રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 108 જેટલા વેપારી એસોસીએશને સ્વૈચ્છિક લોકડાઉન માટે તેની સહમતી આપી હોવાનો દાવો કર્યો હતો
પરંતુ આજે તો માત્ર 30 વેપારી એસો. જોડાયા હોવાનું જણાવ્યું હતું
એસોસીએશન સાથે જોડાયેલ હોય નહી તેવા બે હજારથી વધુ પાન-બીડીના ધંધાર્થીઓના ધંધા ધમધોકાર ચાલુ જોવા મળ્યા
'ચા'ની હોટલો તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં રાબેતા મુજબનો ધમધમાટ જોવા મળ્યો
Watchgujarat. શહેરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણનાં કારણે ગઈકાલે મુખ્યમંત્રીએ વેપારીઓને સ્વૈચ્છિક લોકડાઉન માટે કરેલી અપીલ કરી હતી. જેને પગલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી વેપારીઓને બે દિવસ વેપાર-ધંધા બંધ રાખવા અપીલ કરી હતી. પરંતુ ચેમ્બરની અપીલનો વેપારીઓએ ઉલાળિયો કરી દીધો છે. અને આજે શહેરમાં સોની બજાર સિવાય કોઈપણ સ્થળે સ્વૈચ્છિક લોકડાઉનની અસર જોવા મળી નથી. શહેરની અન્ય મુખ્ય બજારો જેવી કે, લાખાજીરાજ રોડ, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી અને કેવડાવાડી સહિતમાં નાની-મોટી દુકાનો, શો-રૂમ અને ચા-પાણીના ગલ્લા, તેમજ ખાણી-પીણીના સ્ટોલ સવારથી રાબેતા મુજબ ખુલ્લા જોવા મળ્યા હતા.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 108 જેટલા વેપારી એસોસીએશને સ્વૈચ્છિક લોકડાઉન માટે તેની સહમતી આપી હોવાનો દાવો કર્યો હતો. સાથે જ 58 એસો.નાં નામ પણ આપ્યા હતા. પરંતુ આજે તો માત્ર 30 વેપારી એસો. જોડાયા હોવાનું કહ્યું હતું. જો કે બજારો જોતા 30 એસો. પણ આ બંધમાં જોડાયા હોય તેવું જણાતું નથી. વેપારીઓનું કહેવું છે કે, એક વર્ષથી વેપાર-ધંધા વિના બેઠા છીએ. લોનના હપ્તા અને વ્યાજના ચકકર ચાલી રહ્યા છે. ત્યારે શનિ-રવિની રજાના દિવસોમાં જ ધંધાના સમયે લોકડાઉન પોસાય તેમ નથી.
બીજીતરફ પાન-બીડીના વેપારી એસોસીએશને પણ પોતાના 1150થી વધુ સભ્યો બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પાળશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ આ સભ્યો પૈકીના અમુક જ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. જ્યારે એસોસીએશન સાથે જોડાયેલ હોય નહી તેવા બે હજારથી વધુ પાન-બીડીના ધંધાર્થીઓના ધંધા ધમધોકાર ચાલુ જોવા મળ્યા હતા. સાથે જ કરિયાણા, કપડા, બુટ-ચપ્પલ, ઈલેકટ્રીક, ઈલેકટ્રોનિક સહિતના વેપાર-ધંધા રાબેતા મુજબ ચાલુ જોવા મળ્યા હતા. તો 'ચા'ની હોટલો તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં રાબેતા મુજબનો ધમધમાટ જોવા મળ્યો હતો.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 108 જેટલા વેપારી એસોસીએશને સ્વૈચ્છિક લોકડાઉન માટે તેની સહમતી આપી હોવાનો દાવો કર્યો હતો
પરંતુ આજે તો માત્ર 30 વેપારી એસો. જોડાયા હોવાનું જણાવ્યું હતું
એસોસીએશન સાથે જોડાયેલ હોય નહી તેવા બે હજારથી વધુ પાન-બીડીના ધંધાર્થીઓના ધંધા ધમધોકાર ચાલુ જોવા મળ્યા
'ચા'ની હોટલો તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં રાબેતા મુજબનો ધમધમાટ જોવા મળ્યો
Watchgujarat. શહેરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણનાં કારણે ગઈકાલે મુખ્યમંત્રીએ વેપારીઓને સ્વૈચ્છિક લોકડાઉન માટે કરેલી અપીલ કરી હતી. જેને પગલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી વેપારીઓને બે દિવસ વેપાર-ધંધા બંધ રાખવા અપીલ કરી હતી. પરંતુ ચેમ્બરની અપીલનો વેપારીઓએ ઉલાળિયો કરી દીધો છે. અને આજે શહેરમાં સોની બજાર સિવાય કોઈપણ સ્થળે સ્વૈચ્છિક લોકડાઉનની અસર જોવા મળી નથી. શહેરની અન્ય મુખ્ય બજારો જેવી કે, લાખાજીરાજ રોડ, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી અને કેવડાવાડી સહિતમાં નાની-મોટી દુકાનો, શો-રૂમ અને ચા-પાણીના ગલ્લા, તેમજ ખાણી-પીણીના સ્ટોલ સવારથી રાબેતા મુજબ ખુલ્લા જોવા મળ્યા હતા.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 108 જેટલા વેપારી એસોસીએશને સ્વૈચ્છિક લોકડાઉન માટે તેની સહમતી આપી હોવાનો દાવો કર્યો હતો. સાથે જ 58 એસો.નાં નામ પણ આપ્યા હતા. પરંતુ આજે તો માત્ર 30 વેપારી એસો. જોડાયા હોવાનું કહ્યું હતું. જો કે બજારો જોતા 30 એસો. પણ આ બંધમાં જોડાયા હોય તેવું જણાતું નથી. વેપારીઓનું કહેવું છે કે, એક વર્ષથી વેપાર-ધંધા વિના બેઠા છીએ. લોનના હપ્તા અને વ્યાજના ચકકર ચાલી રહ્યા છે. ત્યારે શનિ-રવિની રજાના દિવસોમાં જ ધંધાના સમયે લોકડાઉન પોસાય તેમ નથી.
બીજીતરફ પાન-બીડીના વેપારી એસોસીએશને પણ પોતાના 1150થી વધુ સભ્યો બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પાળશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ આ સભ્યો પૈકીના અમુક જ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. જ્યારે એસોસીએશન સાથે જોડાયેલ હોય નહી તેવા બે હજારથી વધુ પાન-બીડીના ધંધાર્થીઓના ધંધા ધમધોકાર ચાલુ જોવા મળ્યા હતા. સાથે જ કરિયાણા, કપડા, બુટ-ચપ્પલ, ઈલેકટ્રીક, ઈલેકટ્રોનિક સહિતના વેપાર-ધંધા રાબેતા મુજબ ચાલુ જોવા મળ્યા હતા. તો 'ચા'ની હોટલો તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં રાબેતા મુજબનો ધમધમાટ જોવા મળ્યો હતો.