શહેરમાં મોટી સંખ્યામાં લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે
શહેરીજનોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતી લાવવા પોલીસે અપનાવી નવી રીત
ગોત્રી પોલીસની શી ટીમ દ્વારા ઓશીયા અને બંસલ મોલમાં પોસ્ટર બનાવ્યા
અલગ-અલગ પ્રકારના સાયબર ગુનાથી કેવી રીતે બચી શકાય તે અંગે લોકોને જાગૃત કર્યા
WatchGujarat. હાલમાં દેશભરમાં લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. વડોદરા શહેરમાં પણ સાયબર ગઠીયાઓ દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવીને લૂંટવામાં આવે છે. જેથી લોકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતતા લાવવા માટે ગોત્રી પોલીસની શી ટીમ દ્વારા પબ્લીક એનાઉન્સમેન્ટનો અનોખો પ્રયાસ કરાયો હતો.
https://youtu.be/IfYU0ykBCM0
સાયબર ક્રાઈમ વિશે અવેરનેશ કાર્યક્રમ કરતી શી ટીમ
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં વધી રહેલા સાયબર ક્રાઈમને જોતા વડોદરા પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંઘ દ્વારા સીટી પોલીસને પ્રજાજનોમાં આ અંગે જાગૃતતા લાવવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને પગલે આજે ગોત્રી પોલીસના અધિકારીઓ અને શી ટીમ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર પીઆઈ વી.આર.વાણીયાની આગેવાનીમાં ગોત્રી પોલીસની શી ટીમ દ્વારા શહેરના ઓશીયા મોલ અને બંસલ મોલમાં જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં પબ્લીક એનાઉન્સમેન્ટની સાથે સાથે લોક જાગૃતિ લાવવા માટે પોસ્ટરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઓશીયા મોલ અને બંસલ મોલમાં મોટા સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા આવતા હોય છે. જેથી શી ટીમના કર્મીઓ દ્વારા બંન્નો મોલમાં અલગ અલગ પ્રકારના સાયબર ગુના અંગેના પોસ્ટર બનાવી તેમજ આવા અપરાધોથી કેવી રીતે બચી શકાય તેની માહિતી આપી હતી. નોંધનીય છે કે લોકડાઉનના સમય બાદ સાયબર ક્રાઈમના કેસોમાં વધારો આવ્યો છે. હાલમાં ખુબ મોટી સંખ્યામાં લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. જેથી ગોત્રી પોલીસની શી ટીમ દ્વારા પબ્લીક એડ્રેસ સિસ્ટમ દ્વારા પ્રજાજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.
શહેરમાં મોટી સંખ્યામાં લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે
શહેરીજનોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતી લાવવા પોલીસે અપનાવી નવી રીત
ગોત્રી પોલીસની શી ટીમ દ્વારા ઓશીયા અને બંસલ મોલમાં પોસ્ટર બનાવ્યા
અલગ-અલગ પ્રકારના સાયબર ગુનાથી કેવી રીતે બચી શકાય તે અંગે લોકોને જાગૃત કર્યા
WatchGujarat. હાલમાં દેશભરમાં લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. વડોદરા શહેરમાં પણ સાયબર ગઠીયાઓ દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવીને લૂંટવામાં આવે છે. જેથી લોકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતતા લાવવા માટે ગોત્રી પોલીસની શી ટીમ દ્વારા પબ્લીક એનાઉન્સમેન્ટનો અનોખો પ્રયાસ કરાયો હતો.
સાયબર ક્રાઈમ વિશે અવેરનેશ કાર્યક્રમ કરતી શી ટીમ
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં વધી રહેલા સાયબર ક્રાઈમને જોતા વડોદરા પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંઘ દ્વારા સીટી પોલીસને પ્રજાજનોમાં આ અંગે જાગૃતતા લાવવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને પગલે આજે ગોત્રી પોલીસના અધિકારીઓ અને શી ટીમ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર પીઆઈ વી.આર.વાણીયાની આગેવાનીમાં ગોત્રી પોલીસની શી ટીમ દ્વારા શહેરના ઓશીયા મોલ અને બંસલ મોલમાં જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં પબ્લીક એનાઉન્સમેન્ટની સાથે સાથે લોક જાગૃતિ લાવવા માટે પોસ્ટરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઓશીયા મોલ અને બંસલ મોલમાં મોટા સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા આવતા હોય છે. જેથી શી ટીમના કર્મીઓ દ્વારા બંન્નો મોલમાં અલગ અલગ પ્રકારના સાયબર ગુના અંગેના પોસ્ટર બનાવી તેમજ આવા અપરાધોથી કેવી રીતે બચી શકાય તેની માહિતી આપી હતી. નોંધનીય છે કે લોકડાઉનના સમય બાદ સાયબર ક્રાઈમના કેસોમાં વધારો આવ્યો છે. હાલમાં ખુબ મોટી સંખ્યામાં લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. જેથી ગોત્રી પોલીસની શી ટીમ દ્વારા પબ્લીક એડ્રેસ સિસ્ટમ દ્વારા પ્રજાજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.