200 લોકોને રમાડવાની શરતે ગરબાના આયોજનની વિચારણા.
સરકાર દ્વારા હજી કોઈ જ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગાંધીનગર. કોરોના કાળમાં નવરાત્રીનાં આયોજન અંગે રાજ્ય સરકાર દ્વારા ફેર વિચારણા કરવામાં આવી રહી છે. જેને પગલે ગરબા રમવાની છુટછાટ મળી શકે તેવાં સંજોગોનું નિર્માણ થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત નવરાત્રી ઉત્સવો સ્થગિત કરી દેવાયાં છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાતીઓના મનપસંદ તહેવાર નવરાત્રી નજીક આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી નવરાત્રીના આયોજનને લઇને લોકોમાં અનેક તર્ક-વિકતર્કો થઇ રહ્યા છે. ત્યારે, મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, 200 લોકોની હાજરીની શરતે નવરાત્રીના આયોજનની છૂટ આપવા અંગે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. બીજી તરફ જાહેર સ્થળો પર થતા નવરાત્રીના મોટા આયોજન પર પ્રતિબંધ લાગી શકે છે.
બીજી તરફ રુમઝુમ કરતા આવતા નોરતામાં ગરબે ઘુમવા માટે અત્યારથી જેમના પગ થનગની રહ્યા છે તેવા ખેલૈયા માટે એક સારા સમાચાર છે. ખેલૈયાઓને અનલોક 5ની ગાઇડલાઇન મુજબ ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવી શકે છે. જોકે, આ સમગ્ર બાબતે અંતિમ નિર્ણય લેવાયો નથી તેમજ સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
200 લોકોને રમાડવાની શરતે ગરબાના આયોજનની વિચારણા.
સરકાર દ્વારા હજી કોઈ જ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગાંધીનગર. કોરોના કાળમાં નવરાત્રીનાં આયોજન અંગે રાજ્ય સરકાર દ્વારા ફેર વિચારણા કરવામાં આવી રહી છે. જેને પગલે ગરબા રમવાની છુટછાટ મળી શકે તેવાં સંજોગોનું નિર્માણ થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત નવરાત્રી ઉત્સવો સ્થગિત કરી દેવાયાં છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાતીઓના મનપસંદ તહેવાર નવરાત્રી નજીક આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી નવરાત્રીના આયોજનને લઇને લોકોમાં અનેક તર્ક-વિકતર્કો થઇ રહ્યા છે. ત્યારે, મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, 200 લોકોની હાજરીની શરતે નવરાત્રીના આયોજનની છૂટ આપવા અંગે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. બીજી તરફ જાહેર સ્થળો પર થતા નવરાત્રીના મોટા આયોજન પર પ્રતિબંધ લાગી શકે છે.
બીજી તરફ રુમઝુમ કરતા આવતા નોરતામાં ગરબે ઘુમવા માટે અત્યારથી જેમના પગ થનગની રહ્યા છે તેવા ખેલૈયા માટે એક સારા સમાચાર છે. ખેલૈયાઓને અનલોક 5ની ગાઇડલાઇન મુજબ ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવી શકે છે. જોકે, આ સમગ્ર બાબતે અંતિમ નિર્ણય લેવાયો નથી તેમજ સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.