કોવિડ સ્મશાનમાં પણ 2 દિવસ સુધી મૃતદેહોમાં ઘટાડો બાદ પુનઃ વધારો
સિવિલમાં દર્દીઓના મૃત્યુ પાછળ ડેથ ઓડિટ આવ્યા પછી કારણ સ્પષ્ટ થશે : ડો. અભિનવ શર્મા
WatchGujarat. મિની લોકડાઉન અને કરફ્યુ બાદ છેલ્લા 2 દિવસમાં ભરૂચ કોવિડ સ્મશાનમાં અંતિમવિધિ માટે આવતા મૃતદેહોની સંખ્યા ઘટી હતી. જોકે શનિવારે પુનઃ વધારો નોંધાયો હતો. બીજી તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ કોરોનાની સારવાર લેતા 13 દર્દીઓના 24 કલાકમાં મૃત્યુ થયા હતા.
ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેર ઘાતકથી અતિ ઘાતક સાબિત થઈ રહી છે. કોરોના સંક્રમણ દિનપ્રતિદિન બેકાબુ થઈ રહ્યું છે, તો બીજી તરફ કોરોનામાં મોતનું તાંડવ પણ સમવાનું નામ લેતું નથી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 13 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબ ડો.અભિનવ શર્માએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 13 દર્દીઓના કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. જો કે તેમનો ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે. બે દિવસ સુધી જિલ્લામાં કોરોનાથી મૃત્યુની ગતિ ધીમી પડી ઓછી થઈ હતી તેમાં શનિવારે ફરી ચિંતા ઉપજાવતો વધારો થયો છે.
ભરૂચ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં પણ કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ ક્રિયામાં પુન: એકવાર વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસ મૃત્યુઆંક ઘટ્યા બાદ ફરીથી મૃત્યુઆંકમાં વધારો થયો છે જેના કારણે શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં વધતા કેસો અને મૃત્યુ આંક, સિવિલ હોસ્પિટલમાં પણ વ્યવસ્થાઓનો અભાવ , હોસ્પિટલોમાં બેડ ન મળવા તમામ હોસ્પિટલો ફૂલ થતા લોકો હોમઆઇસોલેટ થઈ રહ્યા છે, ઓક્સીજનની અછત, રેમડેસીવીર ઈન્જેકશનોની કાળાબજારી, વેકસીનેશન માટે લાઈનો વચ્ચે પડાપડી થઇ રહીં છે.
કોવિડ સ્મશાનમાં પણ 2 દિવસ સુધી મૃતદેહોમાં ઘટાડો બાદ પુનઃ વધારો
સિવિલમાં દર્દીઓના મૃત્યુ પાછળ ડેથ ઓડિટ આવ્યા પછી કારણ સ્પષ્ટ થશે : ડો. અભિનવ શર્મા
WatchGujarat. મિની લોકડાઉન અને કરફ્યુ બાદ છેલ્લા 2 દિવસમાં ભરૂચ કોવિડ સ્મશાનમાં અંતિમવિધિ માટે આવતા મૃતદેહોની સંખ્યા ઘટી હતી. જોકે શનિવારે પુનઃ વધારો નોંધાયો હતો. બીજી તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ કોરોનાની સારવાર લેતા 13 દર્દીઓના 24 કલાકમાં મૃત્યુ થયા હતા.
ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેર ઘાતકથી અતિ ઘાતક સાબિત થઈ રહી છે. કોરોના સંક્રમણ દિનપ્રતિદિન બેકાબુ થઈ રહ્યું છે, તો બીજી તરફ કોરોનામાં મોતનું તાંડવ પણ સમવાનું નામ લેતું નથી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 13 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબ ડો.અભિનવ શર્માએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 13 દર્દીઓના કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. જો કે તેમનો ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે. બે દિવસ સુધી જિલ્લામાં કોરોનાથી મૃત્યુની ગતિ ધીમી પડી ઓછી થઈ હતી તેમાં શનિવારે ફરી ચિંતા ઉપજાવતો વધારો થયો છે.
ભરૂચ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં પણ કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ ક્રિયામાં પુન: એકવાર વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસ મૃત્યુઆંક ઘટ્યા બાદ ફરીથી મૃત્યુઆંકમાં વધારો થયો છે જેના કારણે શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં વધતા કેસો અને મૃત્યુ આંક, સિવિલ હોસ્પિટલમાં પણ વ્યવસ્થાઓનો અભાવ , હોસ્પિટલોમાં બેડ ન મળવા તમામ હોસ્પિટલો ફૂલ થતા લોકો હોમઆઇસોલેટ થઈ રહ્યા છે, ઓક્સીજનની અછત, રેમડેસીવીર ઈન્જેકશનોની કાળાબજારી, વેકસીનેશન માટે લાઈનો વચ્ચે પડાપડી થઇ રહીં છે.