સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેનાથી શું ફાયદો થાય તેની જાણકારી આપવા માટે યાત્રા કાઢવામાં આવી
ચેતનસિંઘે આગામી 10 વર્ષ એટલે કે 2030 સુધી આ યાત્રાનાં માધ્યમથી દેશભરમાં સોલાર એનર્જી મામલે લોકોમાં જાગૃતિ લાવવાનું બીડું ઉઠાવ્યું છે.
સાથે જ આ સમયગાળા દરમિયાન તેણે પોતાનાં ઘરે પણ નહીં જવાનો નિર્ણય કર્યો છે.
WatchGujarat મૂળ મધ્યપ્રદેશનાં ચેતનસિંઘ સોલંકી દ્વારા વર્ષ 2020થી શરૂ થયેલ સોલાર બસ મારફત ચાલતી એનર્જી સ્વરાજ યાત્રા આજે શહેરનાં રેસકોર્સ ખાતે આવી પહોંચી હતી. યાત્રા દ્વારા સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેનાથી શું ફાયદો થાય તેની જાણકારી આપવા માટે કાઢવામાં આવી છે. ચેતનસિંઘે આગામી 10 વર્ષ એટલે કે 2030 સુધી આ યાત્રાનાં માધ્યમથી દેશભરમાં સોલાર એનર્જી મામલે લોકોમાં જાગૃતિ લાવવાનું બીડું ઉઠાવ્યું છે. સાથે જ આ સમયગાળા દરમિયાન તેણે પોતાનાં ઘરે પણ નહીં જવાનો નિર્ણય કર્યો છે.
મધ્યપ્રદેશના ચેતનસિંઘ સોલંકી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ તેમજ હરિયાળી એવી સૂર્ય ઊર્જાનો રોજિંદા જીવનમાં મહત્તમ વપરાશ થાય તે અંગેનું એનર્જી સ્વરાજ યાત્રા અભિયાન ગત નવેમ્બર-2020માં પ્રારંભ કરાયું હતું. મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી દ્વારા આ યાત્રાનો પ્રારંભ કરવાયો હતો. આગામી ડિસેમ્બર-2030 એટલે કે 11 વર્ષ નિરંતર આ અભિયાન સમગ્ર દેશમાં સોલાર બસ સાથે ચલાવવામાં આવનાર છે. અને તેના દ્વારા લોકોને સોલાર ઊર્જાનો વપરાશ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને ભલામણ કરવાનો મુખ્ય હેતુ છે.
આજરોજ આ યાત્રા માટે ઉપયોગમાં લેવાતી સોલાર બસ રેસકોર્સનાં પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે આવી પહોંચી છે. અને સૂર્યઊર્જાનો મહત્તમ વપરાશ રોજિંદા જીવનમાં કઈ રીતે સફળતાપૂર્વક શક્ય છે તે સમજાવતું ‘સોલાર બસ’નું પ્રદર્શન જાહેર જનતા માટે પણ ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ બસની ખાસિયત એ છે કે, તેમાં રહેવા અને કામ કરવાની તમામ સગવડો ઉપલબ્ધ છે. અને આ તમામ સગવડો માત્ર સોલારથી સંચાલિત છે. પરંતુ આ બસનું એન્જીન ડીઝલથી ચાલે છે.
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સવારે 9.30 થી 12 વાગ્યા સુધી સોલાર બસ તરઘડી ગામે ગ્રામપંચાયત ખાતે ખેડૂતો અને તમામ ગ્રામજનો માટેનાં પ્રદર્શનમાં રાખવામાં આવનાર છે. ત્યારબાદ આ બસ મહેસાણા જવા રવાના થશે. આ રીતે આગામી વર્ષ 2030 સુધી દેશનાં અલગ-અલગ રાજ્યોમાં એનર્જી સ્વરાજ યાત્રા કાઢી વધુમાં વધુ લોકોને સોલાર એનર્જીનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવામાં આવશે.
સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેનાથી શું ફાયદો થાય તેની જાણકારી આપવા માટે યાત્રા કાઢવામાં આવી
ચેતનસિંઘે આગામી 10 વર્ષ એટલે કે 2030 સુધી આ યાત્રાનાં માધ્યમથી દેશભરમાં સોલાર એનર્જી મામલે લોકોમાં જાગૃતિ લાવવાનું બીડું ઉઠાવ્યું છે.
સાથે જ આ સમયગાળા દરમિયાન તેણે પોતાનાં ઘરે પણ નહીં જવાનો નિર્ણય કર્યો છે.
WatchGujarat મૂળ મધ્યપ્રદેશનાં ચેતનસિંઘ સોલંકી દ્વારા વર્ષ 2020થી શરૂ થયેલ સોલાર બસ મારફત ચાલતી એનર્જી સ્વરાજ યાત્રા આજે શહેરનાં રેસકોર્સ ખાતે આવી પહોંચી હતી. યાત્રા દ્વારા સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેનાથી શું ફાયદો થાય તેની જાણકારી આપવા માટે કાઢવામાં આવી છે. ચેતનસિંઘે આગામી 10 વર્ષ એટલે કે 2030 સુધી આ યાત્રાનાં માધ્યમથી દેશભરમાં સોલાર એનર્જી મામલે લોકોમાં જાગૃતિ લાવવાનું બીડું ઉઠાવ્યું છે. સાથે જ આ સમયગાળા દરમિયાન તેણે પોતાનાં ઘરે પણ નહીં જવાનો નિર્ણય કર્યો છે.
મધ્યપ્રદેશના ચેતનસિંઘ સોલંકી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ તેમજ હરિયાળી એવી સૂર્ય ઊર્જાનો રોજિંદા જીવનમાં મહત્તમ વપરાશ થાય તે અંગેનું એનર્જી સ્વરાજ યાત્રા અભિયાન ગત નવેમ્બર-2020માં પ્રારંભ કરાયું હતું. મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી દ્વારા આ યાત્રાનો પ્રારંભ કરવાયો હતો. આગામી ડિસેમ્બર-2030 એટલે કે 11 વર્ષ નિરંતર આ અભિયાન સમગ્ર દેશમાં સોલાર બસ સાથે ચલાવવામાં આવનાર છે. અને તેના દ્વારા લોકોને સોલાર ઊર્જાનો વપરાશ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને ભલામણ કરવાનો મુખ્ય હેતુ છે.
આજરોજ આ યાત્રા માટે ઉપયોગમાં લેવાતી સોલાર બસ રેસકોર્સનાં પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે આવી પહોંચી છે. અને સૂર્યઊર્જાનો મહત્તમ વપરાશ રોજિંદા જીવનમાં કઈ રીતે સફળતાપૂર્વક શક્ય છે તે સમજાવતું ‘સોલાર બસ’નું પ્રદર્શન જાહેર જનતા માટે પણ ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ બસની ખાસિયત એ છે કે, તેમાં રહેવા અને કામ કરવાની તમામ સગવડો ઉપલબ્ધ છે. અને આ તમામ સગવડો માત્ર સોલારથી સંચાલિત છે. પરંતુ આ બસનું એન્જીન ડીઝલથી ચાલે છે.
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સવારે 9.30 થી 12 વાગ્યા સુધી સોલાર બસ તરઘડી ગામે ગ્રામપંચાયત ખાતે ખેડૂતો અને તમામ ગ્રામજનો માટેનાં પ્રદર્શનમાં રાખવામાં આવનાર છે. ત્યારબાદ આ બસ મહેસાણા જવા રવાના થશે. આ રીતે આગામી વર્ષ 2030 સુધી દેશનાં અલગ-અલગ રાજ્યોમાં એનર્જી સ્વરાજ યાત્રા કાઢી વધુમાં વધુ લોકોને સોલાર એનર્જીનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવામાં આવશે.