WatchGujarat હાલ મોટા પ્રમાણમાં ઘણા લોકોમાં યુરીક એસિડ વધી જવાની સમસ્યા જોવા મળી રહી છે.ક્યારેક હાથ અને પગના સાંધા કે આંગળીઓમાં તીવ્ર દુખાવો થાય છે.અને ક્યારેક તો ઘૂંટણ વાંકા વડવામમાં પણ તકલીફ પડે છે.તેથી આ બધા લક્ષણો યુરિક એસિડ વધી જવાથી થતા હોય શકે છે.આ બધી સમસ્યાને અવગણવાની ભૂલ આપણે પાછળથી મોટી સમસ્યાઓ તરફ લઇ જઈ શકે છે.
આ તમામ સમસ્યાઓ સમય સમય પર આરોગ્ય તપાસ કરાવીને શોધી શકાય છે, જેના કારણે સમયસર સારવાર થઈ શકે છે. તેથી જો યુરિક એસિડમાં થોડો વધારો થયો હોય, તો પછી તેની સારવાર ઘરે જ શક્ય છે, પરંતુ જો તે ખૂબ વધારે હોય, તો ડોક્ટરની સલાહ લેવી યોગ્ય રહેશે.
યુરીક એસિડ નિયંત્રણમાં રાખવાના ઉપાયો :-
ડુંગળી: ડુંગળીને ખોરાકમાં અલગ અલગ રીતે સામેલ કરો. આ યુરિક એસિડને નિયંત્રણમાં રાખે છે.
પુષ્કળ પાણી પીવો: પૂરતું પાણી પીવાથી ઘણી સમસ્યાઓ દૂર રહે છે, જેમાંથી વધેલ યુરિક એસિડ પણ ઘટે છે.
એપલ સાઈડર વિનેગર: એપલ સાઈડર વિનેગર માત્ર વજન ઘટાડવામાં અસરકારક નથી, પણ તમે તેનો ઉપયોગ યુરિક એસિડ ઘટાડવા માટે પણ કરી શકો છો.
Vitamin C : તમારા આહારમાં નારંગી, આમળા જેવા વિટામિન સીથી ભરપૂર ફળોનો સમાવેશ કરો. જેના કારણે એક - બે મહિનામાં યુરિક એસિડ સામાન્ય થવા લાગશે.
અજમો : અજમાના દૈનિક વપરાશથી યુરિક એસિડ પણ ઘટાડી શકાય છે.
યુરિક એસિડ કેમ વધે છે ?તે પાછળના કારણો
- ખોટી જીવનશૈલી અને ખાવાની ટેવ
- ડાયાબિટીસની દવાઓથી થઇ શકે છે
- ખૂબ ઉપવાસ કરવાથી
લાલ માંસ, સીફૂડ, મશરૂમ્સ, મસૂર, રાજમા, ટામેટા, ભીંડા, પનીર, ચોખાના વધુ પડતા વપરાશને કારણે પણ યુરીક એસિડમાં વધારો થાય છે.
બ્લડ પ્રેશરની ગોળીઓ. કેન્સરની સારવાર માટે વપરાતી દવાઓ અને પેઇનકિલર પણ યુરિક એસિડ વધારે છે.
યુરિક એસિડને વધતું અટકાવા માટે આ વસ્તુનું સેવન ટાળો
1 . આલ્કોહોલ પીવાનું સંપૂર્ણપણે ટાળો, ખાસ કરીને બીયર.
2. ધૂમ્રપાનની આદત પણ છોડી દો.
ચોખા, અથાણાં, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, પેક્ડ ફૂડ દરેક રીતે નુકસાનકારક છે. તેથી તમે જેટલું ઓછું વપરાશ કરો તેટલું સારું રહેશે.
WatchGujarat હાલ મોટા પ્રમાણમાં ઘણા લોકોમાં યુરીક એસિડ વધી જવાની સમસ્યા જોવા મળી રહી છે.ક્યારેક હાથ અને પગના સાંધા કે આંગળીઓમાં તીવ્ર દુખાવો થાય છે.અને ક્યારેક તો ઘૂંટણ વાંકા વડવામમાં પણ તકલીફ પડે છે.તેથી આ બધા લક્ષણો યુરિક એસિડ વધી જવાથી થતા હોય શકે છે.આ બધી સમસ્યાને અવગણવાની ભૂલ આપણે પાછળથી મોટી સમસ્યાઓ તરફ લઇ જઈ શકે છે.
આ તમામ સમસ્યાઓ સમય સમય પર આરોગ્ય તપાસ કરાવીને શોધી શકાય છે, જેના કારણે સમયસર સારવાર થઈ શકે છે. તેથી જો યુરિક એસિડમાં થોડો વધારો થયો હોય, તો પછી તેની સારવાર ઘરે જ શક્ય છે, પરંતુ જો તે ખૂબ વધારે હોય, તો ડોક્ટરની સલાહ લેવી યોગ્ય રહેશે.
યુરીક એસિડ નિયંત્રણમાં રાખવાના ઉપાયો :-
- ડુંગળી: ડુંગળીને ખોરાકમાં અલગ અલગ રીતે સામેલ કરો. આ યુરિક એસિડને નિયંત્રણમાં રાખે છે.
- પુષ્કળ પાણી પીવો: પૂરતું પાણી પીવાથી ઘણી સમસ્યાઓ દૂર રહે છે, જેમાંથી વધેલ યુરિક એસિડ પણ ઘટે છે.
- એપલ સાઈડર વિનેગર: એપલ સાઈડર વિનેગર માત્ર વજન ઘટાડવામાં અસરકારક નથી, પણ તમે તેનો ઉપયોગ યુરિક એસિડ ઘટાડવા માટે પણ કરી શકો છો.
- Vitamin C : તમારા આહારમાં નારંગી, આમળા જેવા વિટામિન સીથી ભરપૂર ફળોનો સમાવેશ કરો. જેના કારણે એક - બે મહિનામાં યુરિક એસિડ સામાન્ય થવા લાગશે.
- અજમો : અજમાના દૈનિક વપરાશથી યુરિક એસિડ પણ ઘટાડી શકાય છે.
યુરિક એસિડ કેમ વધે છે ?તે પાછળના કારણો
- ખોટી જીવનશૈલી અને ખાવાની ટેવ
- ડાયાબિટીસની દવાઓથી થઇ શકે છે
- ખૂબ ઉપવાસ કરવાથી
લાલ માંસ, સીફૂડ, મશરૂમ્સ, મસૂર, રાજમા, ટામેટા, ભીંડા, પનીર, ચોખાના વધુ પડતા વપરાશને કારણે પણ યુરીક એસિડમાં વધારો થાય છે.
બ્લડ પ્રેશરની ગોળીઓ. કેન્સરની સારવાર માટે વપરાતી દવાઓ અને પેઇનકિલર પણ યુરિક એસિડ વધારે છે.
યુરિક એસિડને વધતું અટકાવા માટે આ વસ્તુનું સેવન ટાળો
1 . આલ્કોહોલ પીવાનું સંપૂર્ણપણે ટાળો, ખાસ કરીને બીયર.
2. ધૂમ્રપાનની આદત પણ છોડી દો.
ચોખા, અથાણાં, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, પેક્ડ ફૂડ દરેક રીતે નુકસાનકારક છે. તેથી તમે જેટલું ઓછું વપરાશ કરો તેટલું સારું રહેશે.