ભાવનું પવિત્ર ઝરણું મૂજ હૈયામાં વહ્યાં કરે..! ને જીવન મંત્ર બનાવનારાઓની આજે A+વાત કરવી છે. અલગ જ પ્રકારની ચેતના આ લોકો ધરાવતા હોય છે. તેઓ જગત મિત્ર હોય. કોઈપણ ડિપાર્ટમેન્ટમાં એમને ઉચ્ચ અધિકારીઓ ઓળખતાં જ હોય. ગમે તે કામ હોય એની પ્હોંચ હોય જ. ભણેલાં નથી હોતાં તેઓ ગણેલાં હોય છે. તમારી આસપાસ હશે એવાં લોકો જેને આપણે jack of all થી ઓળખીએ છીએ. એમની ખાસિયત એમનો વ્યહાર છે. સામેવાળાની નાનામાં નાની ડિટેલીંગ રાખવી એ એમનો ગુણ છે. એમનું સૌથી મોટું જમા પાસુ વ્યવહાર કુશળતા છે.
તેઓની પાસે શામ – દામ – દંડ - ભેદની નિતી હોય છે. જેને ઉચિત સમયે એ ખપમાં લે છે. મિનિસ્ટરથી માંડીને ચપરાસી તેમને નામથી ઓળખે છે. સામેવાળાનાં બે ત્રણ નાના કામ પોતે કરીને પોતાનું મોટું કામ તેઓ કરી લેતાં હોય છે. દાઉદ જ્યારે ટપોરી હતો ત્યારે દયાશંકર નામક એક કસ્ટમ અધિકારીને હાથ બે ત્રણવાર ઝડપાઈ ગયેલો. ત્યારે એનું નેટવર્ક એટલું સ્ટ્રોંગ ન્હોતું પણ, સમયાંતરે એવું બનતું ગયું કે એ એકમાત્ર એનાથી ગભરાતોને માટે સરકારી ઇશારે એનાં કામ કરવાની જગ્યા એથી પેલા બાહોશ અધિકારીની બદલી થઇ જતી.
સરફરોશ ફિલ્મમાં એક 'ખબરી'નું પાત્ર હતું જેને ઇન્ફોર્મેશન ન આપવાનાંય પૈસા ગુન્હેગાર તરફથી મળતાં અને ઇન્ફોર્મેશન આપવાનાં પોલીસ તરફથી. આવા ઓની ઉડાન સિમિત રહેતી. તેઓ વન ડે વન્ડર જેવાં રહેતાં. સમયાંતરે ખોવાઈ પણ જતાં. આ સિવાયની એક એવી પ્રજાતિ કે જે આખી જિંદગી બીજાના કામ કરતાં કરતાં પોતાના માટેનું થોડું ઉમેરણ કરતી મધ્યમથી થોડું વધારે પામી શમી જતી.
આ સિવાયનાં જે 'જગતમિત્ર' વાત કરીએ છીએ તેઓ ધમૅ બાબતે લૌચિક હોય છે. સામેવાળાને જેમાં શ્રધ્ધા એ એમનો ધરમ એ અધિકારી જો સાંઇબાબામાં માનતો હોય તો એ પ્રસાદ પહોંચાડીને જ જંપે. પોતે નવરી બજાર જેવો જ હોય જતાંની સાથે જવું 'Go with Flow' એમની ખાસિયત હોય. Birthday - anniversaries યાદ રાખે. હાથ નજરનાં ચોખ્ખો હોય એટલે બૈરાં - બેટીઓને પણ સાચવે. એ સીધીવાત કરવાનું પસંદ કરે. પોતે ભલે વચેટીયો રહે પણ deal માં એ હોય જ ક્યારેક એકપણ રુપિયો ન લે કારણકે એ સંબંધ ઉભા કરવાની પેરવીમાં લાંબાગાળાની યોજના ઘડે ને પછી સીધી મોટી ખેપ મારે જેમાં મોટાભાગના ઓળખ છૂપાવે ત્યાં એ બન્ને પક્ષે ફાવી જાય. પોતાનું વ્યક્તિત્વ સંત જેવું જ રાખે 'અપરિગ્રહ'નો અદ્ભુત આડંબર રચે. એવાંનાં ગ્રહો ક્યારેક ફેવર કરે તો ભારત જેવાં દેશમાં તંત્રી – મંત્રી કે સંત્રી ય બની જાય.
આજે A+વાતે એમનાં કેટલાંક ગુણોની ચર્ચા કરી છે. જો પસંદ પડે તો જીવનમાં ખપ પૂરતું ઉમેરણ કરજો. તમારા કામ થવાનાં શરૂ થઇ જશે.
ગયાં સવાલનો જવાબ
હરિદાસનાં બીજા શિષ્ય હતાં બૈજનાથ મિશ્ર યાને 'બૈજુબાવરાં'.
આજનો સવાલ
૨જી ઓક્ટોબર ગાંધીજી સિવાયનાં ક્યા નેતાનો જન્મદિન છે? એનાં પરથી બનેલી ફિલ્મનું નામ જણાવો?
જવાબ આટિૅકલનાં અંતે કોમેન્ટ કરો. અથવા ઇ-મેલ કરો... આવતાં બુધવારે ફરી મળ્યાં ત્યાં લગી.. સ્વસ્થ રહો - મસ્ત રહો - વ્યસ્ત રહો. તથાસ્તુ!!
Share – Like – Comment
positivevaato@gmail.com
ભાવનું પવિત્ર ઝરણું મૂજ હૈયામાં વહ્યાં કરે..! ને જીવન મંત્ર બનાવનારાઓની આજે A+વાત કરવી છે. અલગ જ પ્રકારની ચેતના આ લોકો ધરાવતા હોય છે. તેઓ જગત મિત્ર હોય. કોઈપણ ડિપાર્ટમેન્ટમાં એમને ઉચ્ચ અધિકારીઓ ઓળખતાં જ હોય. ગમે તે કામ હોય એની પ્હોંચ હોય જ. ભણેલાં નથી હોતાં તેઓ ગણેલાં હોય છે. તમારી આસપાસ હશે એવાં લોકો જેને આપણે jack of all થી ઓળખીએ છીએ. એમની ખાસિયત એમનો વ્યહાર છે. સામેવાળાની નાનામાં નાની ડિટેલીંગ રાખવી એ એમનો ગુણ છે. એમનું સૌથી મોટું જમા પાસુ વ્યવહાર કુશળતા છે.
તેઓની પાસે શામ – દામ – દંડ - ભેદની નિતી હોય છે. જેને ઉચિત સમયે એ ખપમાં લે છે. મિનિસ્ટરથી માંડીને ચપરાસી તેમને નામથી ઓળખે છે. સામેવાળાનાં બે ત્રણ નાના કામ પોતે કરીને પોતાનું મોટું કામ તેઓ કરી લેતાં હોય છે. દાઉદ જ્યારે ટપોરી હતો ત્યારે દયાશંકર નામક એક કસ્ટમ અધિકારીને હાથ બે ત્રણવાર ઝડપાઈ ગયેલો. ત્યારે એનું નેટવર્ક એટલું સ્ટ્રોંગ ન્હોતું પણ, સમયાંતરે એવું બનતું ગયું કે એ એકમાત્ર એનાથી ગભરાતોને માટે સરકારી ઇશારે એનાં કામ કરવાની જગ્યા એથી પેલા બાહોશ અધિકારીની બદલી થઇ જતી.
સરફરોશ ફિલ્મમાં એક 'ખબરી'નું પાત્ર હતું જેને ઇન્ફોર્મેશન ન આપવાનાંય પૈસા ગુન્હેગાર તરફથી મળતાં અને ઇન્ફોર્મેશન આપવાનાં પોલીસ તરફથી. આવા ઓની ઉડાન સિમિત રહેતી. તેઓ વન ડે વન્ડર જેવાં રહેતાં. સમયાંતરે ખોવાઈ પણ જતાં. આ સિવાયની એક એવી પ્રજાતિ કે જે આખી જિંદગી બીજાના કામ કરતાં કરતાં પોતાના માટેનું થોડું ઉમેરણ કરતી મધ્યમથી થોડું વધારે પામી શમી જતી.
આ સિવાયનાં જે 'જગતમિત્ર' વાત કરીએ છીએ તેઓ ધમૅ બાબતે લૌચિક હોય છે. સામેવાળાને જેમાં શ્રધ્ધા એ એમનો ધરમ એ અધિકારી જો સાંઇબાબામાં માનતો હોય તો એ પ્રસાદ પહોંચાડીને જ જંપે. પોતે નવરી બજાર જેવો જ હોય જતાંની સાથે જવું 'Go with Flow' એમની ખાસિયત હોય. Birthday - anniversaries યાદ રાખે. હાથ નજરનાં ચોખ્ખો હોય એટલે બૈરાં - બેટીઓને પણ સાચવે. એ સીધીવાત કરવાનું પસંદ કરે. પોતે ભલે વચેટીયો રહે પણ deal માં એ હોય જ ક્યારેક એકપણ રુપિયો ન લે કારણકે એ સંબંધ ઉભા કરવાની પેરવીમાં લાંબાગાળાની યોજના ઘડે ને પછી સીધી મોટી ખેપ મારે જેમાં મોટાભાગના ઓળખ છૂપાવે ત્યાં એ બન્ને પક્ષે ફાવી જાય. પોતાનું વ્યક્તિત્વ સંત જેવું જ રાખે 'અપરિગ્રહ'નો અદ્ભુત આડંબર રચે. એવાંનાં ગ્રહો ક્યારેક ફેવર કરે તો ભારત જેવાં દેશમાં તંત્રી – મંત્રી કે સંત્રી ય બની જાય.
આજે A+વાતે એમનાં કેટલાંક ગુણોની ચર્ચા કરી છે. જો પસંદ પડે તો જીવનમાં ખપ પૂરતું ઉમેરણ કરજો. તમારા કામ થવાનાં શરૂ થઇ જશે.
ગયાં સવાલનો જવાબ
હરિદાસનાં બીજા શિષ્ય હતાં બૈજનાથ મિશ્ર યાને 'બૈજુબાવરાં'.
આજનો સવાલ
૨જી ઓક્ટોબર ગાંધીજી સિવાયનાં ક્યા નેતાનો જન્મદિન છે? એનાં પરથી બનેલી ફિલ્મનું નામ જણાવો?