Watch Gujarat. કોરોના મહામારીની ગંભીર બની રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના આયુષ મંત્રાલય દ્વારા રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવામાં સહાયરૂપ થાય તેવાં ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો સૂચવ્યા છે. જે નીચે મુજબ છે.
સૂર્યોદય પહેલાં જાગવું. પ્રમાણસસરની ઉંઘ લેવી.
જમીને ડાબા પડખે ૩૦ મિનિટ સુધી વામકુક્ષિ આરામ કરવો.
સૂક્ષ્મ વ્યાયામ જેવી હળવી કસરત કરવી, રોજ ઓછામાં ઓછી 30 મિનિટ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરવું.
હર્બલ ટી/ઉકાળો – તુલસી – તજ - કાળા મરી - સૂંઠ અને મુનક્કા અથવા કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા ઉકાળો પીવો. એમાં ગોળ અને તાજા લીંબુનો રસ ઉમેરી શકાય.
ગોલ્ડન મિલ્ક - અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં ઉમેરી દિવસમાં એક કે બે વાર લેવું.
અજમા – ફૂદીનાનો નાસ લેવો.
ગરમ પાણીમાં હળદર - મીઠું નાખી કોગળા કરવા.
સૂર્યના કુણા તડકાનું સેવન કરવું.
ઘર, સંસ્થાઓમાં કપૂર, ગુગળ, લીમડાના પાન, સરસવ, અડાયા છાણા અને ગાયનું ઘી નાખી ધુપ કરવો.
નસ્ય-બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી ના એક બે ટીપાં નાખવા
દિવસભર ગરમ પાણી પીવું.
કફ, શરદી, શ્વાસ અને કોવિડ સંબંધિત તકલીફ હોય તેમણે ૧ ચમચી સૂંઠ ૨ લિટર પાણીમાં નાખીને ૧ લિટર વધે ત્યાં સુધી સવારે ઉકાળવું અને નવશેકું ગરમ દિવસ ભર લેવું વધુ હિતાવહ છે.