ભાજપના નેતાઓ પીએમ મોદીના જન્મદિવસને ઉજવવા માટે હરખપદુડા બન્યા
પૂર્ણેશ મોદી હાલ તેમના મત વિસ્તારમાં દુકાને દુકાને લારીવાળાને ત્યાં રૂબરૂ જઈને મુલાકાત કરી રહ્યા છે
17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસે ગ્રાહકોને 25 ટકાથી લઈને 50 ટકા સુધીની છૂટ આપવા આજીજી કરતા નજરે પડ્યા
[caption id="attachment_1398175" align="aligncenter" width="640"] Surat - Purnesh Modi BJP MLA asking for discount on PM modi birthday[/caption]
WatchGujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ 17 સપ્ટેમ્બર ના રોજ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે ભાજપના નેતાઓ પીએમ મોદીના જન્મદિવસને ઉજવવા માટે હરખપદુડા બન્યા છે. સુરતના નેતાઓ પણ પીએમ મોદીનો જન્મદિન અલગ રીતે ઉજવવા જાણે હરીફાઈ પર ઉતરી આવ્યા છે. પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા પણ પીએમ મોદીના જન્મદિવસને લઈને એક અલગ કાર્યક્રમ આપવાની તૈયારી છે.
https://twitter.com/purneshmodi/status/1437838363290046468?s=20
તેઓએ આ તૈયારી કરી છે સુરતના સ્થાનિક દુકાનદારો અને નાનો મોટો ધંધો કરતા ધંધાર્થીઓને લઈને. પૂર્ણેશ મોદી હાલ તેમના મત વિસ્તારમાં દુકાને દુકાને લારીવાળાને ત્યાં રૂબરૂ જઈને મુલાકાત કરી રહ્યા છે. અને 17 સપ્ટેમ્બરે જયારે પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે તેઓ પાસે ગ્રાહકોને 25 ટકાથી લઈને 50 ટકા સુધીની છૂટ આપવા આજીજી કરતા દેખાઈ રહ્યા છે.
જોકે પૂર્ણેશ મોદીના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે તેમણે આ અભિયાન હાથ ધર્યું છે. જેથી આ દિવસે લોકો જયારે ભાર હરવા ફરવા કે જમવા કે ખરીદી કરવા નીકળે ત્યારે તેઓને ડિસ્કાઉન્ટ મળતા વધુ ખરીદી માટે તેઓ પ્રેરાય અને આ થકી પણ તેમને આવક ઉભી થાય અનેધંધામાં તેજી આવે. જોકે જયારે ધારાસભ્ય લેવલનો નેતા નાના વેપારીઓ પાસે આવીને આવી આજીજી કરે તો વેંપાયરો તેમને ના પણ પાડી શકતા નથી. અને મને કમને પણ તેઓ તેમને 17 સપ્ટેમ્બરે ડિસ્કાઉન્ટ આપવામંજૂરી આપી પણ રહ્યા છે.
બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના આ ગતકડાંને ખોટો ગણાવવામાં આવી રહ્યો છે. તઆપણા પ્રવક્તા યોગેશ જાળવણીએ વોચ ગુજરાતને જણાવ્યું છે કે જયારે કોરોના મહામારી હતી ત્યારે યેનકેન પ્રકારે આ જ નાના દુકાનદારોને ક્યારેક માસ્ક, તો ક્યારેક ટ્રાફિક નિયમ, તો ક્યારેક બીજો કોઈ નિયમ બતાવીને તેમની પાસેથી દંડ ઉઘરાવવામાં કોઈ કમી બાકી નથી રાખવામાં આવી.
અને હવે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે વેપારીઓના માથે ઉજવણીનું ઠીકરું ફોડીને ઉઘરાણી કરવા નીકળી પડ્યા છે. તેમણે આ વાતની નિંદા કરી છે. લોકપ્રતિનિધિ તરીકે વેપારીઓને હેરાનગતિ કરવાને બદલે તેમને રાહત આપીને ઘરપીરવારનું ગુજરાન ચાલે તે રીતની મદદ કરવા તેમણે અપીલ કરી છે.
ભાજપના નેતાઓ પીએમ મોદીના જન્મદિવસને ઉજવવા માટે હરખપદુડા બન્યા
પૂર્ણેશ મોદી હાલ તેમના મત વિસ્તારમાં દુકાને દુકાને લારીવાળાને ત્યાં રૂબરૂ જઈને મુલાકાત કરી રહ્યા છે
17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસે ગ્રાહકોને 25 ટકાથી લઈને 50 ટકા સુધીની છૂટ આપવા આજીજી કરતા નજરે પડ્યા
[caption id="attachment_1398175" align="aligncenter" width="640"] Surat - Purnesh Modi BJP MLA asking for discount on PM modi birthday[/caption]
WatchGujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ 17 સપ્ટેમ્બર ના રોજ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે ભાજપના નેતાઓ પીએમ મોદીના જન્મદિવસને ઉજવવા માટે હરખપદુડા બન્યા છે. સુરતના નેતાઓ પણ પીએમ મોદીનો જન્મદિન અલગ રીતે ઉજવવા જાણે હરીફાઈ પર ઉતરી આવ્યા છે. પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા પણ પીએમ મોદીના જન્મદિવસને લઈને એક અલગ કાર્યક્રમ આપવાની તૈયારી છે.
તેઓએ આ તૈયારી કરી છે સુરતના સ્થાનિક દુકાનદારો અને નાનો મોટો ધંધો કરતા ધંધાર્થીઓને લઈને. પૂર્ણેશ મોદી હાલ તેમના મત વિસ્તારમાં દુકાને દુકાને લારીવાળાને ત્યાં રૂબરૂ જઈને મુલાકાત કરી રહ્યા છે. અને 17 સપ્ટેમ્બરે જયારે પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે તેઓ પાસે ગ્રાહકોને 25 ટકાથી લઈને 50 ટકા સુધીની છૂટ આપવા આજીજી કરતા દેખાઈ રહ્યા છે.
જોકે પૂર્ણેશ મોદીના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે તેમણે આ અભિયાન હાથ ધર્યું છે. જેથી આ દિવસે લોકો જયારે ભાર હરવા ફરવા કે જમવા કે ખરીદી કરવા નીકળે ત્યારે તેઓને ડિસ્કાઉન્ટ મળતા વધુ ખરીદી માટે તેઓ પ્રેરાય અને આ થકી પણ તેમને આવક ઉભી થાય અનેધંધામાં તેજી આવે. જોકે જયારે ધારાસભ્ય લેવલનો નેતા નાના વેપારીઓ પાસે આવીને આવી આજીજી કરે તો વેંપાયરો તેમને ના પણ પાડી શકતા નથી. અને મને કમને પણ તેઓ તેમને 17 સપ્ટેમ્બરે ડિસ્કાઉન્ટ આપવામંજૂરી આપી પણ રહ્યા છે.
બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના આ ગતકડાંને ખોટો ગણાવવામાં આવી રહ્યો છે. તઆપણા પ્રવક્તા યોગેશ જાળવણીએ વોચ ગુજરાતને જણાવ્યું છે કે જયારે કોરોના મહામારી હતી ત્યારે યેનકેન પ્રકારે આ જ નાના દુકાનદારોને ક્યારેક માસ્ક, તો ક્યારેક ટ્રાફિક નિયમ, તો ક્યારેક બીજો કોઈ નિયમ બતાવીને તેમની પાસેથી દંડ ઉઘરાવવામાં કોઈ કમી બાકી નથી રાખવામાં આવી.
અને હવે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે વેપારીઓના માથે ઉજવણીનું ઠીકરું ફોડીને ઉઘરાણી કરવા નીકળી પડ્યા છે. તેમણે આ વાતની નિંદા કરી છે. લોકપ્રતિનિધિ તરીકે વેપારીઓને હેરાનગતિ કરવાને બદલે તેમને રાહત આપીને ઘરપીરવારનું ગુજરાન ચાલે તે રીતની મદદ કરવા તેમણે અપીલ કરી છે.