અંતરો કિલોમીટરને આધિન હતાં - ત્યારની વાત છે. રૂબરૂ મુલાકાત એ અનેરો અવસર હતો. વર્ચ્યુલ જગતમાં સ્થળ કાળ પરાધિન નથી. મુલાકાતની મજા અનેરી હોય છે. સુરેશ દલાલે દળદાર પુસ્તકમાં અનેકવિધ હસ્તિઓનાં ઇન્ટરવ્યૂ છાપ્યા છે. રૂબરૂ થવાની, રૂબરૂ હોવાની મજા કાયમ નોખી રહી છે. વિચક્ષણ પ્રતિભા ધરાવતા લોકો કે આધ્યાત્મિક દરજ્જો પામેલા માટે 'દશૅન' શબ્દ ધન્યતા બક્ષીતો, પણ, એ બાબતને અવગણીને અત્યારે રૂબરૂ મુલાકાતનો મહિમા ગાવો છે. વ્હોટસએપનાં ફરતાં વિડિયોમાં જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રમુખ સ્વામી અને બિલક્લિન્ટનની મુલાકાત વિશે વાત કરીને બેવની વચ્ચેના ભાષાના અંતર હોવા છતાં ફક્ત ૨૨ મિનિટની મુલાકાતનાં પ્રભાવની વાત કરી છે. આજે એ વિચારનો બીજ તરીકે ઉપયોગ કરીને વાત કરું છું જેનો આનંદ છે.
મારા મોટાબેન મેધા જોષીએ વડોદરા લિટરેચર ફેસ્ટિવલમાં 'ભ્રમ ભાંગે ત્યારે..' વિષય પર વ્યક્તવ્ય આપ્યું ત્યારે રમેશ પારેખ... સાંવરિયો રે મારો સાંવરિયોને ગાંધીનગર ગૃહ ખાતે મળવાની પ્રથમ તક મળી ત્યારે તેઓ એક ભાવક તરીકે ગયાં ને જ્યારે એવું જાણ્યું કે કવિ બીડી પીવા backstageમાં ગયાં છે!! 'ત્યારે એમને લાગેલા આધાતનો પાર ન્હોતોની વાત રૂબરૂમાં મારે કરવી જ રહી. તેઓની પરવાનગીથી આ વાત મૂકુ છું. પણ, અમૂકતમૂક real encounterની વાત કરતાં ઘણીવખત સારા નરસા બેવ અનુભવો થઇને જ રહે છે.
ખરું કહું તો આ લોકડાઉનનાં સમયમાં મળવાની સમયમર્યાદા વખતે આ બાબત ઘણી ઉચિત લાગે છે. રૂબરૂનો મોભો રહ્યો છે ને રહેશે. મળવાની તક એ ભૂતકાળની બાબત છે. શિક્ષક અને શિખવું પૂરક હોવા છતાં એક જ ક્લાસમાં ભણવામાં હોશિયારને નબળા એમ બે વિરોધાભાસીઓ મળી જ રહે છે. તેમ કાયમ સાથે રહેતાંઓ પર તેઓ પ્રભાવ પાડી શકતા નથી. મહાત્મા ગાંધીજી અને એમનાં પુત્ર હરિલાલ એ અંતિમોનાં સત્યો મોજૂદ છે. છતાં ધણીવાર કોકવાર કે એકાદવાર મળ્યાંને પછી કાયમી તેમના દિવાના થઇ ગયાં નાં દાખલા મોજૂદ છે.
ઓશો રજનિશજીનાં સાધકોમાં પણ એવું બને છે બનતું રહેશે. ઘણાં એમને રૂબરૂ ન મળ્યાં હોવા છતાં એમનાં પ્રભાવમાં હજી આજે ય છે. ગૌતમ મહાવીર કે શ્રીકૃષ્ણ સુધ્ધાં આ ઘરતી પરના જ વ્યક્તિઓ હતાં છતાં તે અરસામાં પણ ઘણાં જલકમલવત લોકો જન્મીને ગુજરી ગયા.તો મીરાં અંતે શ્રીકૃષ્ણમાં ભળી ગયાંની વાત આસપાસમાં જ છે.
ખેર, રૂબરૂ મુલાકાતની વાત પર આજે અલ્પવિરામ મૂકીને A+વાતે વિરમું છું
ગયાં વખતના સવાલનો જવાબ
સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરીએ થયો હતો તેથી જ સરકારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો હતો. સ્વામી વિવેકાનંદ માનતા હતા કે એક ઉત્તમ સમાજ અને ઉત્તમ રાષ્ટ્ર નિર્માણનું એકમાત્ર સ્રોત શિક્ષણ છે. વર્ષ 1984 માં સરકારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો.જેની આ વખતની થીમ હતી' YUVAAH – Utsah Naye Bharat Ka”.
A+ સવાલ
મેરુ પવૅત ક્યાં આવેલો છે?
આવતા બુધવારે ફરી મળ્યાં A+વાતે.
સ્વસ્થ રહો - મસ્ત રહો - વ્યસ્ત રહો. તથાસ્તુ!!
Share – Like – Comment
positivevaato@gmail.com
અંતરો કિલોમીટરને આધિન હતાં - ત્યારની વાત છે. રૂબરૂ મુલાકાત એ અનેરો અવસર હતો. વર્ચ્યુલ જગતમાં સ્થળ કાળ પરાધિન નથી. મુલાકાતની મજા અનેરી હોય છે. સુરેશ દલાલે દળદાર પુસ્તકમાં અનેકવિધ હસ્તિઓનાં ઇન્ટરવ્યૂ છાપ્યા છે. રૂબરૂ થવાની, રૂબરૂ હોવાની મજા કાયમ નોખી રહી છે. વિચક્ષણ પ્રતિભા ધરાવતા લોકો કે આધ્યાત્મિક દરજ્જો પામેલા માટે 'દશૅન' શબ્દ ધન્યતા બક્ષીતો, પણ, એ બાબતને અવગણીને અત્યારે રૂબરૂ મુલાકાતનો મહિમા ગાવો છે. વ્હોટસએપનાં ફરતાં વિડિયોમાં જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રમુખ સ્વામી અને બિલક્લિન્ટનની મુલાકાત વિશે વાત કરીને બેવની વચ્ચેના ભાષાના અંતર હોવા છતાં ફક્ત ૨૨ મિનિટની મુલાકાતનાં પ્રભાવની વાત કરી છે. આજે એ વિચારનો બીજ તરીકે ઉપયોગ કરીને વાત કરું છું જેનો આનંદ છે.
મારા મોટાબેન મેધા જોષીએ વડોદરા લિટરેચર ફેસ્ટિવલમાં 'ભ્રમ ભાંગે ત્યારે..' વિષય પર વ્યક્તવ્ય આપ્યું ત્યારે રમેશ પારેખ... સાંવરિયો રે મારો સાંવરિયોને ગાંધીનગર ગૃહ ખાતે મળવાની પ્રથમ તક મળી ત્યારે તેઓ એક ભાવક તરીકે ગયાં ને જ્યારે એવું જાણ્યું કે કવિ બીડી પીવા backstageમાં ગયાં છે!! 'ત્યારે એમને લાગેલા આધાતનો પાર ન્હોતોની વાત રૂબરૂમાં મારે કરવી જ રહી. તેઓની પરવાનગીથી આ વાત મૂકુ છું. પણ, અમૂકતમૂક real encounterની વાત કરતાં ઘણીવખત સારા નરસા બેવ અનુભવો થઇને જ રહે છે.
ખરું કહું તો આ લોકડાઉનનાં સમયમાં મળવાની સમયમર્યાદા વખતે આ બાબત ઘણી ઉચિત લાગે છે. રૂબરૂનો મોભો રહ્યો છે ને રહેશે. મળવાની તક એ ભૂતકાળની બાબત છે. શિક્ષક અને શિખવું પૂરક હોવા છતાં એક જ ક્લાસમાં ભણવામાં હોશિયારને નબળા એમ બે વિરોધાભાસીઓ મળી જ રહે છે. તેમ કાયમ સાથે રહેતાંઓ પર તેઓ પ્રભાવ પાડી શકતા નથી. મહાત્મા ગાંધીજી અને એમનાં પુત્ર હરિલાલ એ અંતિમોનાં સત્યો મોજૂદ છે. છતાં ધણીવાર કોકવાર કે એકાદવાર મળ્યાંને પછી કાયમી તેમના દિવાના થઇ ગયાં નાં દાખલા મોજૂદ છે.
ઓશો રજનિશજીનાં સાધકોમાં પણ એવું બને છે બનતું રહેશે. ઘણાં એમને રૂબરૂ ન મળ્યાં હોવા છતાં એમનાં પ્રભાવમાં હજી આજે ય છે. ગૌતમ મહાવીર કે શ્રીકૃષ્ણ સુધ્ધાં આ ઘરતી પરના જ વ્યક્તિઓ હતાં છતાં તે અરસામાં પણ ઘણાં જલકમલવત લોકો જન્મીને ગુજરી ગયા.તો મીરાં અંતે શ્રીકૃષ્ણમાં ભળી ગયાંની વાત આસપાસમાં જ છે.
સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરીએ થયો હતો તેથી જ સરકારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો હતો. સ્વામી વિવેકાનંદ માનતા હતા કે એક ઉત્તમ સમાજ અને ઉત્તમ રાષ્ટ્ર નિર્માણનું એકમાત્ર સ્રોત શિક્ષણ છે. વર્ષ 1984 માં સરકારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો.જેની આ વખતની થીમ હતી' YUVAAH – Utsah Naye Bharat Ka”.