પંચમહાલ જિલ્લાના એક ગામમાં રહેતા પતિએ 6 વર્ષ પહેલા થયેલા લગ્નનો અંત આણ્યો
દુકાન ચલાવતા પતિને બીજા લગ્ન કરવાની ઇચ્છા હોવાથી પત્નીને પિયર કાઢી મુકી
છોકરીના પિતાએ સમાધાન કરીને તેને પરત સાસરે મોકલી
સાસરે ગયા બાદ 24 કલાકમાં પતિએ નિંદ્રાધીન પત્નીની હત્યા કરી નાંખી
WatchGujarat. પંચમહાલ જિલ્લામાં આવેલા એક ગામમાં પતિએ આડાસંબંધની આશંકાએ પોતાની જ પત્નિની ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. બીજા લગ્ન કરવા માટે પતિએ પોતાની પત્નિનો કાંટો કાઢવા માટે હત્યા કરી નાખી હતી. સમગ્ર મામલે પોલીસે પત્નિની હત્યા કરનાર પતિની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘોઘંબા તાલુકાના તરીયાવેરી ગામે રહેતા ગોરધનભાઈ ધનજીભાઈ રાઠવાએ 6 વર્ષ પહેલા હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે રહેતા ગુમાનભાઈ ચામડભાઈ રાઠવાની પુત્રી મંજુલાબેન સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન દંપત્તિને સંતાનમાં પુત્રી છે. પુત્રીની ઉંમર પાંચ વર્ષ છે.
ગોરધનભાઈ ધનજીભાઈ રાઠવા દુકાન ચલાવતા હતા. તેમને ધંધો સારો ચાલતો હતો. પરંતુ તે બીજી વખત લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા અને તેની પત્નીને છુટાછેડા આપવા માંગતો હોવાને કારણે પત્ની પર અગાઉ આડા સંબંધનો ખોટો આરોપ મુકીને તેના પિયરમાં મુકી આવ્યો હતો. પોતાના પિયરમાં રહેવા ગયેલા પિતા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારો પતિ મારા ઉપર આડા સંબંધનો આરોપ મૂકી મારઝૂડ કરે છે અને નાની છોકરી મૂકી બીજું કોઈ ઘર કરવું નથી અને હું મરીશ કે જીવીશ પરંતુ મારા પતિ સાથે રહીશ.
પુત્રીની વાત સાંભળીને તેના પિતા ડઘાઇ ગયા હતા. અને સમસ્યાનું સમાઘાન લાવવા માટે સામાજિક આવગેવાનોનો પંચ બોલાવીને મામલો થાળો પાડ્યો હતો. અને પુત્રીને સાસરે મોકલી આપવામાં આવી હતી. પરંતુ પુત્રીને સાસરે મોકલ્યાના 24 કલાકમાં જ હત્યાની તેના પતિએ તેની હત્યાને અંજામ આપી દીધો હતો. સાસરીમાં મંજુલા ખાટલામાં સુતી હતી ત્યારે તેના પતિએ ઠંડા કલેજે દોરડી વળે ગળે ટુંપો દઇને તેના જીવનનો અંત આણી દીધો હતો. જેને પગલે તેમની પુત્રીએ માતાનું છત્ર ગુમાવ્યું હતું.
સમગ્ર મામલો બહાર આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઇ હતી. મામલે રાજગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં પત્નીની ઠંડા કલેજે હત્યા કરનારા પતિની ધરપકડ કરી હતી.
પંચમહાલ જિલ્લાના એક ગામમાં રહેતા પતિએ 6 વર્ષ પહેલા થયેલા લગ્નનો અંત આણ્યો
દુકાન ચલાવતા પતિને બીજા લગ્ન કરવાની ઇચ્છા હોવાથી પત્નીને પિયર કાઢી મુકી
છોકરીના પિતાએ સમાધાન કરીને તેને પરત સાસરે મોકલી
સાસરે ગયા બાદ 24 કલાકમાં પતિએ નિંદ્રાધીન પત્નીની હત્યા કરી નાંખી
WatchGujarat. પંચમહાલ જિલ્લામાં આવેલા એક ગામમાં પતિએ આડાસંબંધની આશંકાએ પોતાની જ પત્નિની ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. બીજા લગ્ન કરવા માટે પતિએ પોતાની પત્નિનો કાંટો કાઢવા માટે હત્યા કરી નાખી હતી. સમગ્ર મામલે પોલીસે પત્નિની હત્યા કરનાર પતિની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘોઘંબા તાલુકાના તરીયાવેરી ગામે રહેતા ગોરધનભાઈ ધનજીભાઈ રાઠવાએ 6 વર્ષ પહેલા હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે રહેતા ગુમાનભાઈ ચામડભાઈ રાઠવાની પુત્રી મંજુલાબેન સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન દંપત્તિને સંતાનમાં પુત્રી છે. પુત્રીની ઉંમર પાંચ વર્ષ છે.
ગોરધનભાઈ ધનજીભાઈ રાઠવા દુકાન ચલાવતા હતા. તેમને ધંધો સારો ચાલતો હતો. પરંતુ તે બીજી વખત લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા અને તેની પત્નીને છુટાછેડા આપવા માંગતો હોવાને કારણે પત્ની પર અગાઉ આડા સંબંધનો ખોટો આરોપ મુકીને તેના પિયરમાં મુકી આવ્યો હતો. પોતાના પિયરમાં રહેવા ગયેલા પિતા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારો પતિ મારા ઉપર આડા સંબંધનો આરોપ મૂકી મારઝૂડ કરે છે અને નાની છોકરી મૂકી બીજું કોઈ ઘર કરવું નથી અને હું મરીશ કે જીવીશ પરંતુ મારા પતિ સાથે રહીશ.
પુત્રીની વાત સાંભળીને તેના પિતા ડઘાઇ ગયા હતા. અને સમસ્યાનું સમાઘાન લાવવા માટે સામાજિક આવગેવાનોનો પંચ બોલાવીને મામલો થાળો પાડ્યો હતો. અને પુત્રીને સાસરે મોકલી આપવામાં આવી હતી. પરંતુ પુત્રીને સાસરે મોકલ્યાના 24 કલાકમાં જ હત્યાની તેના પતિએ તેની હત્યાને અંજામ આપી દીધો હતો. સાસરીમાં મંજુલા ખાટલામાં સુતી હતી ત્યારે તેના પતિએ ઠંડા કલેજે દોરડી વળે ગળે ટુંપો દઇને તેના જીવનનો અંત આણી દીધો હતો. જેને પગલે તેમની પુત્રીએ માતાનું છત્ર ગુમાવ્યું હતું.
સમગ્ર મામલો બહાર આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઇ હતી. મામલે રાજગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં પત્નીની ઠંડા કલેજે હત્યા કરનારા પતિની ધરપકડ કરી હતી.