કોરોનાની સેકન્ડ વેવ પર કાબુ મેળવવા માટે ફર્સ્ટ વેવમાં કારગર નિવડેલી સ્ટ્રેટર્જી પર કામ કરવામાં આવશે
ગત રોજ પ્રધાનમંત્રી દ્વારા તમામ રાજ્યના સી.એમ. સાથે મહત્વની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
હવે વેક્સીનેશનનો વ્યાપ વધારવા માટે નેશનલ સોશિયલ સર્વિસ (NSS) અને નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના વોલંટીયર્સની મદદ પણ લેવામાં આવશે
કોરોનાને નાથવા માટે મંદિરો તથા ભીડભાડ વાળી જગ્યાઓ પર લોકો એકત્ર ન થાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે
WatchGujarat. કોરોનાનો કહેર વધતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચિંતીત છે. ગતરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે કોરોનાની સ્થિતીને નાથવા અંગે મહત્વની મિટીંગ કરી હતી. અને તે અંગે અનેક મહત્વના સુચન કર્યા હતા. હવે રાત્રી કર્ફ્યુને કોરોના કર્ફ્યુ (#CORONACURFEW) તરીકે ઓળખવામાં આવશે.
કોરોનાની પ્રથમ વેવ દરમિયાન વર્ષ 2020 માં મોટાભાગની રાજ્ય સરકાર દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોન - માઇક્રો કન્ટેઇન્મેન્ટની સ્ટ્રેટર્જી પર કામ કરવામાં આવ્યું હતું. જેને લઇને મહદઅંશે કોરોનાને જે તે સમયે નાથવા માટે સફળતા મળી હતી. કોરોના કેસોમાં ઘટાડો થતા જ વહીવટી તંત્ર અને લોકો નિશ્ચિંત બન્યા હતા. અને જાણે કોરોના છે જ નહિ તેમ માનીને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું ટાળતા હતા. જેને લઇને કોરોનાની બીજી વેવમાં વધુ ઝડપથી લોકો સંક્રમિત થઇ રહ્યા છે. અને કોરોના પોઝીટીવ કેસોમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે. જેને લઇને હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ચિંતીત છે.
સમગ્ર મામલે ગતરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે મિટીંગ યોજી હતી. સાથે મિટીંગ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આધારભુત સુત્રના જણાવ્યા પ્રમાણે હવે ગુજરાતમાં રાત્રી કર્ફ્યુને કોરોના કર્ફ્યુ તરીકે ઓળખવામાં આવશે. તેની સાથે કોરોના પોઝીટીવ કેસો જ્યાં વધારે છે ત્યાં કન્ટેઇન્મેન્ટ ઝોન – માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન તૈયાર કરવામાં આવશે. અને તેનું કડકાઇ પુર્વક અમલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાત્રી કર્ફ્યુનું નામ કોરોના કર્ફ્યુ (#CORONACURFEW) સિવાય કોઇ મહત્વના નવા મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
વર્ષ - 2020 માં કોરોનાની પ્રથમ વેવ વખતે સરકારી તંત્ર દ્વારા વડોદરા તથા રાજ્યના તમામ શહેરોમાં કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યા હતા. અને ફરી એક વખત કોરોના કેસોમાં વધારો થતા કન્ટેઇનમેન્ટ – માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની ઓળખ કરવાની ફરજ પડી છે. કન્ટેઇનમેન્ટ ઝોન માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પતરા મારી ને ચોક્કસ સમય સુધી સમગ્ર વિસ્તારનું મોનીટરીંગ કરવામાં આવશે. અને તેમાં પોલીસ બંદોબસ્તનો ઉપયોગ કરવામાં આવશે. તથા હેલ્થ વર્કર્સની જેમ પોલીસ કર્મીઓ પણ કોરોના વોરીયર્સની ભુમિકા ભજવી રહ્યા છે. રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ કર્મીઓને વેક્સીન મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.
તેની સાથે કોરોનાને નાથવા માટે મંદિરો તથા ભીડભાડ વાળી જગ્યાઓ પર લોકો એકત્ર ન થાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. જે જગ્યાઓ પર ભીડ નિયંત્રણ કરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યાં કામગીરીને વધુ સઘન બનાવવામાં આવશે.
કોરોના પર કાબુ મેળવવા માટે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાની સાથે વેક્સીનેશન પર પણ વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. હાલ સરકાર દ્વારા 45 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા લોકોને વેક્સીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વેક્સીનેશનનો વ્યાપ વધારવા માટે નેશનલ સોશિયલ સર્વિસ (NSS) અને નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના વોલંટીયર્સની મદદ પણ લેવામાં આવશે.
ઉપરોક્ત મુદ્દે કામગીરી કરવા કોરોના કર્ફ્યુ (#CORONACURFEW) સહિતના નિર્ણય અંગે રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં નોટીફીકેશન બહાર પાડવામાં આવશે. આમ, કોરોનાને નાથવા માટે પ્રથમ વેવમાં સફળતા મળ્યા હોય તેવા પગલાઓનું પુનરાવર્તન કરવામાં આવશે. અને બીજી વેવમાં સર્જાયેલી સ્થિતી પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખીય છે કે, ગત રોજ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા સુચનોમાં રાત્રી કર્ફ્યુનું નામ બદલીને કોરોના કર્ફ્યુ તરીકે ઓળખવાની વાત નવી હતી. તેના સિવાય કરવામાં આવેલા કોરોનાના ટેસ્ટીંગમાં વધારો, કેસો વધુ હોય તેવા વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન – માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવા, રાત્રી કર્ફ્યુનો અમલ કરવા સહિતના પગલા સરકાર લઇ રહી હતી. અને તેના કારણે લાભ થયો હોવાનું ખુદ પ્રધાનમંત્રી પણ માને છે.
કોરોનાની સેકન્ડ વેવ પર કાબુ મેળવવા માટે ફર્સ્ટ વેવમાં કારગર નિવડેલી સ્ટ્રેટર્જી પર કામ કરવામાં આવશે
ગત રોજ પ્રધાનમંત્રી દ્વારા તમામ રાજ્યના સી.એમ. સાથે મહત્વની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
હવે વેક્સીનેશનનો વ્યાપ વધારવા માટે નેશનલ સોશિયલ સર્વિસ (NSS) અને નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના વોલંટીયર્સની મદદ પણ લેવામાં આવશે
કોરોનાને નાથવા માટે મંદિરો તથા ભીડભાડ વાળી જગ્યાઓ પર લોકો એકત્ર ન થાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે
WatchGujarat. કોરોનાનો કહેર વધતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચિંતીત છે. ગતરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે કોરોનાની સ્થિતીને નાથવા અંગે મહત્વની મિટીંગ કરી હતી. અને તે અંગે અનેક મહત્વના સુચન કર્યા હતા. હવે રાત્રી કર્ફ્યુને કોરોના કર્ફ્યુ (#CORONACURFEW) તરીકે ઓળખવામાં આવશે.
કોરોનાની પ્રથમ વેવ દરમિયાન વર્ષ 2020 માં મોટાભાગની રાજ્ય સરકાર દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોન - માઇક્રો કન્ટેઇન્મેન્ટની સ્ટ્રેટર્જી પર કામ કરવામાં આવ્યું હતું. જેને લઇને મહદઅંશે કોરોનાને જે તે સમયે નાથવા માટે સફળતા મળી હતી. કોરોના કેસોમાં ઘટાડો થતા જ વહીવટી તંત્ર અને લોકો નિશ્ચિંત બન્યા હતા. અને જાણે કોરોના છે જ નહિ તેમ માનીને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું ટાળતા હતા. જેને લઇને કોરોનાની બીજી વેવમાં વધુ ઝડપથી લોકો સંક્રમિત થઇ રહ્યા છે. અને કોરોના પોઝીટીવ કેસોમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે. જેને લઇને હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ચિંતીત છે.
સમગ્ર મામલે ગતરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે મિટીંગ યોજી હતી. સાથે મિટીંગ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આધારભુત સુત્રના જણાવ્યા પ્રમાણે હવે ગુજરાતમાં રાત્રી કર્ફ્યુને કોરોના કર્ફ્યુ તરીકે ઓળખવામાં આવશે. તેની સાથે કોરોના પોઝીટીવ કેસો જ્યાં વધારે છે ત્યાં કન્ટેઇન્મેન્ટ ઝોન – માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન તૈયાર કરવામાં આવશે. અને તેનું કડકાઇ પુર્વક અમલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાત્રી કર્ફ્યુનું નામ કોરોના કર્ફ્યુ (#CORONACURFEW) સિવાય કોઇ મહત્વના નવા મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
વર્ષ - 2020 માં કોરોનાની પ્રથમ વેવ વખતે સરકારી તંત્ર દ્વારા વડોદરા તથા રાજ્યના તમામ શહેરોમાં કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યા હતા. અને ફરી એક વખત કોરોના કેસોમાં વધારો થતા કન્ટેઇનમેન્ટ – માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની ઓળખ કરવાની ફરજ પડી છે. કન્ટેઇનમેન્ટ ઝોન માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પતરા મારી ને ચોક્કસ સમય સુધી સમગ્ર વિસ્તારનું મોનીટરીંગ કરવામાં આવશે. અને તેમાં પોલીસ બંદોબસ્તનો ઉપયોગ કરવામાં આવશે. તથા હેલ્થ વર્કર્સની જેમ પોલીસ કર્મીઓ પણ કોરોના વોરીયર્સની ભુમિકા ભજવી રહ્યા છે. રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ કર્મીઓને વેક્સીન મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.
તેની સાથે કોરોનાને નાથવા માટે મંદિરો તથા ભીડભાડ વાળી જગ્યાઓ પર લોકો એકત્ર ન થાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. જે જગ્યાઓ પર ભીડ નિયંત્રણ કરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યાં કામગીરીને વધુ સઘન બનાવવામાં આવશે.
કોરોના પર કાબુ મેળવવા માટે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાની સાથે વેક્સીનેશન પર પણ વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. હાલ સરકાર દ્વારા 45 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા લોકોને વેક્સીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વેક્સીનેશનનો વ્યાપ વધારવા માટે નેશનલ સોશિયલ સર્વિસ (NSS) અને નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના વોલંટીયર્સની મદદ પણ લેવામાં આવશે.
ઉપરોક્ત મુદ્દે કામગીરી કરવા કોરોના કર્ફ્યુ (#CORONACURFEW) સહિતના નિર્ણય અંગે રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં નોટીફીકેશન બહાર પાડવામાં આવશે. આમ, કોરોનાને નાથવા માટે પ્રથમ વેવમાં સફળતા મળ્યા હોય તેવા પગલાઓનું પુનરાવર્તન કરવામાં આવશે. અને બીજી વેવમાં સર્જાયેલી સ્થિતી પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખીય છે કે, ગત રોજ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા સુચનોમાં રાત્રી કર્ફ્યુનું નામ બદલીને કોરોના કર્ફ્યુ તરીકે ઓળખવાની વાત નવી હતી. તેના સિવાય કરવામાં આવેલા કોરોનાના ટેસ્ટીંગમાં વધારો, કેસો વધુ હોય તેવા વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન – માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવા, રાત્રી કર્ફ્યુનો અમલ કરવા સહિતના પગલા સરકાર લઇ રહી હતી. અને તેના કારણે લાભ થયો હોવાનું ખુદ પ્રધાનમંત્રી પણ માને છે.