ભારે વરસાદના કારણે જામનગર અને રાજકોટ જિલ્લામાં જળબંબાકાર, માર્ગ વ્યવહારને અસર
રાજ્યના સ્ટેટ હાઈવે-15, નેશનલ હાઈવે-1 અને પંચાયત હસ્તકના 130 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટીંગ, રાજકોટ અને જામનગરના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ
રાજ્યમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 542.31 મીમી થયો, છેલ્લા 12 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં 100 મીમી વરસાદ
WatchGujarat. રાજકોટ અને જામનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે એરફોર્સ અને NDRFની ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે પણ ભારે વરસાદના કારણે બન્ને જિલ્લાનો માર્ગ વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 541.31 મીમી થયો છે. જે સરેરાશ વરસાદના 64.44 ટકા થયો છે. છેલ્લા 12 કલાકમાં એટલે કે સાંજના 6 વાગ્યા સુધીમાં 15 તાલુકાઓમાં 100 મીમી વરસાદ નોંધાયે છે. ભારે વરસાદના કારણે રાજ્યના સ્ટેટ હાઈવે-15, નેશનલ હાઈવે-1 અને પંચાયત હસ્તકના 130 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયા છે. જેમાં મુખ્યત્વે જામનગર અને રાજકોટ જિલ્લાના માર્ગ વ્યવહારને અસર થઈ છે.
એરલીફ્ટની કામગીરી હાથ ધરાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર જિલ્લાના કાલાવાડ, જોડિયા, જામનગર ગ્રામ્ય, જામનગર શહેરના તાલુકાઓમાં જુદા જુદા 8 ગામોમાં ફસાયેલા 64 વ્યક્તિઓની બચાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત તમામને સલામત સ્થળે ખસેડવાની જરૂરિયાત જણાંતા એરલિફ્ટ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં 16 વ્યક્તિઓને એરલીફ્ટ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ અન્ય 48 વ્યક્તિઓને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા છે. આ સિવાય જામનગર શહેરના નાગેશ્વર વિસ્તારમાં એરલીફ્ટની કામગીરી ચાલુમાં છે. આ સાથે ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ NDRFની 3 ટીમ જામનગર ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે SDRFની 2 ટીમ જામનગર જિલ્લામાં રવાના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાની સ્થિતિ વણસી હોવાના કારણે ભારત સરકાર પાસેથી વધુ 5 ટીમ મંગાવવામાં આવી છે.
અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 2553, જામનગર જિલ્લામાં 3966, પોરબંદર જિલ્લામાં 224, જૂનાગઢ જિલ્લામાં 5 મળીને કુલ 6748 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે SDRFની મડાણા અને ગાંધીનગર 2 ટીમ રાજકોટ માટે રવાના કરવામાં આવી છે. જ્યારે જામનગર શહેર ખાતે નેવીની 2 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી ધ્યાને લઈને અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને વધુ અસરગ્રસ્ત જિલ્લા રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકાના કલેક્ટર તથા સિંચાઈ, આઈ.એમ.ડી., ઈસરો, એનર્જી જેવા લાઈન ડીપાર્ટમેન્ટ સાથે વેબિનારથી મીટીંગ કરવામાં આવી હતી. જે બાદ જરૂર જણાયે કોસ્ટ ગાર્ડ તથા નેવી ડિપાર્ટમેન્ટની મદદ લેવા માટે પણ સંબંધિત જિલ્લા કલેક્ટરને જણાવવામાં આવ્યું છે.
રાજકોટ તથા જામનગર જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
જિલ્લો તાલુકો વરસાદ
જામનગર કાલાવડ 176 MM
જામનગર ધ્રોલ 165 MM
જામનગર જોડિયા 137 MM
જામનગર જામનગર 979 MM
રાજકોટ લોધિકા 136 MM
રાજકોટ ગોંડલ 124 MM
ગત સાંજે 6 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ
જિલ્લો તાલુકો વરસાદ
રાજકોટ લોધિકા 504 MM
રાજકોટ રાજકોટ 323 MM
રાજકોટ ધોરાજી 208 MM
રાજકોટ કોટડા-સાંઘાણી 190 MM
રાજકોટ ગોંડલ 166 MM
રાજકોટ પડઘરી 170 MM
રાજકોટ જામ-કંડોરણા 131 MM
જામનગર કાલાવડ 367 MM
જામનગર જામનગર 112 MM
ભારે વરસાદના કારણે જામનગર અને રાજકોટ જિલ્લામાં જળબંબાકાર, માર્ગ વ્યવહારને અસર
રાજ્યના સ્ટેટ હાઈવે-15, નેશનલ હાઈવે-1 અને પંચાયત હસ્તકના 130 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટીંગ, રાજકોટ અને જામનગરના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ
રાજ્યમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 542.31 મીમી થયો, છેલ્લા 12 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં 100 મીમી વરસાદ
WatchGujarat. રાજકોટ અને જામનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે એરફોર્સ અને NDRFની ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે પણ ભારે વરસાદના કારણે બન્ને જિલ્લાનો માર્ગ વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 541.31 મીમી થયો છે. જે સરેરાશ વરસાદના 64.44 ટકા થયો છે. છેલ્લા 12 કલાકમાં એટલે કે સાંજના 6 વાગ્યા સુધીમાં 15 તાલુકાઓમાં 100 મીમી વરસાદ નોંધાયે છે. ભારે વરસાદના કારણે રાજ્યના સ્ટેટ હાઈવે-15, નેશનલ હાઈવે-1 અને પંચાયત હસ્તકના 130 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયા છે. જેમાં મુખ્યત્વે જામનગર અને રાજકોટ જિલ્લાના માર્ગ વ્યવહારને અસર થઈ છે.
એરલીફ્ટની કામગીરી હાથ ધરાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર જિલ્લાના કાલાવાડ, જોડિયા, જામનગર ગ્રામ્ય, જામનગર શહેરના તાલુકાઓમાં જુદા જુદા 8 ગામોમાં ફસાયેલા 64 વ્યક્તિઓની બચાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત તમામને સલામત સ્થળે ખસેડવાની જરૂરિયાત જણાંતા એરલિફ્ટ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં 16 વ્યક્તિઓને એરલીફ્ટ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ અન્ય 48 વ્યક્તિઓને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા છે. આ સિવાય જામનગર શહેરના નાગેશ્વર વિસ્તારમાં એરલીફ્ટની કામગીરી ચાલુમાં છે. આ સાથે ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ NDRFની 3 ટીમ જામનગર ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે SDRFની 2 ટીમ જામનગર જિલ્લામાં રવાના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાની સ્થિતિ વણસી હોવાના કારણે ભારત સરકાર પાસેથી વધુ 5 ટીમ મંગાવવામાં આવી છે.
અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 2553, જામનગર જિલ્લામાં 3966, પોરબંદર જિલ્લામાં 224, જૂનાગઢ જિલ્લામાં 5 મળીને કુલ 6748 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે SDRFની મડાણા અને ગાંધીનગર 2 ટીમ રાજકોટ માટે રવાના કરવામાં આવી છે. જ્યારે જામનગર શહેર ખાતે નેવીની 2 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી ધ્યાને લઈને અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને વધુ અસરગ્રસ્ત જિલ્લા રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકાના કલેક્ટર તથા સિંચાઈ, આઈ.એમ.ડી., ઈસરો, એનર્જી જેવા લાઈન ડીપાર્ટમેન્ટ સાથે વેબિનારથી મીટીંગ કરવામાં આવી હતી. જે બાદ જરૂર જણાયે કોસ્ટ ગાર્ડ તથા નેવી ડિપાર્ટમેન્ટની મદદ લેવા માટે પણ સંબંધિત જિલ્લા કલેક્ટરને જણાવવામાં આવ્યું છે.
રાજકોટ તથા જામનગર જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલ વરસાદ