ભરૂચ. શહેરથી 36 કિમી દુર આવેલા વાલિયા તાલુકાના ધારોલીમાં ભૂકંપનું એપી સેન્ટર છે. ભૂકંપની તીવ્રતાં 4.4 મેગ્નિટ્યુડ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ આસપાસના વિસ્તારના લોકોએ 3 સેકન્ડ જેટલો ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો છે. જો કે વડોદરા, સુરત, અંકલેશ્વર સહિતની શહેરોમાં ભુકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા.
કોરોના મહામારીને કારણે છેલ્લા 8 મહિનાથી સામાન્ય જનજીવન ખોરવાયું હતું. લોકો તહેવાર પહેલા સામાન્ય જનજીવન તરફ વળી રહ્યા હતા કે શનિવારે મોડી બપોરે 3-40 મીનીટની આસપાસ અનેક વિસ્તારોમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. જેને કારણે લોકો તુરંત રસ્તા પર દોડી આવ્યા હતા. તહેવાર ટાણે એક તરફ માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોનાનો કહેર મહિનાઓ બાદ ઓછો થયો હોય તેમ દેખાઇ રહ્યું છે. તેવા સમયે ભુકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. 2020 ના અંતમાં માંડ લોકો પોતાના સામાન્ય જીવનમાં પરત ફરી રહ્યા હતા.
પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચથી 36 કિમી દુર આવેલા વાલિયા તાલુકાના ધારોલીમાં ભૂકંપનું એપી સેન્ટર છે. ભૂકંપની તીવ્રતાં 4.4 મેગ્નિટ્યુડ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ આસપાસના વિસ્તારના લોકોએ 3 સેકન્ડ જેટલો ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો છે. જો કે વડોદરા, સુરત, અંકલેશ્વર સહિતની શહેરોમાં ભુકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. આવનાર સમયમાં ભરૂચ સિવાયના શહેરોમાં ભુકંપના આંચકાની તિવ્રતા અને એપીસેન્ટર અંગે વધુ સ્પષ્ટતા થશે.
ભરૂચ. શહેરથી 36 કિમી દુર આવેલા વાલિયા તાલુકાના ધારોલીમાં ભૂકંપનું એપી સેન્ટર છે. ભૂકંપની તીવ્રતાં 4.4 મેગ્નિટ્યુડ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ આસપાસના વિસ્તારના લોકોએ 3 સેકન્ડ જેટલો ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો છે. જો કે વડોદરા, સુરત, અંકલેશ્વર સહિતની શહેરોમાં ભુકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા.
કોરોના મહામારીને કારણે છેલ્લા 8 મહિનાથી સામાન્ય જનજીવન ખોરવાયું હતું. લોકો તહેવાર પહેલા સામાન્ય જનજીવન તરફ વળી રહ્યા હતા કે શનિવારે મોડી બપોરે 3-40 મીનીટની આસપાસ અનેક વિસ્તારોમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. જેને કારણે લોકો તુરંત રસ્તા પર દોડી આવ્યા હતા. તહેવાર ટાણે એક તરફ માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોનાનો કહેર મહિનાઓ બાદ ઓછો થયો હોય તેમ દેખાઇ રહ્યું છે. તેવા સમયે ભુકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. 2020 ના અંતમાં માંડ લોકો પોતાના સામાન્ય જીવનમાં પરત ફરી રહ્યા હતા.
પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચથી 36 કિમી દુર આવેલા વાલિયા તાલુકાના ધારોલીમાં ભૂકંપનું એપી સેન્ટર છે. ભૂકંપની તીવ્રતાં 4.4 મેગ્નિટ્યુડ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ આસપાસના વિસ્તારના લોકોએ 3 સેકન્ડ જેટલો ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો છે. જો કે વડોદરા, સુરત, અંકલેશ્વર સહિતની શહેરોમાં ભુકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. આવનાર સમયમાં ભરૂચ સિવાયના શહેરોમાં ભુકંપના આંચકાની તિવ્રતા અને એપીસેન્ટર અંગે વધુ સ્પષ્ટતા થશે.