ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી
"સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય કોઇ વિકલ્પ નથી"
પાટીદાર આગેવાનોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની મીટીંગ યોજાશે
WatchGujarat.આજે પાટીદાર આગેવાનોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની મીટીંગ યોજાનાર છે. આ પૂર્વે ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય કોઇ વિકલ્પ નથી. આ સાથે જ આજે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત બાદ પાટીદાર સમાજનાં તમામ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવવા અંગેનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.
તાજેતરમાં કોંગ્રેસના નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પદભાર સંભાળ્યો ત્યારે નરેશ પટેલના વખાણ કર્યા હતા. અને તેને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. તો બીજી બાજુ બ્રીજેશ મેરજાએ નરેશ પટેલ ‘અમારા નેતા’ હોવાનું કહ્યું હતું. જેને લઈ આજે પત્રકારો દ્વારા શું નરેશ પટેલ સક્રિય રાજકારણમાં ઝંપલાવશે તેવું પૂછવામાં આવ્યું હતું. જેનો જવાબ આપતા નરેશ પટેલે કહ્યું હતું કે, જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારી પાસે રાજકારણમાં આવી ચૂંટણી લડવા સિવાય કોઇ વિકલ્પ નહીં રહે. સાથે જ આ તકે ખોડલધામ દ્વારા કરાવવામાં આવતા અન્ય અભ્યાસ સાથે પોલિટિકલ સાયન્સ ભણાવી પાટીદાર સમાજનાં વધુમાં વધુ યુવાનોને રાજકારણમાં પ્રવેશવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની જાહેરાત પણ તેમણે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજની આસ્થાનાં કેન્દ્ર ગણાતા ખોડલધામ ખાતે ચૂંટણી સમયે અલગ-અલગ પક્ષોનાં નેતાઓ આવતા હોય છે. જે અંતર્ગત 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પણ ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનાં નેતાઓ હાલ એક પછી એક ખોડલધામની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે પ્રથમવાર રાજકારણમાં પ્રવેશનાં સંકેત આપ્યા છે. જેને લઈને રાજકીય પક્ષોમાં નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરવાના પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. જો કે નરેશ પટેલે પોતાનો ઝુકાવ કઈ પાર્ટી તરફ છે તે મામલે મગનું નામ મરી પાડવાનું હંમેશની માફક ટાળ્યું છે. ત્યારે તેઓ ક્યાં પક્ષ સાથે જોડાશે તેના પર સૌકોઈની મીટ મંડાયેલી છે.
ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી
"સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય કોઇ વિકલ્પ નથી"
WatchGujarat.આજે પાટીદાર આગેવાનોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની મીટીંગ યોજાનાર છે. આ પૂર્વે ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય કોઇ વિકલ્પ નથી. આ સાથે જ આજે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત બાદ પાટીદાર સમાજનાં તમામ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવવા અંગેનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.
તાજેતરમાં કોંગ્રેસના નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પદભાર સંભાળ્યો ત્યારે નરેશ પટેલના વખાણ કર્યા હતા. અને તેને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. તો બીજી બાજુ બ્રીજેશ મેરજાએ નરેશ પટેલ ‘અમારા નેતા’ હોવાનું કહ્યું હતું. જેને લઈ આજે પત્રકારો દ્વારા શું નરેશ પટેલ સક્રિય રાજકારણમાં ઝંપલાવશે તેવું પૂછવામાં આવ્યું હતું. જેનો જવાબ આપતા નરેશ પટેલે કહ્યું હતું કે, જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારી પાસે રાજકારણમાં આવી ચૂંટણી લડવા સિવાય કોઇ વિકલ્પ નહીં રહે. સાથે જ આ તકે ખોડલધામ દ્વારા કરાવવામાં આવતા અન્ય અભ્યાસ સાથે પોલિટિકલ સાયન્સ ભણાવી પાટીદાર સમાજનાં વધુમાં વધુ યુવાનોને રાજકારણમાં પ્રવેશવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની જાહેરાત પણ તેમણે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજની આસ્થાનાં કેન્દ્ર ગણાતા ખોડલધામ ખાતે ચૂંટણી સમયે અલગ-અલગ પક્ષોનાં નેતાઓ આવતા હોય છે. જે અંતર્ગત 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પણ ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનાં નેતાઓ હાલ એક પછી એક ખોડલધામની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે પ્રથમવાર રાજકારણમાં પ્રવેશનાં સંકેત આપ્યા છે. જેને લઈને રાજકીય પક્ષોમાં નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરવાના પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. જો કે નરેશ પટેલે પોતાનો ઝુકાવ કઈ પાર્ટી તરફ છે તે મામલે મગનું નામ મરી પાડવાનું હંમેશની માફક ટાળ્યું છે. ત્યારે તેઓ ક્યાં પક્ષ સાથે જોડાશે તેના પર સૌકોઈની મીટ મંડાયેલી છે.