વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાનાં ૧૮ ગામડાઓના કુલ ૧૪૩૩ લોકોનું સ્થળાંતર કરાયું
રાજકોટ શહેર-૨ના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં વરસાદને લીધે હાલાકી ભોગવી રહેલા નાગરિકોની મદદ કરવાની કામગીરી સોંપવામાં આવી
WatchGujarat. હાલમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં સર્જાયેલી આપત્તિજનક પરિસ્થિતિને થાળે પાડવા માટે NDRFની ૪ અને SDRFની ૧ ટીમ આવી ચૂકી છે. તેમજ પૂરમાં ફસાયેલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી ચૂકી છે. જિલ્લા કલેક્ટર કરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે પંજાબના ભટિંડા ખાતેથી હવાઈમાર્ગે રાજકોટ આવી પહોંચેલી NDRFની ૩ ટીમોએ ધોરાજી, ગોંડલ તથા રાજકોટ શહેરના પ્રાંત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાગરિકોના બચાવ રાહતની કામગીરી શરૂ કરી દીધી છે, જેનાથી મહત્તમ લોકોનું સ્થાનાંતર શક્ય બન્યું છે અને જાનમાલની ખુવારી અટકાવી શકાઇ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, NDRFની ચોથી ટીમ વડોદરાથી સડક માર્ગે લોધિકા આવી પહોંચી છે, જેને લોધીકાના અલગ-અલગ ગામોમાં ફસાયેલા લોકોનાં સ્થળાંતર માટે કાર્યરત કરી દેવાઇ છે. તથા SDRFની એક ટીમના સભ્યો ગાંધીનગરથી હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચ્યા છે, જેના સભ્યોને રાજકોટ શહેર-૨ના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં વરસાદને લીધે હાલાકી ભોગવી રહેલા નાગરિકોની મદદ કરવાની કામગીરી સોંપવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાનાં ૧૮ ગામડાઓના કુલ ૧૪૩૩ લોકોનું સ્થળાંતર કરાયું છે. જેની વિગતો આપતા કલેક્ટરે કહ્યું હતું કે, હાલમાં રાજકોટ તાલુકાનાં ૫૫ નાગરિકો, ગોંડલ તાલુકાનાં ૪૦૫ નાગરિકો, કોટડાસાંગાણીનાં ૨૧૫ નાગરિકો, લોધિકા તાલુકાનાં ૧૦૦ નાગરિકો, જામકંડોરણા તાલુકાનાં ૨૬૫ નાગરિકો, ઉપલેટા તાલુકાનાં ૪૬ નાગરિકો અને પડધરી તાલુકાના ૩૪૭ નાગરિકો મળી કુલ ૧૮ ગામડાઓનાં ૧૪૩૩ નાગરિકોને રાત્રે આઠ વાગ્યા સુધીમાં વિવિધ સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે. અને રાહત-બચાવની કામગીરી ચાલી રહી છે.
વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાનાં ૧૮ ગામડાઓના કુલ ૧૪૩૩ લોકોનું સ્થળાંતર કરાયું
રાજકોટ શહેર-૨ના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં વરસાદને લીધે હાલાકી ભોગવી રહેલા નાગરિકોની મદદ કરવાની કામગીરી સોંપવામાં આવી
WatchGujarat. હાલમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં સર્જાયેલી આપત્તિજનક પરિસ્થિતિને થાળે પાડવા માટે NDRFની ૪ અને SDRFની ૧ ટીમ આવી ચૂકી છે. તેમજ પૂરમાં ફસાયેલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી ચૂકી છે. જિલ્લા કલેક્ટર કરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે પંજાબના ભટિંડા ખાતેથી હવાઈમાર્ગે રાજકોટ આવી પહોંચેલી NDRFની ૩ ટીમોએ ધોરાજી, ગોંડલ તથા રાજકોટ શહેરના પ્રાંત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાગરિકોના બચાવ રાહતની કામગીરી શરૂ કરી દીધી છે, જેનાથી મહત્તમ લોકોનું સ્થાનાંતર શક્ય બન્યું છે અને જાનમાલની ખુવારી અટકાવી શકાઇ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, NDRFની ચોથી ટીમ વડોદરાથી સડક માર્ગે લોધિકા આવી પહોંચી છે, જેને લોધીકાના અલગ-અલગ ગામોમાં ફસાયેલા લોકોનાં સ્થળાંતર માટે કાર્યરત કરી દેવાઇ છે. તથા SDRFની એક ટીમના સભ્યો ગાંધીનગરથી હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચ્યા છે, જેના સભ્યોને રાજકોટ શહેર-૨ના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં વરસાદને લીધે હાલાકી ભોગવી રહેલા નાગરિકોની મદદ કરવાની કામગીરી સોંપવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાનાં ૧૮ ગામડાઓના કુલ ૧૪૩૩ લોકોનું સ્થળાંતર કરાયું છે. જેની વિગતો આપતા કલેક્ટરે કહ્યું હતું કે, હાલમાં રાજકોટ તાલુકાનાં ૫૫ નાગરિકો, ગોંડલ તાલુકાનાં ૪૦૫ નાગરિકો, કોટડાસાંગાણીનાં ૨૧૫ નાગરિકો, લોધિકા તાલુકાનાં ૧૦૦ નાગરિકો, જામકંડોરણા તાલુકાનાં ૨૬૫ નાગરિકો, ઉપલેટા તાલુકાનાં ૪૬ નાગરિકો અને પડધરી તાલુકાના ૩૪૭ નાગરિકો મળી કુલ ૧૮ ગામડાઓનાં ૧૪૩૩ નાગરિકોને રાત્રે આઠ વાગ્યા સુધીમાં વિવિધ સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે. અને રાહત-બચાવની કામગીરી ચાલી રહી છે.