇ પ્રમાણે 21 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી
તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રામાણે અનલોક 4ની નવી ગાઇડલાઇન પ્રમાણે 21 સપ્ટેમ્બરથી શાળાઓ શરતોને આધીન શરૂ કરવાની મંજુરી હતી. જેમાં 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ ને શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકે છે. તો ઓનલાઇન અભ્યાસ માટે શાળા 50% સ્ટાફને બોલાવી શકે છે. પણ આજે કેબિનેટ બેઠકમાં શાળા ન ખોલવાનો નિર્ણય આવતા તમામ અસમંજસતાઓનો સુખદ અંત આવ્યો હતો.
રાજ્યમાં 16 માર્ચથી સ્કુલો બંધ છે
કોરોના વાયરસની મહામારીને પગલે ગુજરાતમાં સરકારે 15 માર્ચે જાહેરાત કરી હતી કે 16 માર્ચથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી અત્યાર સુધી શાળાઓ બંધ છે. જેને આજે 6 મહિના થયા છે. ત્યારે હાલ બાળકોના ભવિષ્યને લઇને કોંગ્રેસે સરકારને અડધો કરી દેવાની પણ ભલામણ કરી છે.