ગુજરાતને નવા મુખ્યમંત્રી બનવાથી કેટલો ફાયદો થશે કે નુકશાન તે હજી કહેવું મુશ્કેલ
શાસકોએ દિલ્હીમાં પદાધિકારીઓની કેબિનમાં કેજરીવાલના ફોટો હોવાનું કહીને પોતાના કેબિનમાં સીએમ રૂપાણી અને પીએમ મોદીનો ફોટો લગાવવાની ઘેલછા પુરી કરી
WatchGujarat. સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે તેવામાં વધુ એક આર્થિક ફટકો પાલિકાની તિજોરીને પડવા જઇ રહ્યો છે. તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક રાજીનામુ ધરી દીધું છે. અને નવા મુખ્યમંત્રી તરીકે હવે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાતને નવા મુખ્યમંત્રી બનવાથી કેટલો ફાયદો થશે કે નુકશાન એ તો હજી કહેવું મુશ્કેલ છે. પણ નવા મુખ્યમંત્રી બનવાથી સુરત મહાનગરપાલિકા ને આર્થિક નુકશાન ચોક્કસથી થયું છે.
વાસ્તવમાં થોડા સમય પહેલા જ સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, શાસક પક્ષ નેતા સહિતના ચેરમેન અને પદાધિકારીઓ ની કેબિનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા મુકવામાં આવ્યા હતા. આવા એક ફોટાની કિંમત 12 હજાર હતી. અને આ રીતે 1.25 લાખના ખર્ચે આવા 10 ફોટા તૈયાર કરવામાં આવ્યા હતા. આ બાબતે વિરોધ પણ ખૂબ થયો હતો. આમ આદમી પાર્ટીએ તેને ખોટો ખર્ચો ગણાવ્યો હતો.
જોકે તે સમયે શાસકોએ દિલ્હીમાં પણ પદાધિકારીઓની કેબિનમાં કેજરીવાલના ફોટો હોવાનું કહીને પોતાના કેબિનમાં સીએમ રૂપાણી અને પીએમ મોદીનો ફોટો લગાવવાની ઘેલછા પુરી કરી હતી. જોકે શાસકોને પણ મુખ્યમંત્રી બદલાવાનો અંદાજો નહિ હશે પણ હવે તેમને 1.25 લાખ રૂપિયાનું નુકશાન ઉઠાવવું પડ્યું છે. કારણ કે નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળતા હવે ફરી એકવાર આ ફોટો બદલવાની ફરજ ઉભી થઇ છે.
ગુજરાતને નવા મુખ્યમંત્રી બનવાથી કેટલો ફાયદો થશે કે નુકશાન તે હજી કહેવું મુશ્કેલ
શાસકોએ દિલ્હીમાં પદાધિકારીઓની કેબિનમાં કેજરીવાલના ફોટો હોવાનું કહીને પોતાના કેબિનમાં સીએમ રૂપાણી અને પીએમ મોદીનો ફોટો લગાવવાની ઘેલછા પુરી કરી
WatchGujarat. સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે તેવામાં વધુ એક આર્થિક ફટકો પાલિકાની તિજોરીને પડવા જઇ રહ્યો છે. તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક રાજીનામુ ધરી દીધું છે. અને નવા મુખ્યમંત્રી તરીકે હવે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાતને નવા મુખ્યમંત્રી બનવાથી કેટલો ફાયદો થશે કે નુકશાન એ તો હજી કહેવું મુશ્કેલ છે. પણ નવા મુખ્યમંત્રી બનવાથી સુરત મહાનગરપાલિકા ને આર્થિક નુકશાન ચોક્કસથી થયું છે.
વાસ્તવમાં થોડા સમય પહેલા જ સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, શાસક પક્ષ નેતા સહિતના ચેરમેન અને પદાધિકારીઓ ની કેબિનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા મુકવામાં આવ્યા હતા. આવા એક ફોટાની કિંમત 12 હજાર હતી. અને આ રીતે 1.25 લાખના ખર્ચે આવા 10 ફોટા તૈયાર કરવામાં આવ્યા હતા. આ બાબતે વિરોધ પણ ખૂબ થયો હતો. આમ આદમી પાર્ટીએ તેને ખોટો ખર્ચો ગણાવ્યો હતો.
જોકે તે સમયે શાસકોએ દિલ્હીમાં પણ પદાધિકારીઓની કેબિનમાં કેજરીવાલના ફોટો હોવાનું કહીને પોતાના કેબિનમાં સીએમ રૂપાણી અને પીએમ મોદીનો ફોટો લગાવવાની ઘેલછા પુરી કરી હતી. જોકે શાસકોને પણ મુખ્યમંત્રી બદલાવાનો અંદાજો નહિ હશે પણ હવે તેમને 1.25 લાખ રૂપિયાનું નુકશાન ઉઠાવવું પડ્યું છે. કારણ કે નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળતા હવે ફરી એકવાર આ ફોટો બદલવાની ફરજ ઉભી થઇ છે.