પ્રદેશ કોંગ્રેસ પ્રુમખ અમિત ચાવડા દ્વારા ટ્વીટ કરીને અમદાવાદ એરપોર્ટનું નામ અદાણી એરપોર્ટ કરી દીધું હોવાનું જણાવ્યું હતું
ટ્વીટર પર અન્ય એકાઉન્ટ દ્વારા પોલની બીજી બાજુના ફોટો મુકતા વિરોધ એકતરફી હોવાનું તારણ સામે આવ્યું
WatchGujarat. તાજેતરમાં દેશના કેટલાય એરપોર્ટનું ખાનગીકરણ કરીને તેમને અદાણી જુથને સોંપી દેવામાં આવ્યા છે. શનિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ટ્વીટ કરીને અમદાવાદ એરપોર્ટનું નામ અદાણી એરપોર્ટ કરી દીધું હોવાનું જણાવ્યું હતું. જો કે તેમના ટ્વીટ કરાયેલી તસ્વીર એક તરફની સચ્ચાઇ બતાવતી હતી. જો કે, પોલની બીજી બાજુ સરદાર વલ્લભ ભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું બોર્ડ જોવા મળ્યું હોવાનો દાવો અનેક ટ્વીટર હેન્ડલ દ્વારા કરવામાં આવ્યો હતો.
https://twitter.com/AmitChavdaINC/status/1337644652799791104?s=20
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સરદાર વિરોધી, અદાણી પ્રેમી ભાજપા સરદાર પટેલના નામથી ફક્ત પોતાના રાજકાજને ચમકાવનારી ભ્રષ્ટ ભાજપ સરકારે પોતાના ઉદ્યોગપતિ મિત્રની ખિદમતમાં ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગાયબ કરીને અદાણી એરપોર્ટ કરી દીધું. બેશર્મ ભાજપા.
જો કે ગુજરાતના સક્રીય ટ્વીટર એકાઉન્ટ દ્વારા તુરંત જ પોલની બીજી બાજુનો ફોટો મુકવામાં આવ્યો હતો. જેમાં અમીત ચાવડા દ્વારા મુકવામાં આવેલા પોલની બીજી બાજુના ફોટો શેર કરાયો હતો. બંન્ને તરફના ફોટો જોતા અમીત ચાવડા દ્વારા કરવામાં આવેલો દાવો એક તરફી હોવાનું તારણ સામે આવ્યું હતું.
More #Airport #ઉદ્યોગપતિ #adani #Amit Chawda #Ahmedaba News
પ્રદેશ કોંગ્રેસ પ્રુમખ અમિત ચાવડા દ્વારા ટ્વીટ કરીને અમદાવાદ એરપોર્ટનું નામ અદાણી એરપોર્ટ કરી દીધું હોવાનું જણાવ્યું હતું
ટ્વીટર પર અન્ય એકાઉન્ટ દ્વારા પોલની બીજી બાજુના ફોટો મુકતા વિરોધ એકતરફી હોવાનું તારણ સામે આવ્યું
WatchGujarat. તાજેતરમાં દેશના કેટલાય એરપોર્ટનું ખાનગીકરણ કરીને તેમને અદાણી જુથને સોંપી દેવામાં આવ્યા છે. શનિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ટ્વીટ કરીને અમદાવાદ એરપોર્ટનું નામ અદાણી એરપોર્ટ કરી દીધું હોવાનું જણાવ્યું હતું. જો કે તેમના ટ્વીટ કરાયેલી તસ્વીર એક તરફની સચ્ચાઇ બતાવતી હતી. જો કે, પોલની બીજી બાજુ સરદાર વલ્લભ ભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું બોર્ડ જોવા મળ્યું હોવાનો દાવો અનેક ટ્વીટર હેન્ડલ દ્વારા કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સરદાર વિરોધી, અદાણી પ્રેમી ભાજપા સરદાર પટેલના નામથી ફક્ત પોતાના રાજકાજને ચમકાવનારી ભ્રષ્ટ ભાજપ સરકારે પોતાના ઉદ્યોગપતિ મિત્રની ખિદમતમાં ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગાયબ કરીને અદાણી એરપોર્ટ કરી દીધું. બેશર્મ ભાજપા.
જો કે ગુજરાતના સક્રીય ટ્વીટર એકાઉન્ટ દ્વારા તુરંત જ પોલની બીજી બાજુનો ફોટો મુકવામાં આવ્યો હતો. જેમાં અમીત ચાવડા દ્વારા મુકવામાં આવેલા પોલની બીજી બાજુના ફોટો શેર કરાયો હતો. બંન્ને તરફના ફોટો જોતા અમીત ચાવડા દ્વારા કરવામાં આવેલો દાવો એક તરફી હોવાનું તારણ સામે આવ્યું હતું.
More #Airport #ઉદ્યોગપતિ #adani #Amit Chawda #Ahmedaba News