સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઇ
રાજકોટ આજી ડેમના નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ
જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી
બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફની 3 ટીમ રાજકોટ અને 2 ટીમ જામનગર મોકલવામાં આવી
WatchGujaat. રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળે તે પહેલા જ આજે સવારથી જ જામનગર રાજકોટ જિલ્લા તેમજ શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઇ મુખ્યમંત્રી એક્શન મોડમાં જોવા મળ્યાં હતા. જોકે બપોરે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ તાત્કાલકી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી જામનગર- રાજકોટની ગંભીર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને NDRFની મદદથી સ્થળાંતર કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી 2 ડેમની જળાશયની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી.
https://youtu.be/ch9rLKOnFMg
રાજકોટમાં 1155 લોકો જે આજી ડેમના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે. તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી. તેમજ ભૂપેન્દ્ર પટેલે એન.ડી.આર.એફની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી.
જામનગર જિલ્લો છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે જળબંબાકાર થયો છે. જ્યારે જિલ્લાના અનેક ગામો મૂશળધાર વરસાદને કારણે બેટમાં ફેરવાયા છે. જામનગરની વણસી રહેલી પરિસ્થિતિને જોતા ગુજરાતના નવા નીમાયેલા મુખ્યમંત્રીએ મદદ પહોંચાડવા માટે સૂચના આપી હતી. જે બાદ એરફોર્સની ટીમ દ્વારા જામનગરના અને ગામોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. જેના દ્રશ્યો સામે આવ્યા છે.
જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જામનગરમાં સોમવારે સવાર સુધીમાં કાલાવાડમાં સૌથી વધુ 15 ઈંચ, ધ્રોલમાં 6.5 ઈંચ, જોડીયા 5.5 ઈંચ, જામનગર શહેર 3.5 ઈંચ, જામજોધપુર 2.5 ઈંચ વરસાદ વર્સ્યો છે. જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલાં વરસાદને પગલે સ્થિતિ વણસી છે. ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. જ્યારે જામનગરથી કાલાવડ અને રાજકોટ તરફના માર્ગ વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરતીને લોકોને જરૂરી મદદ પહોંચાડવા માટે સૂચના આપી છે.
જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી
બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફની 3 ટીમ રાજકોટ અને 2 ટીમ જામનગર મોકલવામાં આવી
WatchGujaat. રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળે તે પહેલા જ આજે સવારથી જ જામનગર રાજકોટ જિલ્લા તેમજ શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઇ મુખ્યમંત્રી એક્શન મોડમાં જોવા મળ્યાં હતા. જોકે બપોરે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ તાત્કાલકી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી જામનગર- રાજકોટની ગંભીર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને NDRFની મદદથી સ્થળાંતર કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી 2 ડેમની જળાશયની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી.
રાજકોટમાં 1155 લોકો જે આજી ડેમના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે. તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી. તેમજ ભૂપેન્દ્ર પટેલે એન.ડી.આર.એફની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી.
જામનગર જિલ્લો છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે જળબંબાકાર થયો છે. જ્યારે જિલ્લાના અનેક ગામો મૂશળધાર વરસાદને કારણે બેટમાં ફેરવાયા છે. જામનગરની વણસી રહેલી પરિસ્થિતિને જોતા ગુજરાતના નવા નીમાયેલા મુખ્યમંત્રીએ મદદ પહોંચાડવા માટે સૂચના આપી હતી. જે બાદ એરફોર્સની ટીમ દ્વારા જામનગરના અને ગામોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. જેના દ્રશ્યો સામે આવ્યા છે.
જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જામનગરમાં સોમવારે સવાર સુધીમાં કાલાવાડમાં સૌથી વધુ 15 ઈંચ, ધ્રોલમાં 6.5 ઈંચ, જોડીયા 5.5 ઈંચ, જામનગર શહેર 3.5 ઈંચ, જામજોધપુર 2.5 ઈંચ વરસાદ વર્સ્યો છે. જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલાં વરસાદને પગલે સ્થિતિ વણસી છે. ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. જ્યારે જામનગરથી કાલાવડ અને રાજકોટ તરફના માર્ગ વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરતીને લોકોને જરૂરી મદદ પહોંચાડવા માટે સૂચના આપી છે.