રાજેન્દ્ર ત્રિવેદીએ પહેલું સ્વાગત રૂપાણીનું કરવા કહેતા વિજય રૂપાણી મંચ પર ઉભા થયા
રૂપાણીએ કહ્યું કે, રાજેન્દ્ર ત્રિવેદી કેબિનેટ મંત્રી તરીકે આપણા ગામમાં આવ્યા છે. ત્યારે આપણે તેમનું સ્વાગત કરવું જોઇએ
વિજય રૂપાણી તેમની રાજકોટની મુલાકાત દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી
[caption id="attachment_1399276" align="aligncenter" width="1024"] Gujarat, Rajkot Cabinet Minister Rajendra Trivedi And Ex-Chief Minister of State Vijay Rupani[/caption]
WatchGujarat. આજરોજ વડાપ્રધાનનાં જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં ગરીબોના બેલી કાર્યક્રમો યોજાયા છે. ત્યારે રાજકોટમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષપદે પ્રમુખસ્વામી સભાગૃહમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પણ યોજાયો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી હોવાથી વહીવટી વિભાગે પ્રોટોકોલ મુજબ તેમના સ્વાગતની જાહેરાત કરી હતી. જો કે ત્રિવેદીએ આ પ્રોટોકોલ તોડી પ્રથમ સ્વાગત વિજય રૂપાણીનું કરવા માટે કહ્યું હતું. ત્યારે વિજય રૂપાણીએ ઉભા થઇને રાજેન્દ્ર ત્રિવેદીનું પહેલા સ્વાગત કરીને પ્રોટોકોલ જાળવવા કહ્યું હતું.
રાજેન્દ્ર ત્રિવેદીએ પહેલું સ્વાગત રૂપાણીનું કરવા કહેતા વિજય રૂપાણી મંચ પર ઉભા થયા હતા. અને તેમણે કહ્યું હતું કે રાજેન્દ્ર ત્રિવેદી કેબિનેટ મંત્રી તરીકે આપણા ગામમાં આવ્યા છે. ત્યારે આપણે તેમનું સ્વાગત કરવું જોઇએ. વિજય રૂપાણીએ નવા મંત્રીમંડળના પ્રથમ કાર્યક્રમની શુભકામના પાઠવી હતી. અને નવી ટીમ નવી ઉર્જા સાથે કામ કરશે તેવી શુભકામના પાઠવી હતી. તો આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે વિજય રૂપાણી મારા વડિલ અને પિતાતૂલ્ય છે. માટે તેનું પ્રથમ સ્વાગત કરવું જોઇએ. પરંતુ તેમના આદેશને માન આપીને મારૂં સ્વાગત પ્રથમ થયું છે.
ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત તેઓ ગુરૂવારે રાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણી તેમની રાજકોટની મુલાકાત દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. રૂપાણીએ રાજકોટની મુલાકાત અંગે કહ્યું હતુ કે, નવા પ્રધાન મંડળની શપથવિધીની જવાબદારી પુરી કરીને રાજકોટ આવ્યો છું.
રાજેન્દ્ર ત્રિવેદીએ પહેલું સ્વાગત રૂપાણીનું કરવા કહેતા વિજય રૂપાણી મંચ પર ઉભા થયા
રૂપાણીએ કહ્યું કે, રાજેન્દ્ર ત્રિવેદી કેબિનેટ મંત્રી તરીકે આપણા ગામમાં આવ્યા છે. ત્યારે આપણે તેમનું સ્વાગત કરવું જોઇએ
વિજય રૂપાણી તેમની રાજકોટની મુલાકાત દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી
[caption id="attachment_1399276" align="aligncenter" width="1024"] Gujarat, Rajkot Cabinet Minister Rajendra Trivedi And Ex-Chief Minister of State Vijay Rupani[/caption]
WatchGujarat. આજરોજ વડાપ્રધાનનાં જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં ગરીબોના બેલી કાર્યક્રમો યોજાયા છે. ત્યારે રાજકોટમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષપદે પ્રમુખસ્વામી સભાગૃહમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પણ યોજાયો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી હોવાથી વહીવટી વિભાગે પ્રોટોકોલ મુજબ તેમના સ્વાગતની જાહેરાત કરી હતી. જો કે ત્રિવેદીએ આ પ્રોટોકોલ તોડી પ્રથમ સ્વાગત વિજય રૂપાણીનું કરવા માટે કહ્યું હતું. ત્યારે વિજય રૂપાણીએ ઉભા થઇને રાજેન્દ્ર ત્રિવેદીનું પહેલા સ્વાગત કરીને પ્રોટોકોલ જાળવવા કહ્યું હતું.
રાજેન્દ્ર ત્રિવેદીએ પહેલું સ્વાગત રૂપાણીનું કરવા કહેતા વિજય રૂપાણી મંચ પર ઉભા થયા હતા. અને તેમણે કહ્યું હતું કે રાજેન્દ્ર ત્રિવેદી કેબિનેટ મંત્રી તરીકે આપણા ગામમાં આવ્યા છે. ત્યારે આપણે તેમનું સ્વાગત કરવું જોઇએ. વિજય રૂપાણીએ નવા મંત્રીમંડળના પ્રથમ કાર્યક્રમની શુભકામના પાઠવી હતી. અને નવી ટીમ નવી ઉર્જા સાથે કામ કરશે તેવી શુભકામના પાઠવી હતી. તો આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે વિજય રૂપાણી મારા વડિલ અને પિતાતૂલ્ય છે. માટે તેનું પ્રથમ સ્વાગત કરવું જોઇએ. પરંતુ તેમના આદેશને માન આપીને મારૂં સ્વાગત પ્રથમ થયું છે.
ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત તેઓ ગુરૂવારે રાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણી તેમની રાજકોટની મુલાકાત દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. રૂપાણીએ રાજકોટની મુલાકાત અંગે કહ્યું હતુ કે, નવા પ્રધાન મંડળની શપથવિધીની જવાબદારી પુરી કરીને રાજકોટ આવ્યો છું.