સંગીત મંડળ સંભાળતા સ્વામીસ્વરૂપ સ્વામીને એક મહિના સુધી મહાપુજરીની જવાબદારી સોંપાઈ
બંને સંતો સાથે કામ કરશે તેવા યોગી ડીવાઇન સોસાયટીના નિર્ણય બાદ પણ સેવા-ભક્તિની યાદી પ્રેમસ્વરૂપ સ્વામીએ તૈયાર કરતા અનેક તર્ક વિતર્કો
પ્રેમસ્વરૂપ સ્વામીના નામની આગળ "પરમ પૂજ્ય" લખાયું, એટલે શું ગાદીનો નિર્ણય થઈ ગયો?
WatchGujarat. વડોદરાના સોખડા સ્થિત હરિધામ સંસ્થાના પૂજ્ય હરીપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ ગાદી નો વિખવાદ શાંત થવાનું નામ લેતો નથી. બંને જૂથના હરિભક્તો દ્વારા સોશ્યલ મીડિયા પર વોર ચાલી રહી છે ત્યારે આજે એક નવો અને ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે. તાજેતરમાં સત્સંગી અનુજ ચૌહાણને માર મારવાના કિસ્સામાં જામીન મુક્ત થયેલા સ્વામીસ્વરૂપ સ્વામીને 1ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી સુધીમાં મંદિરના આયોજન યાદીમાં મહાપુજરીનો હોદ્દો આપવામાં આવ્યો છે. જે હોદ્દાનો નિર્ણય ખુદ પ્રેમસ્વરૂપ સ્વામીએ કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. સંસ્થામાં સંત્સંગીને માર મારીને લાંછન લગાવનાર સંતને મહત્વની જવાબદારી ખુદ પ્રેમ સ્વરૂપ સ્વામીએ આપતા હવે હરિભક્તોમાં ગણગણાટ શરૂ થયો છે. જોકે આવતીકાલથી અમલમાં આવનાર યાદી આજે જ વાયરલ થઈ જતાં સોશ્યલ મીડિયા પર ચકચાર જાગી છે.
પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસાનો વારસદાર કોણ? આ પ્રશ્ન હાલ સત્સંગીઓમાં ચાલી રહ્યો છે. જોકે યોગી ડીવાઈન સોસાયટીના નિર્ણયનો પત્ર સત્સંગીઓ પાસે પહોંચ્યો છે, ત્યારે તાજેતરમાં ફેબ્રુઆરી માસમાં મંદિરની સેવા ભક્તિની યાદીમાં અનુજને માર મારનાર સંત સ્વામી સ્વરૂપ સ્વામીને મહત્વની જવાબદારી સોંપાતા ફરી એકવાર વિવાદનો મધપુડો છેડાયો છે.
આધ્યાત્મિક સંકુલ હરિધામમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના ગત 6 જાન્યુઆરીએ બની હતી. મોબાઈલમાં વિડીયો ઉતાર્યા હોવાની શંકાએ અનુજ ચૌહાણને સંતોએ ભેગા મળીને માર માર્યો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો જ્યાં અનુજ ચૌહાણને માર મારનાર સંતોની ધરપકડ બાદ જામીન પર છૂટકારો થયો હતો.
ફેબ્રુઆરી માસમાં સંતોને સોંપવામાં આવેલી જવાબદારીમાં અગાઉ કીર્તન વિભાગ સંભાળતા સ્વામીસ્વરૂપ સ્વામીને મહાપૂજારીના હોદ્દાથી બિરદાવવામાં આવ્યા છે. આ યાદી સત્સંગીઓના વોટસએપ ગ્રુપમાં વાયરલ થતાં ચર્ચાનો વિષય જાગ્યો છે.
સંગીત મંડળ સંભાળતા સ્વામીસ્વરૂપ સ્વામીને એક મહિના સુધી મહાપુજરીની જવાબદારી સોંપાઈ
બંને સંતો સાથે કામ કરશે તેવા યોગી ડીવાઇન સોસાયટીના નિર્ણય બાદ પણ સેવા-ભક્તિની યાદી પ્રેમસ્વરૂપ સ્વામીએ તૈયાર કરતા અનેક તર્ક વિતર્કો
પ્રેમસ્વરૂપ સ્વામીના નામની આગળ "પરમ પૂજ્ય" લખાયું, એટલે શું ગાદીનો નિર્ણય થઈ ગયો?
WatchGujarat. વડોદરાના સોખડા સ્થિત હરિધામ સંસ્થાના પૂજ્ય હરીપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ ગાદી નો વિખવાદ શાંત થવાનું નામ લેતો નથી. બંને જૂથના હરિભક્તો દ્વારા સોશ્યલ મીડિયા પર વોર ચાલી રહી છે ત્યારે આજે એક નવો અને ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે. તાજેતરમાં સત્સંગી અનુજ ચૌહાણને માર મારવાના કિસ્સામાં જામીન મુક્ત થયેલા સ્વામીસ્વરૂપ સ્વામીને 1ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી સુધીમાં મંદિરના આયોજન યાદીમાં મહાપુજરીનો હોદ્દો આપવામાં આવ્યો છે. જે હોદ્દાનો નિર્ણય ખુદ પ્રેમસ્વરૂપ સ્વામીએ કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. સંસ્થામાં સંત્સંગીને માર મારીને લાંછન લગાવનાર સંતને મહત્વની જવાબદારી ખુદ પ્રેમ સ્વરૂપ સ્વામીએ આપતા હવે હરિભક્તોમાં ગણગણાટ શરૂ થયો છે. જોકે આવતીકાલથી અમલમાં આવનાર યાદી આજે જ વાયરલ થઈ જતાં સોશ્યલ મીડિયા પર ચકચાર જાગી છે.
પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસાનો વારસદાર કોણ? આ પ્રશ્ન હાલ સત્સંગીઓમાં ચાલી રહ્યો છે. જોકે યોગી ડીવાઈન સોસાયટીના નિર્ણયનો પત્ર સત્સંગીઓ પાસે પહોંચ્યો છે, ત્યારે તાજેતરમાં ફેબ્રુઆરી માસમાં મંદિરની સેવા ભક્તિની યાદીમાં અનુજને માર મારનાર સંત સ્વામી સ્વરૂપ સ્વામીને મહત્વની જવાબદારી સોંપાતા ફરી એકવાર વિવાદનો મધપુડો છેડાયો છે.
આધ્યાત્મિક સંકુલ હરિધામમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના ગત 6 જાન્યુઆરીએ બની હતી. મોબાઈલમાં વિડીયો ઉતાર્યા હોવાની શંકાએ અનુજ ચૌહાણને સંતોએ ભેગા મળીને માર માર્યો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો જ્યાં અનુજ ચૌહાણને માર મારનાર સંતોની ધરપકડ બાદ જામીન પર છૂટકારો થયો હતો.
ફેબ્રુઆરી માસમાં સંતોને સોંપવામાં આવેલી જવાબદારીમાં અગાઉ કીર્તન વિભાગ સંભાળતા સ્વામીસ્વરૂપ સ્વામીને મહાપૂજારીના હોદ્દાથી બિરદાવવામાં આવ્યા છે. આ યાદી સત્સંગીઓના વોટસએપ ગ્રુપમાં વાયરલ થતાં ચર્ચાનો વિષય જાગ્યો છે.