નવા બનેલા મંત્રીઓએ સુરતમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કર્યું
ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રા યોજાઈ
ગણેશ વિસર્જનના દિવસે મંદિરના રામકુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવા દેવામાં આવ્યું ન હતું
WatchGujarat. નવા મંત્રી મંડળમાં સુરતમાંથી ચાર ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે જેને લઈને નવનિયુક્ત મંત્રીઓ દ્વારા સુરતમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રામાં લોકોએ હાય હાયના નારા લગાવી તેઓનું સ્વાગત કર્યું હતું.
https://youtu.be/iqapkCQKazw
ભુપેન્દ્ર પટેલ ગયજરાતના નવા મુખ્યમંત્રી બન્યા હતા અને તેઓના મુખ્યમંત્રી બન્યા બાદ મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને નવું મંત્રી મંડળ બનાવવામાં આવ્યું હતું. આ મંત્રી મંડળમાં સુરતમાંથી 4 ધારાસભ્યોને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાંના એક ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ છે.
નવા બનેલા મંત્રીઓએ સુરતમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન પણ કર્યું છે અને અલગ અલગ જગ્યાએ કોરોનાને નેવે મૂકી આ યાત્રા યોજાઈ પણ રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે લોકોનો રોષ પણ સામે આવી રહ્યો છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી. જેમાં કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા તો ઊડ્યા જ હતા પરંતુ લોકોનો રોષ પણ સામે આવ્યો હતો.
ઓલપાડના સિદ્ધનાથ મંદિર ખાતે તેઓની જન આશીર્વાદ યાત્રા પહોંચી હતી આ દરમ્યાન કુવાદ ગામના રહીશોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. આ વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી.
ગણેશ વિસર્જનના દિવસે મંદિરના રામકુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવા દેવામાં આવ્યું ન હતું. એટલું જ નહીં રામકુંડમાં ધાર્મિક વિધિ પણ કરવા દેવામાં આવી ન હતી. જેથી આ મામલે ધારાસભ્ય મુકેશ પટેલને રજુઆત કરાઈ હતી પરંતુ તેઓ દ્વારા ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો હતો. લોકોને આશા હતી કે મંત્રી તેઓનું કામ કરશે પરંતુ એવું કંઈ બન્યું ન હતું જેથી જન આશીર્વાદ યાત્રામાં લોકોનો રોષ જોવા મળ્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. લોકોનો વિરોધ જોઈ આખરે પોલીસને પણ કાર્યવાહી કરવી પડી હતી.
નવા બનેલા મંત્રીઓએ સુરતમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કર્યું
ગણેશ વિસર્જનના દિવસે મંદિરના રામકુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવા દેવામાં આવ્યું ન હતું
WatchGujarat. નવા મંત્રી મંડળમાં સુરતમાંથી ચાર ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે જેને લઈને નવનિયુક્ત મંત્રીઓ દ્વારા સુરતમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રામાં લોકોએ હાય હાયના નારા લગાવી તેઓનું સ્વાગત કર્યું હતું.
ભુપેન્દ્ર પટેલ ગયજરાતના નવા મુખ્યમંત્રી બન્યા હતા અને તેઓના મુખ્યમંત્રી બન્યા બાદ મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને નવું મંત્રી મંડળ બનાવવામાં આવ્યું હતું. આ મંત્રી મંડળમાં સુરતમાંથી 4 ધારાસભ્યોને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાંના એક ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ છે.
નવા બનેલા મંત્રીઓએ સુરતમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન પણ કર્યું છે અને અલગ અલગ જગ્યાએ કોરોનાને નેવે મૂકી આ યાત્રા યોજાઈ પણ રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે લોકોનો રોષ પણ સામે આવી રહ્યો છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી. જેમાં કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા તો ઊડ્યા જ હતા પરંતુ લોકોનો રોષ પણ સામે આવ્યો હતો.
ઓલપાડના સિદ્ધનાથ મંદિર ખાતે તેઓની જન આશીર્વાદ યાત્રા પહોંચી હતી આ દરમ્યાન કુવાદ ગામના રહીશોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. આ વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી.
ગણેશ વિસર્જનના દિવસે મંદિરના રામકુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવા દેવામાં આવ્યું ન હતું. એટલું જ નહીં રામકુંડમાં ધાર્મિક વિધિ પણ કરવા દેવામાં આવી ન હતી. જેથી આ મામલે ધારાસભ્ય મુકેશ પટેલને રજુઆત કરાઈ હતી પરંતુ તેઓ દ્વારા ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો હતો. લોકોને આશા હતી કે મંત્રી તેઓનું કામ કરશે પરંતુ એવું કંઈ બન્યું ન હતું જેથી જન આશીર્વાદ યાત્રામાં લોકોનો રોષ જોવા મળ્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. લોકોનો વિરોધ જોઈ આખરે પોલીસને પણ કાર્યવાહી કરવી પડી હતી.