શક્તિસિંહ હાલ વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણી માટે રાજ્યભરમાં પ્રવાસ કરીને પ્રચાર કર્યો હતો
ભારતના ગૃહપ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી સહીતના મોટા કેન્દ્રીય મંત્રીઓ પણ કોરોના સંક્રમીત થઇ ચુક્યા છે
ભરતસિંહ સોલંકી બાદ કોંગ્રેસના વધુ એક નેતા કોરોના સંક્રમિત થતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું
ગાંધીનગર. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ કોરોના સંક્રમિત થયા છે. આ અંગેની માહિતી શક્તિસિંહએ પોતાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરીને આપી હતી. મહત્વનું છે કે શક્તિસિંહ હાલ વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણી માટે રાજ્યભરમાં પ્રવાસ કરીને પ્રચાર કર્યો હતો.
જાણો શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને શું કહ્યું
શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને લખ્યું કે, “આજે મે મારો કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તમારા બધાની શુભેચ્છાઓની સાથે હું કોરોના સામે પડ લડી લઇશ. કોઇ ચિંતાની વાત નથી.”
શક્તિસિંહ ગોહિલે પોતાનો કોરોના રિપોર્ટ શેર કરી જાણકારી આપી
તેમણે પોતે કરેલ ટ્વિટ ની સાથે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યાનો રિપોર્ટ શેર કર્યો હતો. મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજનેતાઓ પણ આ મહામારીથી બચી શક્યા નથી. ભારતના ગૃહપ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી સહીતના મોટા કેન્દ્રીય મંત્રીઓ પણ કોરોના સંક્રમીત થઇ ચુક્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે. હાલમાં જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ લાંબા સમય હોસ્પિટલમાં રહીને કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા કોરોના સંક્રમિત થતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
- શક્તિસિંહ હાલ વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણી માટે રાજ્યભરમાં પ્રવાસ કરીને પ્રચાર કર્યો હતો
- ભારતના ગૃહપ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી સહીતના મોટા કેન્દ્રીય મંત્રીઓ પણ કોરોના સંક્રમીત થઇ ચુક્યા છે
- ભરતસિંહ સોલંકી બાદ કોંગ્રેસના વધુ એક નેતા કોરોના સંક્રમિત થતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું
ગાંધીનગર. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ કોરોના સંક્રમિત થયા છે. આ અંગેની માહિતી શક્તિસિંહએ પોતાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરીને આપી હતી. મહત્વનું છે કે શક્તિસિંહ હાલ વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણી માટે રાજ્યભરમાં પ્રવાસ કરીને પ્રચાર કર્યો હતો.
જાણો શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને શું કહ્યું
શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને લખ્યું કે, “આજે મે મારો કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તમારા બધાની શુભેચ્છાઓની સાથે હું કોરોના સામે પડ લડી લઇશ. કોઇ ચિંતાની વાત નથી.”
શક્તિસિંહ ગોહિલે પોતાનો કોરોના રિપોર્ટ શેર કરી જાણકારી આપી
તેમણે પોતે કરેલ ટ્વિટ ની સાથે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યાનો રિપોર્ટ શેર કર્યો હતો. મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજનેતાઓ પણ આ મહામારીથી બચી શક્યા નથી. ભારતના ગૃહપ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી સહીતના મોટા કેન્દ્રીય મંત્રીઓ પણ કોરોના સંક્રમીત થઇ ચુક્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે. હાલમાં જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ લાંબા સમય હોસ્પિટલમાં રહીને કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા કોરોના સંક્રમિત થતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.