સુરત મહાનગરપાલીકાનું આરોગ્ય વિભાગ કોરોનાના કેસો પર માઈક્રો કામગીરી કરીને નજર રાખી રહ્યું છે
સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા જણાવવામાં આવ્યું
જો કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવામાં નહીં આવે અને બેફિકરાઈ બતાવવામાં આવે તો આવનારા દિવસોમાં કોરોનાના કેસો વધશે તેમાં પણ કોઈ શંકા નથી
WatchGujarat. જેનો ડર હતો આખરે તે જ થઇ રહ્યું છે. સુરતમાં ધીરે ધીરે કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. અને આ જાહેરાત કરી છે સુરત મહાનગરપાલિકાએ 14 સપ્ટેમ્બરે કરેલી એક અખબારી યાદીમાં. જેમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ 7 સપ્ટેમ્બરથી લઈને તારીખ 13 સપ્ટેમ્બર સુધી શહેરમાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને અત્યારસુધીના કેસોની સંખ્યા 31 નોંધાઈ છે.
સુરત મહાનગરપાલીકાનું આરોગ્ય વિભાગ કોરોનાના કેસો પર માઈક્રો કામગીરી કરીને નજર રાખી રહ્યું છે. ભલે કોરોનાની બીજી લહેર ઓસરી રહી હોય, અને કેસોની સંખ્યા સિંગલ ડિજીટમાં દેખાઈ રહી હોય પરંતુ સુરત મનપાએ આ કેસોની ઝીણવટભરી વિગતો તપાસતા જે આંકડા સામે આવ્યા તે ચિંતા ઉપજાવનારા છે.
તારીખ 7 સપ્ટેમ્બરથી તારીખ 13 સપ્ટેમ્બર સુધી શહેરમાં રાંદેર ઝોનમાં 11, અઠવા ઝોનમાં 9, ઉધના ઝોનમાં 8, 2, લીંબાયત ઝોનમાં 1 મળીને કુલ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ રાંદેર ઝોનમાં 11 અને અઠવા ઝોનમાં 9 કેસ નોંધાયા છે.
હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. અને આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા હોય લોકોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કોરોનાના કેસો ભલે હાલ એકલ દોકલ દેખાઈ રહ્યા હોય પણ અઠવાડિક ગણતરી કરવા જઈએ તો તેમાં ચોક્કસથી વધારો નોંધાયો છે.
ગણેશોત્સવ માં લોકો મોટી સંખ્યામાં આરતી કે કાર્યક્રમોમાં જોડાય છે. વિસર્જનના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો વિસર્જનયાત્રામાં જોડાય તેવી પુરેપુરી સંભાવના છે. વધુમાં નવરાત્રી માટે પણ સરકારે છૂટછાટ આપી છે. એટલે શેરી મહોલ્લામાં આ ઉત્સવની પણ તૈયારી શરૂ થી જશે તેમાં કોઈ બેમત નથી. પરંતુ જો કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવામાં નહીં આવે અને બેફિકરાઈ બતાવવામાં આવે તો આવનારા દિવસોમાં કોરોનાના કેસો વધશે તેમાં પણ કોઈ શંકા નથી.
જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ આવનારા તહેવારોમાં પણ આ બાબતનું ખાસ ધ્યાન આપવા અપીલ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલીકાનું આરોગ્ય વિભાગ કોરોનાના કેસો પર માઈક્રો કામગીરી કરીને નજર રાખી રહ્યું છે
સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા જણાવવામાં આવ્યું
જો કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવામાં નહીં આવે અને બેફિકરાઈ બતાવવામાં આવે તો આવનારા દિવસોમાં કોરોનાના કેસો વધશે તેમાં પણ કોઈ શંકા નથી
WatchGujarat. જેનો ડર હતો આખરે તે જ થઇ રહ્યું છે. સુરતમાં ધીરે ધીરે કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. અને આ જાહેરાત કરી છે સુરત મહાનગરપાલિકાએ 14 સપ્ટેમ્બરે કરેલી એક અખબારી યાદીમાં. જેમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ 7 સપ્ટેમ્બરથી લઈને તારીખ 13 સપ્ટેમ્બર સુધી શહેરમાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને અત્યારસુધીના કેસોની સંખ્યા 31 નોંધાઈ છે.
સુરત મહાનગરપાલીકાનું આરોગ્ય વિભાગ કોરોનાના કેસો પર માઈક્રો કામગીરી કરીને નજર રાખી રહ્યું છે. ભલે કોરોનાની બીજી લહેર ઓસરી રહી હોય, અને કેસોની સંખ્યા સિંગલ ડિજીટમાં દેખાઈ રહી હોય પરંતુ સુરત મનપાએ આ કેસોની ઝીણવટભરી વિગતો તપાસતા જે આંકડા સામે આવ્યા તે ચિંતા ઉપજાવનારા છે.
તારીખ 7 સપ્ટેમ્બરથી તારીખ 13 સપ્ટેમ્બર સુધી શહેરમાં રાંદેર ઝોનમાં 11, અઠવા ઝોનમાં 9, ઉધના ઝોનમાં 8, 2, લીંબાયત ઝોનમાં 1 મળીને કુલ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ રાંદેર ઝોનમાં 11 અને અઠવા ઝોનમાં 9 કેસ નોંધાયા છે.
હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. અને આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા હોય લોકોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કોરોનાના કેસો ભલે હાલ એકલ દોકલ દેખાઈ રહ્યા હોય પણ અઠવાડિક ગણતરી કરવા જઈએ તો તેમાં ચોક્કસથી વધારો નોંધાયો છે.
ગણેશોત્સવ માં લોકો મોટી સંખ્યામાં આરતી કે કાર્યક્રમોમાં જોડાય છે. વિસર્જનના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો વિસર્જનયાત્રામાં જોડાય તેવી પુરેપુરી સંભાવના છે. વધુમાં નવરાત્રી માટે પણ સરકારે છૂટછાટ આપી છે. એટલે શેરી મહોલ્લામાં આ ઉત્સવની પણ તૈયારી શરૂ થી જશે તેમાં કોઈ બેમત નથી. પરંતુ જો કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવામાં નહીં આવે અને બેફિકરાઈ બતાવવામાં આવે તો આવનારા દિવસોમાં કોરોનાના કેસો વધશે તેમાં પણ કોઈ શંકા નથી.
જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ આવનારા તહેવારોમાં પણ આ બાબતનું ખાસ ધ્યાન આપવા અપીલ કરવામાં આવી છે.