શંકરસિંહ વાઘેલા ચુંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા પાર્ટીને ફાયદો થશે તેમ મનાઇ રહ્યું છે
શંકરસિંહ વાધેલાએ ટુંકા ગાળા માટે રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો
અગાઉ શંકરસિંહ 20 મી ઓગસ્ટ 1996 ના રોજ સમર્થકો સાથે ભાજપથી અલગ થયા
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના દિગ્ગ્જ નેતા અને પૂર્વ CM શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઇ રહ્યાની અટકળો તેજ બની છે. આ અંગે શંકરસિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વિડીયો મેસેજ લોકો સમક્ષ મુક્યો હતો. શંકરસિંહની ઘર વાપસી કરાવવા ભરતસિંહ સોલંકી મધ્યસ્થી મધ્યસ્થી કરી રહ્યા છે.હવે કોંગ્રેસ હાઇકમાન્ડ બાપુની રી એન્ટ્રી પર મહોર લગાવે તેવી સંભાવના છે. બાપુની કોંગ્રેસમાં રી એન્ટ્રીથી કોંગ્રેસને ફાયદો થશે તેમ મનાઇ રહ્યું છે.
https://twitter.com/ShankersinhBapu/status/1356908682349535233?s=20
શંકરસિંહે 77માં જન્મદિવસ પર કોંગ્રેસ છોડી
શંકરસિંહ વાઘેલાએ પોતાના 77માં જન્મદિવસ પર કોંગ્રેસ છોડી હતી. તેઓએ કહ્યુ હતુ કે, તેઓ કોંગ્રેસ મુક્ત થાય છે. અને કોઈ પક્ષમાં જોડવવાના નથી. જો કે, બાદમાં તેઓ એનસીપીમાં સામેલ થયા હતા. ત્યાર બાદ પોતાની પાર્ટી બનાવી હતી. અને રાજકીય મુદ્દાઓ પર લોકોનો અવાજ ઉઠાવતા હતા.
શંકરસિંહ વાઘેલા વિશે જાણો વધુ
શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગરના વસાણ ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો છે. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સક્રિય સભ્ય હતા. પછી તેઓ જનસંઘ માં જોડાયા જે બાદમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઇ. તેમણે ગુજરાતમાં આરએસએસ અને ભાજપ સંગઠનનું કામ કર્યું છે. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.
શંકરસિંહને રાજકારણનો અનુભવ
તેમણે 1977 માં 6 ઠ્ઠી, 9 મી, 10 મી, 13 મી અને 14 મી લોકસભામાં ચુંટાયેલા સંસદના સભ્ય તરીકે પણ સેવા આપી છે. તેઓ 1984 થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા.1977 થી 1980 દરમિયાન તેમણે ગુજરાતમાં જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને 1980 થી 1991 સુધી તેમણે મહામંત્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રમુખ તરીકે સેવા આપી છે. 1995 માં ભાજપ 121 બેઠક જીતીને સત્તામાં આવી. ત્યારે તેઓ સીએમની દાવેદારીમાં સૌથી આગળ હોવાનું કહેવાતું હતું, પણ રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલની સીએમ તરીકેની પસંદગી કરી હતી. આ કારણે તેમનાં સમર્થકો ખુબજ નારાજ થયા અને વાઘેલા 20 મી ઓગસ્ટ 1996 ના રોજ, સમર્થકો સાથે, ભાજપથી અલગ થયા. ઓક્ટોબર 1997 માં તેઓ અન્ય પાર્ટીના સમર્થન લઇ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.
શંકરસિંહ વાઘેલા ચુંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા પાર્ટીને ફાયદો થશે તેમ મનાઇ રહ્યું છે
શંકરસિંહ વાધેલાએ ટુંકા ગાળા માટે રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો
અગાઉ શંકરસિંહ 20 મી ઓગસ્ટ 1996 ના રોજ સમર્થકો સાથે ભાજપથી અલગ થયા
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના દિગ્ગ્જ નેતા અને પૂર્વ CM શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઇ રહ્યાની અટકળો તેજ બની છે. આ અંગે શંકરસિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વિડીયો મેસેજ લોકો સમક્ષ મુક્યો હતો. શંકરસિંહની ઘર વાપસી કરાવવા ભરતસિંહ સોલંકી મધ્યસ્થી મધ્યસ્થી કરી રહ્યા છે.હવે કોંગ્રેસ હાઇકમાન્ડ બાપુની રી એન્ટ્રી પર મહોર લગાવે તેવી સંભાવના છે. બાપુની કોંગ્રેસમાં રી એન્ટ્રીથી કોંગ્રેસને ફાયદો થશે તેમ મનાઇ રહ્યું છે.
શંકરસિંહ વાઘેલાએ પોતાના 77માં જન્મદિવસ પર કોંગ્રેસ છોડી હતી. તેઓએ કહ્યુ હતુ કે, તેઓ કોંગ્રેસ મુક્ત થાય છે. અને કોઈ પક્ષમાં જોડવવાના નથી. જો કે, બાદમાં તેઓ એનસીપીમાં સામેલ થયા હતા. ત્યાર બાદ પોતાની પાર્ટી બનાવી હતી. અને રાજકીય મુદ્દાઓ પર લોકોનો અવાજ ઉઠાવતા હતા.
શંકરસિંહ વાઘેલા વિશે જાણો વધુ
શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગરના વસાણ ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો છે. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સક્રિય સભ્ય હતા. પછી તેઓ જનસંઘ માં જોડાયા જે બાદમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઇ. તેમણે ગુજરાતમાં આરએસએસ અને ભાજપ સંગઠનનું કામ કર્યું છે. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.
શંકરસિંહને રાજકારણનો અનુભવ
તેમણે 1977 માં 6 ઠ્ઠી, 9 મી, 10 મી, 13 મી અને 14 મી લોકસભામાં ચુંટાયેલા સંસદના સભ્ય તરીકે પણ સેવા આપી છે. તેઓ 1984 થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા.1977 થી 1980 દરમિયાન તેમણે ગુજરાતમાં જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને 1980 થી 1991 સુધી તેમણે મહામંત્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રમુખ તરીકે સેવા આપી છે. 1995 માં ભાજપ 121 બેઠક જીતીને સત્તામાં આવી. ત્યારે તેઓ સીએમની દાવેદારીમાં સૌથી આગળ હોવાનું કહેવાતું હતું, પણ રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલની સીએમ તરીકેની પસંદગી કરી હતી. આ કારણે તેમનાં સમર્થકો ખુબજ નારાજ થયા અને વાઘેલા 20 મી ઓગસ્ટ 1996 ના રોજ, સમર્થકો સાથે, ભાજપથી અલગ થયા. ઓક્ટોબર 1997 માં તેઓ અન્ય પાર્ટીના સમર્થન લઇ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.