આરોગ્ય કર્મચારી અને ડૉક્ટરની 91 જેટલી જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી છે
સવારના સામાન્ય કામકાજના કલાકો દરમિયાન કેટલાક બંધ હાલતમાં હતા
94 પીએચસીમાં 89 મેડિકલ ઓફિસરની મંજૂર પોસ્ટની સામે પાંચ જગ્યાઓ લાંબા સમયથી ખાલી
Watchgujarat.ગુજરાતના આર્થિક પાટનગર એવા સુરત જિલ્લાના નવ તાલુકાઓના રહેવાસીઓ ભગવાનની દયા પર જ જીવી રહ્યા છે, કારણ કે કોરોના અને ઓમિક્રોનની ત્રીજી લહેર એક બાજુ માથું ઊંચકી રહી છે તો બીજી તરફ અહીં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) જે લોકોને સારવાર આપવા માટે હોય છે તે દિવસ દરમિયાન બંધ રહે છે, અને આશરે આરોગ્ય કર્મચારી અને ડૉક્ટરની 91 જેટલી જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી છે.
સુરત જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા દર્શન નાયકે જિલ્લાના પીએચસીનું રિયાલિટી ચેક હાથ ધર્યું હતું અને જાણવા મળ્યું હતું કે સવારના સામાન્ય કામકાજના કલાકો દરમિયાન કેટલાક બંધ હાલતમાં હતા અને ઘણા તબીબી અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ ગેરહાજર હતા.
94 પીએચસીમાં 89 મેડિકલ ઓફિસરની મંજૂર પોસ્ટની સામે પાંચ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જિલ્લામાં 14 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC)માં પાંચ લેબોરેટરી ફાર્માસિસ્ટ, 12 વોર્ડ મહિલા, છ વોર્ડ બોય, 53 મહિલા આરોગ્ય કાર્યકરો, 57 પુરુષ આરોગ્ય કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે.
જો કે આટલું પૂરતું નથી તો જિલ્લા આરોગ્ય વિભાગમાં આઠ તાલુકા આરોગ્ય અધિકારીઓની જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી છે. વિપક્ષના ભૂતપૂર્વ નેતા, દર્શન નાયકે જણાવ્યું હતું કે, “કોરોના ની ત્રીજી લહેર જીલ્લામાં મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે, જેમાં ઓમિક્રોન વેરિઅન્ટ દ્વારા આ કેસોમાં તીવ્ર વધારો થયો છે.
સુરત જિલ્લાના નવ તાલુકાના લોકો પાસે કોરોના અને અન્ય સંબંધિત બિમારીઓ અને ઈલાજ માટે સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલોની મુલાકાત લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી”
તેમણે ઉમેર્યું હતું કે, “રાજ્ય સરકાર PHC અને CHCની અસરકારક કામગીરી માટે વિવિધ અનુદાન દ્વારા કરોડો રૂપિયાનું ભંડોળ પૂરું પાડે છે. જો કે સુરત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને શાસક પક્ષ સુરત જિલ્લાના લોકોના આરોગ્ય પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.
આરોગ્ય કર્મચારી અને ડૉક્ટરની 91 જેટલી જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી છે
સવારના સામાન્ય કામકાજના કલાકો દરમિયાન કેટલાક બંધ હાલતમાં હતા
94 પીએચસીમાં 89 મેડિકલ ઓફિસરની મંજૂર પોસ્ટની સામે પાંચ જગ્યાઓ લાંબા સમયથી ખાલી
Watchgujarat.ગુજરાતના આર્થિક પાટનગર એવા સુરત જિલ્લાના નવ તાલુકાઓના રહેવાસીઓ ભગવાનની દયા પર જ જીવી રહ્યા છે, કારણ કે કોરોના અને ઓમિક્રોનની ત્રીજી લહેર એક બાજુ માથું ઊંચકી રહી છે તો બીજી તરફ અહીં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) જે લોકોને સારવાર આપવા માટે હોય છે તે દિવસ દરમિયાન બંધ રહે છે, અને આશરે આરોગ્ય કર્મચારી અને ડૉક્ટરની 91 જેટલી જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી છે.
સુરત જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા દર્શન નાયકે જિલ્લાના પીએચસીનું રિયાલિટી ચેક હાથ ધર્યું હતું અને જાણવા મળ્યું હતું કે સવારના સામાન્ય કામકાજના કલાકો દરમિયાન કેટલાક બંધ હાલતમાં હતા અને ઘણા તબીબી અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ ગેરહાજર હતા.
94 પીએચસીમાં 89 મેડિકલ ઓફિસરની મંજૂર પોસ્ટની સામે પાંચ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જિલ્લામાં 14 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC)માં પાંચ લેબોરેટરી ફાર્માસિસ્ટ, 12 વોર્ડ મહિલા, છ વોર્ડ બોય, 53 મહિલા આરોગ્ય કાર્યકરો, 57 પુરુષ આરોગ્ય કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે.
જો કે આટલું પૂરતું નથી તો જિલ્લા આરોગ્ય વિભાગમાં આઠ તાલુકા આરોગ્ય અધિકારીઓની જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી છે. વિપક્ષના ભૂતપૂર્વ નેતા, દર્શન નાયકે જણાવ્યું હતું કે, “કોરોના ની ત્રીજી લહેર જીલ્લામાં મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે, જેમાં ઓમિક્રોન વેરિઅન્ટ દ્વારા આ કેસોમાં તીવ્ર વધારો થયો છે.
સુરત જિલ્લાના નવ તાલુકાના લોકો પાસે કોરોના અને અન્ય સંબંધિત બિમારીઓ અને ઈલાજ માટે સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલોની મુલાકાત લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી”
તેમણે ઉમેર્યું હતું કે, “રાજ્ય સરકાર PHC અને CHCની અસરકારક કામગીરી માટે વિવિધ અનુદાન દ્વારા કરોડો રૂપિયાનું ભંડોળ પૂરું પાડે છે. જો કે સુરત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને શાસક પક્ષ સુરત જિલ્લાના લોકોના આરોગ્ય પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.