શનિવારે 284 સેન્ટર પર બપોર સુધી 0 ડોઝ, 74 સેન્ટર પર જ 3313 ને અપાઈ વેકસીન
જિલ્લામાં અત્યાર સુધી 1.33 લાખ પુરૂષ, 1.07 લાખ સ્ત્રી અને 29 અન્ય ને રસી
79,514 સિનિયર સિટીઝન, 45-60 વર્ષના 1,13,059, 30 થી 45 વર્ષના 30,271 યુવાનો અને 18 થી 30 વર્ષના 17,415 યુવાનું રસીકરણ
7.66 લાખ 18 થી 44 વર્ષના યુવાનો માટે 4 તાલુકાઓમાં 10 જ સેન્ટર, 8 દિવસમાં 1 % જ વેક્સિનેશન
45 વર્ષથી વધુના નાગરિકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત નથી, 68 કેન્દ્રો પર વેક્સિન ઉપલબ્ધઃ CDHO
ઓનલાઇન રજિસ્ટ્રેશન ન થતા યુવાનોનો વેક્સિન સેન્ટરો પર ઘસારો
WatchGujarat. કોરોના મહામારી સામે હાલ વેકસીન જ એક કવચ છે અને મહત્તમ વેકસીનેશન ઉપર સરકાર ભાર મૂકી રહી છે ત્યારે વેકસીનેશનના ઉપલબ્ધ થતા ડોઝનો જથ્થો અને રોજ થઈ રહેલી કામગીરી જોતા હજી ભરૂચ જિલ્લાને જ કોરોના સામે વેકસીનનું કવચ પૂરો પાડવાનો ટાર્ગેટ આજ રફતારે 432 દિવસ એટલે કે સવા વર્ષ કાઢી નાખે તેમ જણાય રહ્યું છે.
ભારતમાં કોરોનાની સેન્કડ વેવમાં દરેક રાજ્ય સરકાર અને ઓરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ઉઘાડી કરી દીધી છે. દરરોજ હજારો લોકોના મોત થઇ રહ્યા છે ત્યારે કોરોના સામે નાગરિકોને બચાવવા માટે એક માત્ર ઉપાય છે વેક્સિનેશન. રાજ્ય સરકારે 1 મે થી 18 થી 44 વર્ષના લોકો માટે પણ વેક્સિનેશની છુટ આપી છે.
ભરૂચમાં 7.66 લાખ લોકો 18 થી 44 વર્ષની વય મર્યાદામાં આવે છે. જોકે તેમના માટે આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ, અંકલેશ્વરમાં 4-4 અને આમોદ, જંબુસરમાં 1-1 સેન્ટરો મળીને માત્ર 10 સેન્ટરો શરૂ કરાયા છે. તેની સામે અત્યાર સુધી 8 દિવસમાં માત્ર 1 % જેટલા લોકોને જ વેક્સિનેટ કરાયા છે. હાલ આ સેન્ટરોમાં વધારો થાય તેવી શક્યતા નથી.
ભરૂચ જિલ્લાના અન્ય 5 તાલુકાના યુવાનો વેક્સિન લેવા ઉત્સુક છે પરંતુ તેમને માટે કોઇ સુવિધા હાલ પુરતી નથી. જો આ જ ગતિએ વેક્સિનેશન પ્રક્રિયા ચાલશે તો 7.66 લાખ યુવા સહિત કુલ 12.26 લાખ જિલ્લાના લોકોને વેક્સિનેટ કરવા 432 દિવસ એટલે કે સવા વર્ષ જેટલો સમય લાગી શકે છે.
અત્યાર સુધીમાં 112 દિવસમાં 3,17,996 જેટલા લોકોએ વેક્સિન લીધી છે. હાલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 45 વર્ષથી વધુના નાગરિકોમાં વેક્સિન લેવા માટે જાગૃતતા ઓછી છે. જેના કારણે આ વયના વર્ગમાં પણ ટાર્ગેટ મુજબ વેક્સિનેશન થઇ રહ્યુ નથી. ઓવરઓલ વેક્સિનેશ પ્રક્રિયા પણ ધીમી ચાલી રહી છે. ઉપરાંત બીજો ડોઝ લેનારા નાગરિકોની સંખ્યા પણ ઘણી ઓછી છે.
16 જાન્યુઆરીથી ભરૂચ જિલ્લામાં પણ પ્રારંભે 3 સેન્ટર ખાતેથી વેકસીનેશન ડ્રાઇવ શરૂ કરાઇ હતી. પેહલા લોકો વેકસીનને લઈ ભયભીત હતા, જોકે સેકન્ડ વેવ સાથે વેકસીનજ કારગત હોવાનું ફલિત થતા વેકસીન મુકાવવા ડોટ શરૂ થઈ ગઈ હતી.જે બાદ જિલ્લામાં 267 વેકસીન સેન્ટરો કાર્યરત કરી દેવાયા હતા. હવે વેકસીનનો પૂરતો જથ્થો મળી રહ્યો નહિ હોવાની સમસ્યાને લઈ સેન્ટરો બહાર કતારો તો લાગે છે પણ ડોઝ ઓછા હોવાથી તમામનું રસીકરણ રોજે રોજ થઈ શકતું નથી. શનિવારે બપોર સુધીમાં 284 સેન્ટર પર 0 વેકસીનેશન નોંધાયું હતું, જ્યારે 74 સેન્ટર પર જ લોકોએ રસી મુકાવી હતી. બપોર સુધીમાં કુલ 3313 લોકોને રસી આપવામાં આવી હતી.
18 થી 44 વર્ષના નાગરિકો એલોટમેન્ટ વિના સેન્ટર પર ન પહોચે
ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર થઈ હાલ 18 થી 44 વર્ષના નાગરિકો માટેને વેક્સિનેશન સેન્ટર્સ 10 છે તેમાં વધારો થાય તેવી શક્યતા નથી. જે લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યુ છે અને જેતે શિડ્યુલ એલોટ થયો હોય ત્યારે જ સેન્ટર પર પહોચવુ. એલોટમેન્ટ રસિદ કે SMS વિના સેન્ટર પર વેક્સિન મુકાવી શકાશે નહી.
જોકે 45 વર્ષથી વધુના લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવુ ફરજિયાત નથી. તેઓ જિલ્લાના 68 કેન્દ્રો પર ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિન મુકાવી શકે છે. વેક્સિન સેન્ટર પર એલોટમેન્ટ વિનાના નાગરિકોને વેક્સિનેટ કરાય તેવી કોઇ શક્યતા નથી. તેથી ભીડ ઓછી કરીને સંક્રમણને ઘટાડવાનો પ્રયાસ દરેક નાગરિકે કરવો જોઇએ. તેમ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એસ દુલેરા જણાવી રહ્યાં છે.
1 દિવસમાં માત્ર 1000 યુવાઓને વેક્સિનની ક્ષમતા
વેક્સિનેશન માટે ઓનલાઇન કો-વિન વેબસાઇટ પર 18 થી 44 વર્ષના યુવાનોએ રજિસ્ટ્રેશન કરવુ ફરજિયાત છે. જોકે આ રજિસ્ટ્રેશન માત્ર 1 દિવસ અગાઉ જ કરી શકાય છે. જેના કારણે ભરૂચના યુવાઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આરોગ્ય વિભાગ મુજબ ભરૂચમાં 18 થી 44 વર્ષના માત્ર 1 હજાર યુવાનોને પ્રતિદિન વેક્સિનેટ કરી શકાય તેવી ક્ષમતા છે. જોકે આ સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ નહિવત છે. ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં પડતી તકલીફોની ફરિયાદ પણ લોકો કરી શકતા નથી. રજીસ્ટ્રેશનની તમામ પ્રક્રિયા ઓનલાઇન હોવાથી સ્થાનિક અધિકારીઓ તેમાં કોઇ બલદાવ કરી શકતા નથી
ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી વેકસીનેશન પર વોચ
- 20854 આરોગ્યકર્મીઓને - 2 ડોઝ
- 54699 ફ્રન્ટલાઇનર - 2 ડોઝ
- 2,28,433 સિનિયર સિટીઝન
- 8336 યુવાઓ 18 થી 44 વર્ષ
- 79514 વય 60 વર્ષથી ઉપરના
- 1,13,059 લોકો 45 થી 60 વર્ષના
- 30,271 લોકો 30 થી 45 વય
- 17,415 લોકો 18 થી 30 વર્ષ ઉંમર
- 2,40,281 ને પ્રથમ ડોઝ, 77,715 ને બીજો ડોઝ
- 1,33,093 પુરૂષ, 1,07,159 મહિલા, 29 થર્ડ જેન્ડર
- 19755 કોવેકશીન, 2,78,241 કોવિશિલ્ડ
3.17 લાખમાંથી માત્ર 70 ને જ રસી બાદ પ્રતિકૂળ અસર
ભરૂચ જિલ્લામાં 122 દિવસમાં 3,17,996 લોકોને કોરોના વેકસીનના ડોઝ અપાયા છે. જેની સામાન્ય, મધ્યમ થી વધુ પ્રતિકૂળ અસરની ટકાવારી માત્ર 0.022 % જોવા મળી છે. એટલે કે વેકસીન લીધા બાદ 70 લોકોને જ તેની સામાન્ય, મધ્યમ કે વધુ પ્રતિકૂળ અસર થઈ છે. જ્યારે 3,17,926 લોકોને વેકસીને કવચ પુરા પાડવામાં મહત્તમ ફાળો અને કવચ પ્રદાન કર્યું છે.
શનિવારે 284 સેન્ટર પર બપોર સુધી 0 ડોઝ, 74 સેન્ટર પર જ 3313 ને અપાઈ વેકસીન
જિલ્લામાં અત્યાર સુધી 1.33 લાખ પુરૂષ, 1.07 લાખ સ્ત્રી અને 29 અન્ય ને રસી
79,514 સિનિયર સિટીઝન, 45-60 વર્ષના 1,13,059, 30 થી 45 વર્ષના 30,271 યુવાનો અને 18 થી 30 વર્ષના 17,415 યુવાનું રસીકરણ
7.66 લાખ 18 થી 44 વર્ષના યુવાનો માટે 4 તાલુકાઓમાં 10 જ સેન્ટર, 8 દિવસમાં 1 % જ વેક્સિનેશન
45 વર્ષથી વધુના નાગરિકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત નથી, 68 કેન્દ્રો પર વેક્સિન ઉપલબ્ધઃ CDHO
ઓનલાઇન રજિસ્ટ્રેશન ન થતા યુવાનોનો વેક્સિન સેન્ટરો પર ઘસારો
WatchGujarat. કોરોના મહામારી સામે હાલ વેકસીન જ એક કવચ છે અને મહત્તમ વેકસીનેશન ઉપર સરકાર ભાર મૂકી રહી છે ત્યારે વેકસીનેશનના ઉપલબ્ધ થતા ડોઝનો જથ્થો અને રોજ થઈ રહેલી કામગીરી જોતા હજી ભરૂચ જિલ્લાને જ કોરોના સામે વેકસીનનું કવચ પૂરો પાડવાનો ટાર્ગેટ આજ રફતારે 432 દિવસ એટલે કે સવા વર્ષ કાઢી નાખે તેમ જણાય રહ્યું છે.
ભારતમાં કોરોનાની સેન્કડ વેવમાં દરેક રાજ્ય સરકાર અને ઓરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ઉઘાડી કરી દીધી છે. દરરોજ હજારો લોકોના મોત થઇ રહ્યા છે ત્યારે કોરોના સામે નાગરિકોને બચાવવા માટે એક માત્ર ઉપાય છે વેક્સિનેશન. રાજ્ય સરકારે 1 મે થી 18 થી 44 વર્ષના લોકો માટે પણ વેક્સિનેશની છુટ આપી છે.
ભરૂચમાં 7.66 લાખ લોકો 18 થી 44 વર્ષની વય મર્યાદામાં આવે છે. જોકે તેમના માટે આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ, અંકલેશ્વરમાં 4-4 અને આમોદ, જંબુસરમાં 1-1 સેન્ટરો મળીને માત્ર 10 સેન્ટરો શરૂ કરાયા છે. તેની સામે અત્યાર સુધી 8 દિવસમાં માત્ર 1 % જેટલા લોકોને જ વેક્સિનેટ કરાયા છે. હાલ આ સેન્ટરોમાં વધારો થાય તેવી શક્યતા નથી.
ભરૂચ જિલ્લાના અન્ય 5 તાલુકાના યુવાનો વેક્સિન લેવા ઉત્સુક છે પરંતુ તેમને માટે કોઇ સુવિધા હાલ પુરતી નથી. જો આ જ ગતિએ વેક્સિનેશન પ્રક્રિયા ચાલશે તો 7.66 લાખ યુવા સહિત કુલ 12.26 લાખ જિલ્લાના લોકોને વેક્સિનેટ કરવા 432 દિવસ એટલે કે સવા વર્ષ જેટલો સમય લાગી શકે છે.
અત્યાર સુધીમાં 112 દિવસમાં 3,17,996 જેટલા લોકોએ વેક્સિન લીધી છે. હાલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 45 વર્ષથી વધુના નાગરિકોમાં વેક્સિન લેવા માટે જાગૃતતા ઓછી છે. જેના કારણે આ વયના વર્ગમાં પણ ટાર્ગેટ મુજબ વેક્સિનેશન થઇ રહ્યુ નથી. ઓવરઓલ વેક્સિનેશ પ્રક્રિયા પણ ધીમી ચાલી રહી છે. ઉપરાંત બીજો ડોઝ લેનારા નાગરિકોની સંખ્યા પણ ઘણી ઓછી છે.
16 જાન્યુઆરીથી ભરૂચ જિલ્લામાં પણ પ્રારંભે 3 સેન્ટર ખાતેથી વેકસીનેશન ડ્રાઇવ શરૂ કરાઇ હતી. પેહલા લોકો વેકસીનને લઈ ભયભીત હતા, જોકે સેકન્ડ વેવ સાથે વેકસીનજ કારગત હોવાનું ફલિત થતા વેકસીન મુકાવવા ડોટ શરૂ થઈ ગઈ હતી.જે બાદ જિલ્લામાં 267 વેકસીન સેન્ટરો કાર્યરત કરી દેવાયા હતા. હવે વેકસીનનો પૂરતો જથ્થો મળી રહ્યો નહિ હોવાની સમસ્યાને લઈ સેન્ટરો બહાર કતારો તો લાગે છે પણ ડોઝ ઓછા હોવાથી તમામનું રસીકરણ રોજે રોજ થઈ શકતું નથી. શનિવારે બપોર સુધીમાં 284 સેન્ટર પર 0 વેકસીનેશન નોંધાયું હતું, જ્યારે 74 સેન્ટર પર જ લોકોએ રસી મુકાવી હતી. બપોર સુધીમાં કુલ 3313 લોકોને રસી આપવામાં આવી હતી.
18 થી 44 વર્ષના નાગરિકો એલોટમેન્ટ વિના સેન્ટર પર ન પહોચે
ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર થઈ હાલ 18 થી 44 વર્ષના નાગરિકો માટેને વેક્સિનેશન સેન્ટર્સ 10 છે તેમાં વધારો થાય તેવી શક્યતા નથી. જે લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યુ છે અને જેતે શિડ્યુલ એલોટ થયો હોય ત્યારે જ સેન્ટર પર પહોચવુ. એલોટમેન્ટ રસિદ કે SMS વિના સેન્ટર પર વેક્સિન મુકાવી શકાશે નહી.
જોકે 45 વર્ષથી વધુના લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવુ ફરજિયાત નથી. તેઓ જિલ્લાના 68 કેન્દ્રો પર ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિન મુકાવી શકે છે. વેક્સિન સેન્ટર પર એલોટમેન્ટ વિનાના નાગરિકોને વેક્સિનેટ કરાય તેવી કોઇ શક્યતા નથી. તેથી ભીડ ઓછી કરીને સંક્રમણને ઘટાડવાનો પ્રયાસ દરેક નાગરિકે કરવો જોઇએ. તેમ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એસ દુલેરા જણાવી રહ્યાં છે.
1 દિવસમાં માત્ર 1000 યુવાઓને વેક્સિનની ક્ષમતા
વેક્સિનેશન માટે ઓનલાઇન કો-વિન વેબસાઇટ પર 18 થી 44 વર્ષના યુવાનોએ રજિસ્ટ્રેશન કરવુ ફરજિયાત છે. જોકે આ રજિસ્ટ્રેશન માત્ર 1 દિવસ અગાઉ જ કરી શકાય છે. જેના કારણે ભરૂચના યુવાઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આરોગ્ય વિભાગ મુજબ ભરૂચમાં 18 થી 44 વર્ષના માત્ર 1 હજાર યુવાનોને પ્રતિદિન વેક્સિનેટ કરી શકાય તેવી ક્ષમતા છે. જોકે આ સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ નહિવત છે. ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં પડતી તકલીફોની ફરિયાદ પણ લોકો કરી શકતા નથી. રજીસ્ટ્રેશનની તમામ પ્રક્રિયા ઓનલાઇન હોવાથી સ્થાનિક અધિકારીઓ તેમાં કોઇ બલદાવ કરી શકતા નથી
ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી વેકસીનેશન પર વોચ
- 20854 આરોગ્યકર્મીઓને - 2 ડોઝ
- 54699 ફ્રન્ટલાઇનર - 2 ડોઝ
- 2,28,433 સિનિયર સિટીઝન
- 8336 યુવાઓ 18 થી 44 વર્ષ
- 79514 વય 60 વર્ષથી ઉપરના
- 1,13,059 લોકો 45 થી 60 વર્ષના
- 30,271 લોકો 30 થી 45 વય
- 17,415 લોકો 18 થી 30 વર્ષ ઉંમર
- 2,40,281 ને પ્રથમ ડોઝ, 77,715 ને બીજો ડોઝ
- 1,33,093 પુરૂષ, 1,07,159 મહિલા, 29 થર્ડ જેન્ડર
- 19755 કોવેકશીન, 2,78,241 કોવિશિલ્ડ
3.17 લાખમાંથી માત્ર 70 ને જ રસી બાદ પ્રતિકૂળ અસર
ભરૂચ જિલ્લામાં 122 દિવસમાં 3,17,996 લોકોને કોરોના વેકસીનના ડોઝ અપાયા છે. જેની સામાન્ય, મધ્યમ થી વધુ પ્રતિકૂળ અસરની ટકાવારી માત્ર 0.022 % જોવા મળી છે. એટલે કે વેકસીન લીધા બાદ 70 લોકોને જ તેની સામાન્ય, મધ્યમ કે વધુ પ્રતિકૂળ અસર થઈ છે. જ્યારે 3,17,926 લોકોને વેકસીને કવચ પુરા પાડવામાં મહત્તમ ફાળો અને કવચ પ્રદાન કર્યું છે.