ત્રણેય દર્દીઓ કોઇ ડોક્ટરની સલાહ વિના મિથેલીન બ્લુની આખી બોટલ પી ગયા
ત્રણેયની હાલત ગંભીર બની જતા ડોક્ટર સહિતના સ્ટાફમાં ભારે દોડધામ મચી
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ તો ઘટી રહ્યું છે. પરંતુ મૃતકોની સંખ્યામાં ખાસ કોઈ ઘટાડો થતો નથી. અને છેલ્લા 24 કલાકમાં વધુ 67 દર્દીઓનો કોરોનાની સારવાર દરમિયાન ભોગ લેવાયો છે. તો બપોર સુધી વધુ 166 પોઝીટીવ કેસ પણ સામે આવ્યા છે. એટલું જ નહીં સિવિલ હોસ્પિટલ ખાતે મિથેલીન બ્લુ પીતા ત્રણ દર્દીઓની હાલત ગંભીર હોવાનું સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ ત્રણેય દર્દીઓ કોઈ ડોક્ટરની સલાહ વિના મિથેલીન બ્લુની આખી બોટલ પી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તો સમરસ હોસ્ટેલ ખાતે ઉભા કરાયેલા કોવિડ સેન્ટરમાં ગિટારનાં તાલે દર્દીઓ ઝૂમી ઉઠયા હતા.
મિથેલીન બ્લુ વિશે જાણવા મળતી વિગત અનુસાર, 3 દર્દીઓ સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ દરમિયાન સેવાના નામે અપાતી મિથેલીન બ્લુ નામની દવાની આખી બોટલ આ ત્રણેય દર્દીઓએ પી લીધી હતી. તબીબી સલાહ વગર દવા લેતા ત્રણેયની હાલત ગંભીર બની જતા ડોક્ટર સહિતના સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઇ છે. પ્રિ ટ્રાએજ એરિયામાં જ સામાન્ય રીતે દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવતી હોય છે. ત્યાં કોઈ અજાણ્યો વ્યક્તિ મિથેલીન બ્લુની બોટલ મૂકી ગયો હતો. અને ત્રણેય દર્દીઓએ આ દવા પીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સિવિલ સુપરિટેનડેન્ટનાં જણાવ્યા મુજબ, આ બનાવ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આવેલ બર્ન્સ વોર્ડ પાસે પ્રિ ટ્રાએજ એરિયામાં બન્યો હતો. મિથેલીન બ્લુ પીતા ત્રણેયની હાલત ગંભીર થઈ છે. તેમજ ત્રણેયને કોવીડ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે આ એરિયામાં અજાણ્યા વ્યક્તિને પ્રવેશવાની મનાઈ છે. છતાં પણ અહીં કોઈ શખ્સ મિથેલીન બ્લુ મૂકી ગયો અને ત્રણેયે તે પી લીધી ત્યાં સુધી કોઈનું ધ્યાન નહીં પડતા સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 67નો ભોગ લીધો છે. સતાવાર વિગતો અનુસાર ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા શહેર - જીલ્લાના 67 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. કાલે થયેલા 59 પૈકી માત્ર 5 મૃત્યુ કોરોનાને કારણે થયાનું કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે.
બીજીતરફ પોઝીટીવ કેસની સંખ્યામાં ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને બપોર સુધીમાં વધુ 166 કેસ
પોઝીટીવ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજે બપોરે 12 સુધીમાં કોરોનાનાં વધુ 166 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 36,990 થઈ છે. જો કે આ પૈકી 33,121 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલ રિકવરી રેઈટ 90 ટકા નજીક સ્થિર છે. શહેર તેમજ જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 996 બેડ ઉપલબ્ધ હોવાનું પણ સતાવાર યાદીમાં જણાવાયું છે.
રાજકોટની સમરસ કોવિડ હોસ્પિટલમાં એટેન્ડેન્ટ ગિટાર સાથે ગીત ગાઈ રહ્યો હતો. તેના અવાજ અને સંગીત સાંભળી અન્ય દર્દીઓ પણ ઝૂમી ઉઠયા હતા. સંગીતકાર યુવાન મેહુલ વાઘેલા મ્યુઝિક ટીચર તરીકે કામ કરતો હતો. પણ ક્લાસ અને શાળા બંધ થતા તેઓને અટેન્ડન્ટ તરીકે નોકરી કરવાની ફરજ પડી છે. દરમિયાન તેઓના પિતા કોરોનાગ્રસ્ત થતા સમરસમાં દાખલ થયા હતા. અને પિતા પણ સંગીતકાર હોઈ તેઓ સંગીતથી સાજા થવાના વિશ્વાસ સાથે યુવાને પ્રાંત અધિકારી પાસે ગિટાર વગાડવાની મંજૂરી માંગી હતી. અને તરત જ મંજૂરી મળતા તેણે પોતાના પિતા સહિત અન્ય દર્દીઓને પણ ગિટાર સંભળાવી હતી. ગિટારનાં આ સુર સાંભળીને ત્યાં હાજર તમામ દર્દીઓ ઝૂમી ઉઠયા હતા.
ત્રણેય દર્દીઓ કોઇ ડોક્ટરની સલાહ વિના મિથેલીન બ્લુની આખી બોટલ પી ગયા
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ તો ઘટી રહ્યું છે. પરંતુ મૃતકોની સંખ્યામાં ખાસ કોઈ ઘટાડો થતો નથી. અને છેલ્લા 24 કલાકમાં વધુ 67 દર્દીઓનો કોરોનાની સારવાર દરમિયાન ભોગ લેવાયો છે. તો બપોર સુધી વધુ 166 પોઝીટીવ કેસ પણ સામે આવ્યા છે. એટલું જ નહીં સિવિલ હોસ્પિટલ ખાતે મિથેલીન બ્લુ પીતા ત્રણ દર્દીઓની હાલત ગંભીર હોવાનું સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ ત્રણેય દર્દીઓ કોઈ ડોક્ટરની સલાહ વિના મિથેલીન બ્લુની આખી બોટલ પી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તો સમરસ હોસ્ટેલ ખાતે ઉભા કરાયેલા કોવિડ સેન્ટરમાં ગિટારનાં તાલે દર્દીઓ ઝૂમી ઉઠયા હતા.
મિથેલીન બ્લુ વિશે જાણવા મળતી વિગત અનુસાર, 3 દર્દીઓ સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ દરમિયાન સેવાના નામે અપાતી મિથેલીન બ્લુ નામની દવાની આખી બોટલ આ ત્રણેય દર્દીઓએ પી લીધી હતી. તબીબી સલાહ વગર દવા લેતા ત્રણેયની હાલત ગંભીર બની જતા ડોક્ટર સહિતના સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઇ છે. પ્રિ ટ્રાએજ એરિયામાં જ સામાન્ય રીતે દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવતી હોય છે. ત્યાં કોઈ અજાણ્યો વ્યક્તિ મિથેલીન બ્લુની બોટલ મૂકી ગયો હતો. અને ત્રણેય દર્દીઓએ આ દવા પીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સિવિલ સુપરિટેનડેન્ટનાં જણાવ્યા મુજબ, આ બનાવ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આવેલ બર્ન્સ વોર્ડ પાસે પ્રિ ટ્રાએજ એરિયામાં બન્યો હતો. મિથેલીન બ્લુ પીતા ત્રણેયની હાલત ગંભીર થઈ છે. તેમજ ત્રણેયને કોવીડ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે આ એરિયામાં અજાણ્યા વ્યક્તિને પ્રવેશવાની મનાઈ છે. છતાં પણ અહીં કોઈ શખ્સ મિથેલીન બ્લુ મૂકી ગયો અને ત્રણેયે તે પી લીધી ત્યાં સુધી કોઈનું ધ્યાન નહીં પડતા સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 67નો ભોગ લીધો છે. સતાવાર વિગતો અનુસાર ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા શહેર - જીલ્લાના 67 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. કાલે થયેલા 59 પૈકી માત્ર 5 મૃત્યુ કોરોનાને કારણે થયાનું કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે.
બીજીતરફ પોઝીટીવ કેસની સંખ્યામાં ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને બપોર સુધીમાં વધુ 166 કેસ
પોઝીટીવ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજે બપોરે 12 સુધીમાં કોરોનાનાં વધુ 166 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 36,990 થઈ છે. જો કે આ પૈકી 33,121 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલ રિકવરી રેઈટ 90 ટકા નજીક સ્થિર છે. શહેર તેમજ જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 996 બેડ ઉપલબ્ધ હોવાનું પણ સતાવાર યાદીમાં જણાવાયું છે.
રાજકોટની સમરસ કોવિડ હોસ્પિટલમાં એટેન્ડેન્ટ ગિટાર સાથે ગીત ગાઈ રહ્યો હતો. તેના અવાજ અને સંગીત સાંભળી અન્ય દર્દીઓ પણ ઝૂમી ઉઠયા હતા. સંગીતકાર યુવાન મેહુલ વાઘેલા મ્યુઝિક ટીચર તરીકે કામ કરતો હતો. પણ ક્લાસ અને શાળા બંધ થતા તેઓને અટેન્ડન્ટ તરીકે નોકરી કરવાની ફરજ પડી છે. દરમિયાન તેઓના પિતા કોરોનાગ્રસ્ત થતા સમરસમાં દાખલ થયા હતા. અને પિતા પણ સંગીતકાર હોઈ તેઓ સંગીતથી સાજા થવાના વિશ્વાસ સાથે યુવાને પ્રાંત અધિકારી પાસે ગિટાર વગાડવાની મંજૂરી માંગી હતી. અને તરત જ મંજૂરી મળતા તેણે પોતાના પિતા સહિત અન્ય દર્દીઓને પણ ગિટાર સંભળાવી હતી. ગિટારનાં આ સુર સાંભળીને ત્યાં હાજર તમામ દર્દીઓ ઝૂમી ઉઠયા હતા.