ચુંટણી પ્રચાર વખતે રાજકીય લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઇડલાઇનની ઐસીતૈસી કરી સભાઓ ગજવી
ચુંટણી બાદ કોરોના રોજ નવો રેકોર્જ સર્જતો ગયો
સેકન્ડ વેવમાં સંક્રમણ ઝડપી થવાને કારણે સ્થિતી વણસી
સુરતમાં હાલ તબક્કે સ્થિતી એટલી હદે ગંભીર છે કે, સ્મશાનમાં મૃતદેહોની અંતિમ ક્રિયા કરવા માટે પણ વેઇટીંગમાં બેસવું પડે છે
WatchGujarat. રાજ્યમાં ચુંટણી બાદ કોરોનાનું સંક્રમણમાં પ્રચંડ ઉછાળો આવ્યો હતો. ત્યાર બાદ કોરોનાને નાથવા માટે સરકારે વિવિધ પગલા લેવાનું શરૂ કરી દીધું હતું. કોરોના કેસોમાં વધારો થતા રાત્રી કર્ફ્યુ સહિતના નિયમો પ્રજા પર લાદી દેવામાં આવ્યા હતા. તંત્રના લાખ પ્રયાસો છતા કોરોના પર કાબુ મેળવી શકાયો નથી. તેનાથી વિપરીત પરિસ્થિતી દિવસેને દિવસે વધુ વણસી રહી છે. સુરતમાં એક સ્મશાનમાં મૃતદેહોવે અંતિમ સંસ્કાર કરવા માટે લાઇનો પડતા અરેરાટી વ્યાપી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
https://youtu.be/VhRVCqFANbU
સામાન્ય રીતે કોરોનાનું નામ સાંભળતા જ લોકોમાં ડર જોવા મળે છે. પરંતુ ચુંટણી પ્રચાર વખતે રાજકીય લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઇડલાઇનની ઐસીતૈસી કરી સભાઓ ગજવી હતી. ચુંટણીમાં રાજકીય લક્ષ્યાંક તો મેળવી લેવાયું, પરંતુ બીજી બાજુ કોરોના પોતાનો નવો રેકોર્ડ સર્જતો ગયો હતો. હાલ તબક્કે સ્થિતી એટલી હદે ગંભીર છે કે, સ્મશાનમાં મૃતદેહોની અંતિમ ક્રિયા કરવા માટે પણ વેઇટીંગમાં બેસવું પડે છે.
સુરતના અશ્વિવી સ્મશાનમાં કંપારી છુટી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. અશ્વિની સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી હતી. કોરોનાની સ્થિતીને કારણે શહેર અને રાજ્યમાં મોટેભાગે સ્થિતી વણસી છે. કોવિડ ગાઇડલાઇનને અનુસરીને મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવાની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને અશ્વિની સ્મશાનમાં સંબંધિઓ પોતાના સ્વજનને પરિસરમાં ઠાઠડીઓ મુકીને પોતાનો વારો આવવાની રાહ જોઇ રહ્યા હતા. અને કરાત બંધ રીતે સ્મશાનમાં લોકો બેઠા હતા. વિડીયો વાઇરલ થવાને કારણે કોરોનાનું સંક્રમણ કઇ હદે બેકાબુ થયું છે તેનો અંદાજો લગાડી શકાય છે.
જો કે, કોરોના માત્ર ગુજરાત રાજ્યમાં જ વકરી રહ્યો હોય તેવું નથી. કોરોના દેશના અનેક ભાગોમાં વકરી રહ્યો છે. અને સ્થિતી પર કાબુ મેળવવા માટે કોવિડ ગાઇડલાઇનનું પાલન, અને વેક્સીનેશન પર જોર મુકવામાં આવી રહ્યો છે. મુંબઇમાં તો આંશિક લોકડાઉન લાગુ કરવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. કોરોનાની સેકન્ડ વેવ વધુ પ્રબળ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો સંક્રમીત થઇ રહ્યા છે.
ચુંટણી પ્રચાર વખતે રાજકીય લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઇડલાઇનની ઐસીતૈસી કરી સભાઓ ગજવી
ચુંટણી બાદ કોરોના રોજ નવો રેકોર્જ સર્જતો ગયો
સેકન્ડ વેવમાં સંક્રમણ ઝડપી થવાને કારણે સ્થિતી વણસી
સુરતમાં હાલ તબક્કે સ્થિતી એટલી હદે ગંભીર છે કે, સ્મશાનમાં મૃતદેહોની અંતિમ ક્રિયા કરવા માટે પણ વેઇટીંગમાં બેસવું પડે છે
WatchGujarat. રાજ્યમાં ચુંટણી બાદ કોરોનાનું સંક્રમણમાં પ્રચંડ ઉછાળો આવ્યો હતો. ત્યાર બાદ કોરોનાને નાથવા માટે સરકારે વિવિધ પગલા લેવાનું શરૂ કરી દીધું હતું. કોરોના કેસોમાં વધારો થતા રાત્રી કર્ફ્યુ સહિતના નિયમો પ્રજા પર લાદી દેવામાં આવ્યા હતા. તંત્રના લાખ પ્રયાસો છતા કોરોના પર કાબુ મેળવી શકાયો નથી. તેનાથી વિપરીત પરિસ્થિતી દિવસેને દિવસે વધુ વણસી રહી છે. સુરતમાં એક સ્મશાનમાં મૃતદેહોવે અંતિમ સંસ્કાર કરવા માટે લાઇનો પડતા અરેરાટી વ્યાપી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
સામાન્ય રીતે કોરોનાનું નામ સાંભળતા જ લોકોમાં ડર જોવા મળે છે. પરંતુ ચુંટણી પ્રચાર વખતે રાજકીય લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઇડલાઇનની ઐસીતૈસી કરી સભાઓ ગજવી હતી. ચુંટણીમાં રાજકીય લક્ષ્યાંક તો મેળવી લેવાયું, પરંતુ બીજી બાજુ કોરોના પોતાનો નવો રેકોર્ડ સર્જતો ગયો હતો. હાલ તબક્કે સ્થિતી એટલી હદે ગંભીર છે કે, સ્મશાનમાં મૃતદેહોની અંતિમ ક્રિયા કરવા માટે પણ વેઇટીંગમાં બેસવું પડે છે.
સુરતના અશ્વિવી સ્મશાનમાં કંપારી છુટી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. અશ્વિની સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી હતી. કોરોનાની સ્થિતીને કારણે શહેર અને રાજ્યમાં મોટેભાગે સ્થિતી વણસી છે. કોવિડ ગાઇડલાઇનને અનુસરીને મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવાની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને અશ્વિની સ્મશાનમાં સંબંધિઓ પોતાના સ્વજનને પરિસરમાં ઠાઠડીઓ મુકીને પોતાનો વારો આવવાની રાહ જોઇ રહ્યા હતા. અને કરાત બંધ રીતે સ્મશાનમાં લોકો બેઠા હતા. વિડીયો વાઇરલ થવાને કારણે કોરોનાનું સંક્રમણ કઇ હદે બેકાબુ થયું છે તેનો અંદાજો લગાડી શકાય છે.
જો કે, કોરોના માત્ર ગુજરાત રાજ્યમાં જ વકરી રહ્યો હોય તેવું નથી. કોરોના દેશના અનેક ભાગોમાં વકરી રહ્યો છે. અને સ્થિતી પર કાબુ મેળવવા માટે કોવિડ ગાઇડલાઇનનું પાલન, અને વેક્સીનેશન પર જોર મુકવામાં આવી રહ્યો છે. મુંબઇમાં તો આંશિક લોકડાઉન લાગુ કરવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. કોરોનાની સેકન્ડ વેવ વધુ પ્રબળ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો સંક્રમીત થઇ રહ્યા છે.