છેલ્લા દોઢ વર્ષ પહેલા તમામ પ્રક્રિયા એક જ દિવસે પૂર્ણ કરી હોવા છતાં સરકાર દ્વારા ટેક્નિકલ કોલેજમાં નિમણૂક પામેલા પ્રોફેસરોને ઓર્ડર આપવામાં આવતા નથી
સરકારના બદ ઇરાદા ના કારણે નિમણૂક પામેલા 179 ભાવિ પ્રોફેસરોનુ ભવિષ્ય અન્ધકારમાં ધકેલાઈ રહ્યું છે
ભાવિ પ્રોફેસર રજનીકાંત ધમસાણિયાએ કહ્યું હતું કે, 68 ઇલેક્ટ્રિકલ લેક્ચર અને 111 મિકેનિકલ લેક્ચરર ની પ્રક્રિયા પૂર્ણ કરેલી છે
ગાંધીનગર. રાજ્યની ભાજપ સરકાર પ્રગતિશીલ હોવાના બણગા ફુંકી રહી છે, પરંતુ વાસ્તવિકતા અલગ જ છે. સરકારમાં હાલમાં તમામ ભરતી અને નિમણૂક આપવાની કામગીરી બંધ કરવામાં આવી છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષ પહેલા તમામ પ્રક્રિયા એક જ દિવસે પૂર્ણ કરી હોવા છતાં સરકાર દ્વારા ટેક્નિકલ કોલેજમાં નિમણૂક પામેલા પ્રોફેસરોને ઓર્ડર આપવામાં આવતા નથી. જેને લઇને ટેકનિકલ કમિશનરની કચેરી ખાતે ઉમેદવારો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ઉમેદવારોએ કહ્યું કે, જ્યાં સુધી અમને નિમણૂક આપવામાં નહીં આવે ત્યાં સુધી અહીં જ ધરણાં કરીશું.
રાજ્ય સરકાર જાણીજોઈને શિક્ષિત લોકોને બેરોજગાર કરવાનો કારસો રચી રહી હોય તેવું સામે આવી રહ્યું છે. દોઢ વર્ષ પહેલા ટેક્નિકલ કોલેજમાં પ્રોફેસરોની નિમણૂક માટે એક જ દિવસે તમામ પ્રોસેસ પૂર્ણ કરી દીધી હતી. ઉમેદવારોને બોલાવીને તેમના પ્રમાણપત્રોની ચકાસણી પણ થઇ ગઇ હતી. દોઢ વર્ષ પહેલા કોરો નામનો વાયરસ પણ આવ્યો ન હતો. પરંતુ સરકારના બદ ઇરાદા ના કારણે નિમણૂક પામેલા 179 ભાવિ પ્રોફેસરોનુ ભવિષ્ય અન્ધકારમાં ધકેલાઈ રહ્યું છે.
ગાંધીનગરના કર્મયોગી ભવન માં આવેલી ટેકનિકલ કમિશનરની કચેરીમાં આજે ઉમેદવારો દ્વારા એક ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ હતી. ઉમેદવારોએ ટેકનિકલ કમિશનરની કચેરી ના દરવાજા આગળ જ ધરણા કર્યા હતા. ભાવિ પ્રોફેસર રજનીકાંત ધમસાણિયાએ કહ્યું હતું કે, 68 ઇલેક્ટ્રિકલ લેક્ચર અને 111 મિકેનિકલ લેક્ચરર ની પ્રક્રિયા પૂર્ણ કરેલી છે. સરકાર અમને છેલ્લા દોઢ વર્ષથી નોકરી માટેનો ઓર્ડર આપતી નથી. ગતિશીલ સરકાર હોવાના બણગા ફુંકી રહી છે. પરંતુ તમામ પ્રક્રિયા પૂર્ણ હોવા છતાં આ પ્રક્રિયાની પ્રોસેસ ચાલી રહી છે તેવું જણાવવામાં આવી રહી છે ત્યારે આ વાત ગળે ઉતરતી નથી. અમારી માગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે કર્મયોગી ભવનમાં જ ધરણાં કરીશું.
છેલ્લા દોઢ વર્ષ પહેલા તમામ પ્રક્રિયા એક જ દિવસે પૂર્ણ કરી હોવા છતાં સરકાર દ્વારા ટેક્નિકલ કોલેજમાં નિમણૂક પામેલા પ્રોફેસરોને ઓર્ડર આપવામાં આવતા નથી
સરકારના બદ ઇરાદા ના કારણે નિમણૂક પામેલા 179 ભાવિ પ્રોફેસરોનુ ભવિષ્ય અન્ધકારમાં ધકેલાઈ રહ્યું છે
ભાવિ પ્રોફેસર રજનીકાંત ધમસાણિયાએ કહ્યું હતું કે, 68 ઇલેક્ટ્રિકલ લેક્ચર અને 111 મિકેનિકલ લેક્ચરર ની પ્રક્રિયા પૂર્ણ કરેલી છે
ગાંધીનગર. રાજ્યની ભાજપ સરકાર પ્રગતિશીલ હોવાના બણગા ફુંકી રહી છે, પરંતુ વાસ્તવિકતા અલગ જ છે. સરકારમાં હાલમાં તમામ ભરતી અને નિમણૂક આપવાની કામગીરી બંધ કરવામાં આવી છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષ પહેલા તમામ પ્રક્રિયા એક જ દિવસે પૂર્ણ કરી હોવા છતાં સરકાર દ્વારા ટેક્નિકલ કોલેજમાં નિમણૂક પામેલા પ્રોફેસરોને ઓર્ડર આપવામાં આવતા નથી. જેને લઇને ટેકનિકલ કમિશનરની કચેરી ખાતે ઉમેદવારો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ઉમેદવારોએ કહ્યું કે, જ્યાં સુધી અમને નિમણૂક આપવામાં નહીં આવે ત્યાં સુધી અહીં જ ધરણાં કરીશું.
રાજ્ય સરકાર જાણીજોઈને શિક્ષિત લોકોને બેરોજગાર કરવાનો કારસો રચી રહી હોય તેવું સામે આવી રહ્યું છે. દોઢ વર્ષ પહેલા ટેક્નિકલ કોલેજમાં પ્રોફેસરોની નિમણૂક માટે એક જ દિવસે તમામ પ્રોસેસ પૂર્ણ કરી દીધી હતી. ઉમેદવારોને બોલાવીને તેમના પ્રમાણપત્રોની ચકાસણી પણ થઇ ગઇ હતી. દોઢ વર્ષ પહેલા કોરો નામનો વાયરસ પણ આવ્યો ન હતો. પરંતુ સરકારના બદ ઇરાદા ના કારણે નિમણૂક પામેલા 179 ભાવિ પ્રોફેસરોનુ ભવિષ્ય અન્ધકારમાં ધકેલાઈ રહ્યું છે.
ગાંધીનગરના કર્મયોગી ભવન માં આવેલી ટેકનિકલ કમિશનરની કચેરીમાં આજે ઉમેદવારો દ્વારા એક ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ હતી. ઉમેદવારોએ ટેકનિકલ કમિશનરની કચેરી ના દરવાજા આગળ જ ધરણા કર્યા હતા. ભાવિ પ્રોફેસર રજનીકાંત ધમસાણિયાએ કહ્યું હતું કે, 68 ઇલેક્ટ્રિકલ લેક્ચર અને 111 મિકેનિકલ લેક્ચરર ની પ્રક્રિયા પૂર્ણ કરેલી છે. સરકાર અમને છેલ્લા દોઢ વર્ષથી નોકરી માટેનો ઓર્ડર આપતી નથી. ગતિશીલ સરકાર હોવાના બણગા ફુંકી રહી છે. પરંતુ તમામ પ્રક્રિયા પૂર્ણ હોવા છતાં આ પ્રક્રિયાની પ્રોસેસ ચાલી રહી છે તેવું જણાવવામાં આવી રહી છે ત્યારે આ વાત ગળે ઉતરતી નથી. અમારી માગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે કર્મયોગી ભવનમાં જ ધરણાં કરીશું.