વર્ષ 2018માં યુવક પાકિસ્તાનથી બનાસકાંઠા આવ્યો હતો અને ત્યારબાદ પરત જવા ન માંગતા જિંદગી ગુજારી રહ્યો હતો
યુવાન પોતાની વાગ્દત્તાને મળવા માટે પાકિસ્તાન જવા માંગતો હતો, પરંતુ આર્થિક વ્યવસ્થા ન હોવાને કારણે પરિવારજનોએ રોક લગાવી
WatchGujarat. બનાસકાંઠામાં એક પાકિસ્તાની યુવકે આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવી લીધી હોવાની ઘટના બની હતી. પાકિસ્તાનથી વર્ષ 2018માં આવેલો યુવક પરત ત્યાં જવા માંગતો ન હતો. અને તેણે અહિંયા વધારે રહેવા માટે મંજુરી માંગવા માટે એપ્લાય કર્યું હતું. દરમિયાન યુવકે અગમ્ય કરાણોસર 80 દિવસ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી.
સમગ્ર મામલા અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પાકિસ્તાનથી વર્ષ 2018માં આવેલો 19 વર્ષીય સંતરામ કોળી હરિદ્ઘારના દર્શને ગયો હતો. ત્યારબાદ તેણે પાકિસ્તાન પરત જવાનો ઇન્કાર કરતા નિરાશ્રીત તરીકે બનાસકાઠાના દિયોદરમાં જિંદગી વિતાવી રહ્યો હતો. દરમિયાન તેની સગાઈ પાકિસ્તાન નક્કી થઈ હતી અને તે પોતાની વાગ્દત્તાને મળવા માટે પાકિસ્તાન જવા માંગતો હતો. #Banaskantha
તેની મરજી વિરૂદ્ધ પરિવારજનોએ પોતાની મંજુરી જણાવી હતી. પરિવારજનોએ પાકિસ્તાન જવા માટે જરૂરી પૈસા ભેગા કરવા અંગે જણાવ્યું હતું. પરિવારના નિર્ણયને પગલે યુવક વ્યથિત થયો હતો. ત્યાર બાદ યુવકે અંતિમ પગલું ભર્યું હોવાની ઘટના ઘટી હતી.સમગ્ર મામલે પોલીસને જાણકારી મળતા પોલીસે પરિવારે દફનાવેલા મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે દિયોદર પોલીસે ગુનો નોંધી અને તપાસ પણ શરૂ કરી હતી. #Banaskantha
આ અંગે DySP ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018માં તેઓ નિરાશ્રીત તરીકે આવ્યા હતા અને સરકાર પાસે લાંબા સમય માટેના વિઝા અને રહેવાની પરવાનગી માંગી હતી. તે પાકિસ્તાન જવા માંગતો હતો. પરંતુ પરિવારે કહ્યું કે હમણા જવું નથી આ બાબતે લાગી આતા તેણે આત્મહત્યા કરી હતી. પરિવારે યુવકની આત્મહત્યા અંગે કોઈ પણ જાણકારી આપ્યા વગર તેના મૃતદેહને દફનાવી દીધો હતો. જોકે, પોલીસને જાણ થતા પોલીસે તેને મૃતદેહ કાઢી અને દીયોદર પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
More #Pakistani #young #boy #Suicide #Banaskantha #diyodar #Gujaratinews #WatchGujarat
વર્ષ 2018માં યુવક પાકિસ્તાનથી બનાસકાંઠા આવ્યો હતો અને ત્યારબાદ પરત જવા ન માંગતા જિંદગી ગુજારી રહ્યો હતો
યુવાન પોતાની વાગ્દત્તાને મળવા માટે પાકિસ્તાન જવા માંગતો હતો, પરંતુ આર્થિક વ્યવસ્થા ન હોવાને કારણે પરિવારજનોએ રોક લગાવી
WatchGujarat. બનાસકાંઠામાં એક પાકિસ્તાની યુવકે આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવી લીધી હોવાની ઘટના બની હતી. પાકિસ્તાનથી વર્ષ 2018માં આવેલો યુવક પરત ત્યાં જવા માંગતો ન હતો. અને તેણે અહિંયા વધારે રહેવા માટે મંજુરી માંગવા માટે એપ્લાય કર્યું હતું. દરમિયાન યુવકે અગમ્ય કરાણોસર 80 દિવસ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી.
સમગ્ર મામલા અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પાકિસ્તાનથી વર્ષ 2018માં આવેલો 19 વર્ષીય સંતરામ કોળી હરિદ્ઘારના દર્શને ગયો હતો. ત્યારબાદ તેણે પાકિસ્તાન પરત જવાનો ઇન્કાર કરતા નિરાશ્રીત તરીકે બનાસકાઠાના દિયોદરમાં જિંદગી વિતાવી રહ્યો હતો. દરમિયાન તેની સગાઈ પાકિસ્તાન નક્કી થઈ હતી અને તે પોતાની વાગ્દત્તાને મળવા માટે પાકિસ્તાન જવા માંગતો હતો. #Banaskantha
તેની મરજી વિરૂદ્ધ પરિવારજનોએ પોતાની મંજુરી જણાવી હતી. પરિવારજનોએ પાકિસ્તાન જવા માટે જરૂરી પૈસા ભેગા કરવા અંગે જણાવ્યું હતું. પરિવારના નિર્ણયને પગલે યુવક વ્યથિત થયો હતો. ત્યાર બાદ યુવકે અંતિમ પગલું ભર્યું હોવાની ઘટના ઘટી હતી.સમગ્ર મામલે પોલીસને જાણકારી મળતા પોલીસે પરિવારે દફનાવેલા મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે દિયોદર પોલીસે ગુનો નોંધી અને તપાસ પણ શરૂ કરી હતી. #Banaskantha
આ અંગે DySP ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018માં તેઓ નિરાશ્રીત તરીકે આવ્યા હતા અને સરકાર પાસે લાંબા સમય માટેના વિઝા અને રહેવાની પરવાનગી માંગી હતી. તે પાકિસ્તાન જવા માંગતો હતો. પરંતુ પરિવારે કહ્યું કે હમણા જવું નથી આ બાબતે લાગી આતા તેણે આત્મહત્યા કરી હતી. પરિવારે યુવકની આત્મહત્યા અંગે કોઈ પણ જાણકારી આપ્યા વગર તેના મૃતદેહને દફનાવી દીધો હતો. જોકે, પોલીસને જાણ થતા પોલીસે તેને મૃતદેહ કાઢી અને દીયોદર પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
More #Pakistani #young #boy #Suicide #Banaskantha #diyodar #Gujaratinews #WatchGujarat