કમઅક્કલ ઘણીવખત મુશાયરાઓમાં રજૂઆત થતી રચનાઓ ઉપરાંતની કૃતિઓને પણ બહુ નજદીકથી જોતો હોય છે. એ સંસ્કારીનગરી વડોદરાનું વાણિજ્ય ભવન હોય કે કો'ક ટિંબા રોડ કને આવેલી જીનમાં યોજાયેલી અમુકતમુક કવિઓની અંગત સંગત હોય... પણ, કો'ક અલાયદી બાનીમાં કઇંક out of the box વાત મૂકે તો કમઅક્કલનાં કાન સરવા થઇ જ જાય. દિનાબહેન,પારુલ મહેતા, મિત્તલ રાજગોર, મિનાક્ષીબહેન ચંદારાણા, રીનલ પટેલ, સરુપ ધ્રુવ, હષિૅદા ત્રિવેદી, ગાયત્રી ભટ્ટ, એશાદાદાવાલા કે ઉષાબહેન ઉપાધ્યાય જેવી કવિયત્રીઓની જોડે મંચસ્થ થયાં બાદ તેઓની સંવેદનશીલતા માટે માન સતત રહ્યું છે ને રહેશે.
વડોદરા ખાતેના એકાદ મુશાયરે આજની કવિયત્રી શબનમ ખોજાને પહેલવહેલી વાર સાંભળવાની તક મળી ત્યારથી એમનાં સજૅનનાં તણખાનો અહેસાસ થયો હતો. એકાદ પ્રોજેક્ટને લઇને વાત થઇ પણ કોન્સેપ્ટ સાંભળીને સાકાર થવાની સંભાવનાઓ દૂર દૂર સુધી ન જણાતા વાત પડતી મૂકી. ખેર, એ અરસામાં એમને અમુક પારિતોષિકો પણ એનાયત થયાં જેનો ઉમળકો અમને સૌને રહ્યો. શિક્ષક હોવાને નાતે કરવા પડતા કામની વ્યસ્તાનાં કારણે તેઓ ભાગ્યે જ કોઇ પ્રોજેક્ટને ન્યાય આપી શકે એવું એમનું માનવું હતું.
કચ્છના વતનીઓની કવિતા પ્રસંગોચિત અવારનવાર મળવાની મોજ માણી જ છે તો એ નાતે આજે ફરી ઉજવીએ બારેમાસ શબનમ ખોજાની રચના સાથ.
ગઝલ
એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ,
એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.
ચોમેર વિસ્તરેલા અંધારને હરાવી
ચોમેર વિસ્તરે છે પહેલાં કિરણનો જાદુ!
ઝાઝી ચમક દમકથી ના ભોળવાઈ જાવું
ચેતી જવું તરત કે આ છે હરણનો જાદુ.
ધસમસ થતી નદીએ રસ્તો કરી દીધો'તો
એનેય શું ગમ્યો'તો તારા ચરણનો જાદુ?
ખુલ્લું હો પાંજરું પણ ઉડી ન જાય પંખી
શું એને ડર ગણો છો? એ તો છે ચણનો જાદુ !
ખોવાઈ જાય દૃશ્યો, ભૂલાઈ જાય શબ્દો
માદક અસર કરે છે તારા સ્મરણનો જાદુ!
- શબનમ
કમઅક્કલ પોતે એવું માને છે કે શબનમ યાને ઝાકળને પામવા તાજગીને જાણવા વ્હેલી સવારે ઉઠી જવાથી જ એ હાથ ન લાગે. સૂયૅનાં કિરણો પહોંચે એ પહેલાં તમારે જાગવું પડે. મિજાજ સૂફીયાના ઘણાં કાવ્યોમાં જીલાયો છે ને એ મુસલસલ રહે તો એક નવી જ દિશા ઉધાડવાની શક્યતા એમનામાં તાગી શકાશે!! બેશક.
kamakkalisonsunday@gmail.com
કમઅક્કલ ઘણીવખત મુશાયરાઓમાં રજૂઆત થતી રચનાઓ ઉપરાંતની કૃતિઓને પણ બહુ નજદીકથી જોતો હોય છે. એ સંસ્કારીનગરી વડોદરાનું વાણિજ્ય ભવન હોય કે કો'ક ટિંબા રોડ કને આવેલી જીનમાં યોજાયેલી અમુકતમુક કવિઓની અંગત સંગત હોય... પણ, કો'ક અલાયદી બાનીમાં કઇંક out of the box વાત મૂકે તો કમઅક્કલનાં કાન સરવા થઇ જ જાય. દિનાબહેન,પારુલ મહેતા, મિત્તલ રાજગોર, મિનાક્ષીબહેન ચંદારાણા, રીનલ પટેલ, સરુપ ધ્રુવ, હષિૅદા ત્રિવેદી, ગાયત્રી ભટ્ટ, એશાદાદાવાલા કે ઉષાબહેન ઉપાધ્યાય જેવી કવિયત્રીઓની જોડે મંચસ્થ થયાં બાદ તેઓની સંવેદનશીલતા માટે માન સતત રહ્યું છે ને રહેશે.
વડોદરા ખાતેના એકાદ મુશાયરે આજની કવિયત્રી શબનમ ખોજાને પહેલવહેલી વાર સાંભળવાની તક મળી ત્યારથી એમનાં સજૅનનાં તણખાનો અહેસાસ થયો હતો. એકાદ પ્રોજેક્ટને લઇને વાત થઇ પણ કોન્સેપ્ટ સાંભળીને સાકાર થવાની સંભાવનાઓ દૂર દૂર સુધી ન જણાતા વાત પડતી મૂકી. ખેર, એ અરસામાં એમને અમુક પારિતોષિકો પણ એનાયત થયાં જેનો ઉમળકો અમને સૌને રહ્યો. શિક્ષક હોવાને નાતે કરવા પડતા કામની વ્યસ્તાનાં કારણે તેઓ ભાગ્યે જ કોઇ પ્રોજેક્ટને ન્યાય આપી શકે એવું એમનું માનવું હતું.
કચ્છના વતનીઓની કવિતા પ્રસંગોચિત અવારનવાર મળવાની મોજ માણી જ છે તો એ નાતે આજે ફરી ઉજવીએ બારેમાસ શબનમ ખોજાની રચના સાથ.
ગઝલ
એક તો આ ઠંડા ઠંડા વાતાવરણનો જાદુ,
એમાં ભળી ગયો છે ગમતીલા જણનો જાદુ.
ચોમેર વિસ્તરેલા અંધારને હરાવી
ચોમેર વિસ્તરે છે પહેલાં કિરણનો જાદુ!
ઝાઝી ચમક દમકથી ના ભોળવાઈ જાવું
ચેતી જવું તરત કે આ છે હરણનો જાદુ.
ધસમસ થતી નદીએ રસ્તો કરી દીધો'તો
એનેય શું ગમ્યો'તો તારા ચરણનો જાદુ?
ખુલ્લું હો પાંજરું પણ ઉડી ન જાય પંખી
શું એને ડર ગણો છો? એ તો છે ચણનો જાદુ !
ખોવાઈ જાય દૃશ્યો, ભૂલાઈ જાય શબ્દો
માદક અસર કરે છે તારા સ્મરણનો જાદુ!
- શબનમ
કમઅક્કલ પોતે એવું માને છે કે શબનમ યાને ઝાકળને પામવા તાજગીને જાણવા વ્હેલી સવારે ઉઠી જવાથી જ એ હાથ ન લાગે. સૂયૅનાં કિરણો પહોંચે એ પહેલાં તમારે જાગવું પડે. મિજાજ સૂફીયાના ઘણાં કાવ્યોમાં જીલાયો છે ને એ મુસલસલ રહે તો એક નવી જ દિશા ઉધાડવાની શક્યતા એમનામાં તાગી શકાશે!! બેશક.