મ્યુકરમાયકોસીસનાં કેસોમાં નોંધપાત્ર વધારો થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી
ગુજરાતનાં અન્ય શહેરોની માફક રાજકોટમાં પણ હવે કોરોનાને બદલે મ્યુકરમાયકોસીસના લઈને ચિંતા વધી
સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો એક ખાસ વોર્ડ ઉભો કરવામાં
WatchGujarat. શહેરમાં કોરોનાનાં સંક્રમણમાં ધીમો ઘટાડો થઇ રહ્યો છે. જોકે મૃતકોની સંખ્યા 60 આસપાસ જ યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 59 દર્દીનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. સાથે બપોર સુધીમાં નવા 168 કેસ પણ નોંધાયા છે. એટલું જ નહીં શહેરમાં મ્યુકરમાયકોસીસનાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. અને 200થી વધુ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં જ કોરોનાની સારવાર દરમિયાન વધુ 59 દર્દીઓનાં મોત થયા છે.જો કે કોરોનાથી મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. ગઈકાલે થયેલા 62 મોત પૈકી માત્ર 11 દર્દીઓનાં મોત કોરોનાને કારણે થયા હોવાનું આ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો બીજીતરફ આજે બપોર સુધીમાં કોરોનાનાં વધુ 168 પોઝીટીવ કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 36606 થઈ છે. જોકે આ પૈકી 32673 દર્દીઓ ડિસ્ચાર્જ થતા રિકવરી રેઈટ 90 ટકા નજીક પહોંચી ગયો છે.
ગુજરાતનાં અન્ય શહેરોની માફક રાજકોટમાં પણ હવે કોરોનાને બદલે મ્યુકરમાયકોસીસના લઈને ચિંતા વધી છે. કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા જોખમ ખૂબ વધી જાય છે. છેલ્લા ત્રણ દિવસથી આ રોગને રોકવા માટેના ઇન્જેશન પણ ન હોવાથી દર્દીના સગા ધક્કા ખાઈ રહ્યા છે. આ રોગ માટે એન્ફોટેરિસીન-બી 50, લીપોસોમાલ એન્ફોટેરિસીન 50 મિલિગ્રામ બંને ઇન્જેશનની જરૂર પડે છે. પરંતુ હાલ રાજકોટમાં ક્યાંય આ ઇન્જેશનની મળતા નથી. રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ અંગે સાવ અંધારામાં હોઈ દર્દીઓ અને તેમના સગા પરેશાન થઈ રહ્યા છે.
આ અંગે રાજકોટ - સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ કહ્યું હતું કે, મ્યુકરમાયકોસીસના કેસમાં વધારો થયો છે. જેને લઈ સિવિલ હોસ્પિટલમાં અલાયદો 30 બેડનો એક ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. કોરોનાનાં દર્દીને પણ મ્યુકરમાયકોસીસની અસર થાય તો તેની પણ સારવાર કરવામાં આવશે. આ માટે જરૂરી ઇન્જેક્શન હાલમાં અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા હોઈ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન અને જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
મ્યુકરમાયકોસીસનાં કેસોમાં નોંધપાત્ર વધારો થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી
ગુજરાતનાં અન્ય શહેરોની માફક રાજકોટમાં પણ હવે કોરોનાને બદલે મ્યુકરમાયકોસીસના લઈને ચિંતા વધી
સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો એક ખાસ વોર્ડ ઉભો કરવામાં
WatchGujarat. શહેરમાં કોરોનાનાં સંક્રમણમાં ધીમો ઘટાડો થઇ રહ્યો છે. જોકે મૃતકોની સંખ્યા 60 આસપાસ જ યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 59 દર્દીનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. સાથે બપોર સુધીમાં નવા 168 કેસ પણ નોંધાયા છે. એટલું જ નહીં શહેરમાં મ્યુકરમાયકોસીસનાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. અને 200થી વધુ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં જ કોરોનાની સારવાર દરમિયાન વધુ 59 દર્દીઓનાં મોત થયા છે.જો કે કોરોનાથી મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. ગઈકાલે થયેલા 62 મોત પૈકી માત્ર 11 દર્દીઓનાં મોત કોરોનાને કારણે થયા હોવાનું આ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો બીજીતરફ આજે બપોર સુધીમાં કોરોનાનાં વધુ 168 પોઝીટીવ કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 36606 થઈ છે. જોકે આ પૈકી 32673 દર્દીઓ ડિસ્ચાર્જ થતા રિકવરી રેઈટ 90 ટકા નજીક પહોંચી ગયો છે.
ગુજરાતનાં અન્ય શહેરોની માફક રાજકોટમાં પણ હવે કોરોનાને બદલે મ્યુકરમાયકોસીસના લઈને ચિંતા વધી છે. કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા જોખમ ખૂબ વધી જાય છે. છેલ્લા ત્રણ દિવસથી આ રોગને રોકવા માટેના ઇન્જેશન પણ ન હોવાથી દર્દીના સગા ધક્કા ખાઈ રહ્યા છે. આ રોગ માટે એન્ફોટેરિસીન-બી 50, લીપોસોમાલ એન્ફોટેરિસીન 50 મિલિગ્રામ બંને ઇન્જેશનની જરૂર પડે છે. પરંતુ હાલ રાજકોટમાં ક્યાંય આ ઇન્જેશનની મળતા નથી. રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ અંગે સાવ અંધારામાં હોઈ દર્દીઓ અને તેમના સગા પરેશાન થઈ રહ્યા છે.
આ અંગે રાજકોટ - સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ કહ્યું હતું કે, મ્યુકરમાયકોસીસના કેસમાં વધારો થયો છે. જેને લઈ સિવિલ હોસ્પિટલમાં અલાયદો 30 બેડનો એક ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. કોરોનાનાં દર્દીને પણ મ્યુકરમાયકોસીસની અસર થાય તો તેની પણ સારવાર કરવામાં આવશે. આ માટે જરૂરી ઇન્જેક્શન હાલમાં અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા હોઈ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન અને જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.