WatchGujarat. કોરોના મહામારીને કારણે ગુજરાતમાં કોર્પોરેશનની ચુંટણી પાછી ઠેલવવી પડી હતી. તેવા સમયે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ તરીકે ગોપાલ ઇટાલીયાની નિમણુંક કરવામાં આવી છે. ગોપાલ ઇટાલીયા સ્થાનિક પ્રશ્નોને છેલ્લા કેટલાય સમયથી સક્રીય રીતે ઉઠાવી રહ્યા છે.
https://twitter.com/AAPGujarat/status/1337656416476168192?s=08
આમ આદમી પાર્ટી દ્વારા ખુબ જ ઓછા સમયમાં દિલ્હીમાં સરકાર બનાવી રાજકીય સફળતા મેળવી હતી. ત્યાર બાદ પાર્ટી દ્વારા અનેક રાજ્યોમાં સ્થાનિક મુદ્દાઓ ઉપાડ્યા છે. અને ચુંટણીમાં પણ ઝંપલાવ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પાર્ટી સાથે સંકળાયેલા લોકો અનેક રીતે લોકોને સ્પર્શતા મુદ્દાઓને વહીવહી તંત્ર અથવાતો સરકારના ધ્યાને લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ગુજરાતમાં ડિસેમ્બર -20 માં પાલીકાના ટર્મ પુર્ણ થવાની હતી. અને ચુંટણીઓ યોજાનાર હતી. પરંતુ કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ચુંટણી નહિ યોજવાનો નિર્ણય લીધો છે. અને જ્યાં સુધી ચુંટણી ન યોજાય ત્યાં સુધી વહીવટદાર નિમવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેવા સમયે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં આગામી ચુંટણીઓ પહેલા અધ્યક્ષ તરીકે યુવા કર્મશીલ ગોપાલ ઇટાલીયાની નિમણુંક કરી છે. ગોપાલ ઇટાલીયા સ્કુલ ફી તથા સ્થાનિક તંત્ર થકી લોકોને પડતી મુશ્કેલીઓ સહિતના પ્રશ્નો ઉઠાવતા હોય છે.
યુવા કર્મશીલ ગોપાલ ઇટાલીયાની નિમણુંક કરવાને પગલે આગામી સમયમાં યોજાનાર ચુંટણીમાં તેની અસર જોવા મળશે.
More #ગુજરાત #State #Corporation Election #AAP #Gopal Italia #Watchgujarat
WatchGujarat. કોરોના મહામારીને કારણે ગુજરાતમાં કોર્પોરેશનની ચુંટણી પાછી ઠેલવવી પડી હતી. તેવા સમયે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ તરીકે ગોપાલ ઇટાલીયાની નિમણુંક કરવામાં આવી છે. ગોપાલ ઇટાલીયા સ્થાનિક પ્રશ્નોને છેલ્લા કેટલાય સમયથી સક્રીય રીતે ઉઠાવી રહ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા ખુબ જ ઓછા સમયમાં દિલ્હીમાં સરકાર બનાવી રાજકીય સફળતા મેળવી હતી. ત્યાર બાદ પાર્ટી દ્વારા અનેક રાજ્યોમાં સ્થાનિક મુદ્દાઓ ઉપાડ્યા છે. અને ચુંટણીમાં પણ ઝંપલાવ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પાર્ટી સાથે સંકળાયેલા લોકો અનેક રીતે લોકોને સ્પર્શતા મુદ્દાઓને વહીવહી તંત્ર અથવાતો સરકારના ધ્યાને લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ગુજરાતમાં ડિસેમ્બર -20 માં પાલીકાના ટર્મ પુર્ણ થવાની હતી. અને ચુંટણીઓ યોજાનાર હતી. પરંતુ કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ચુંટણી નહિ યોજવાનો નિર્ણય લીધો છે. અને જ્યાં સુધી ચુંટણી ન યોજાય ત્યાં સુધી વહીવટદાર નિમવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેવા સમયે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં આગામી ચુંટણીઓ પહેલા અધ્યક્ષ તરીકે યુવા કર્મશીલ ગોપાલ ઇટાલીયાની નિમણુંક કરી છે. ગોપાલ ઇટાલીયા સ્કુલ ફી તથા સ્થાનિક તંત્ર થકી લોકોને પડતી મુશ્કેલીઓ સહિતના પ્રશ્નો ઉઠાવતા હોય છે.
યુવા કર્મશીલ ગોપાલ ઇટાલીયાની નિમણુંક કરવાને પગલે આગામી સમયમાં યોજાનાર ચુંટણીમાં તેની અસર જોવા મળશે.
More #ગુજરાત #State #Corporation Election #AAP #Gopal Italia #Watchgujarat