રણુ બાપજી કને મળ્યાંનું સ્મરણ છે કમઅક્કલ દુ:ખી છે. પણ, એક યાદગાર સ્મરણ એ વેળાનું... કમઅક્કલે એમને પૂછ્યું હતું કે, આ સફેદવાળ પહેલે થી જ કે? ત્યારે મર્માળા સ્મિતે કવિ પુરુરાજ જોશીએ કહ્યું હતું, હા પણ ધીમે ધીમે..!! તેઓને વંદન. એમની રચના સાદર. #કમઅક્કલ
બદલાઈ બહુ ગયો છું હું, તમને મળ્યા પછી,
મારો મટી ગયો છું હું, તમને મળ્યા પછી.
પથ્થર હતો હું તેથી તો નિંદા થતી હતી,
ઈશ્વર બની ગયો છું હું, તમને મળ્યા પછી.
મારું હતું શું નામ મને કોઈ તો કહો –
એ પણ ભૂલી ગયો છું હું, તમને મળ્યા પછી.
તમને મળ્યા પછી મેં, મુજ શ્વાસને સૂન્ધ્યા,
સૌરભ બની ગયો છું હું, તમને મળ્યા પછી.
પુરુરાજ જોશી
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાવલી, જિ. વડોદરા- 391 770
જન્મ
14, ડીસેમ્બર – 1938, નડિયાદ
વિદાય હજુ ગત સપ્તાહે જ યાને ૧૨.૧૨.૨૦૨૦ નાં રોજ..
કુટુમ્બ
માતા – સૂરજબા; પિતા– પૂનમભાઇ
પત્ની – બકુલા ( લગ્ન – 1966, હિન્દીનાં અધ્યાપિકા)
અભ્યાસ
1957 – મેટ્રિક
1961- ગુજરાતી સાથે બી.એ.
1963- ગુજરાતી સાથે એમ.એ.
વ્યવસાય
પ્રારંભમાં શિક્ષક અને ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી
1970-75 મહુધા/ બાલાશિનોરની કોલેજમાં અધ્યાપક
1975થી – સાવલી કોલેજમાં અધ્યાપક
જીવનઝરમર
અભ્યાસકાળ દરમિયાન મુન્શી અને ધૂમકેતુની નવલકથાઓનો ઘણો પ્રભાવ
સર્વપ્રથમ મૌલિક કૃતિ – ‘સોનેરી માછલીનો સળવળાટ’
આરંભમાં ‘ચાંદની’માં તેમની વાર્તા છપાઇ હતી.
આકાશવાણી પર વાર્તા અને કાવ્યપઠનના કાર્યક્રમો આપ્યા છે.
‘ઝાપટું’ નામની વાર્તાએ ચર્ચાનું ચગડોળ ચગાવેલું
‘ગગન’ સાહિત્યિક માસિક 14 મહિના ચલાવેલું
રાસવિહારી-વિભા દેસાઈ ખાસ મિત્રો
પાઠપૂજા કરે છે ,પણ બાધા આખડી, વ્રત વિ.માં વિશ્વાસ નથી
ગુરુમાં વિશ્વાસ છે પણ વર્ણાશ્રમ પ્રથામાં નહીં
શોખ
સંગીત, નૃત્ય, ચિત્રકળા, પહેલાં ગાતા પણ હતા અને હાર્મોનિયમ પણ વગાડતા હતા
મુખ્ય રચનાઓ – 6 પુસ્તકો
વાર્તાસંગ્રહ – સોનેરી માછલીનો સળવળાટ
નવલિકા – અંતરાલ, ઘાસ
નવલકથા – મનનાં મેઘધનુષ્ય, હૈયાં તરસે સરવર તીર, ઝુરાપો
કવિતા – નક્ષત્ર
વિવેચન – સાક્ષાત્
સંપાદન – ગોવર્ધનપ્રતિભા
સન્માન
ધૂમકેતુ પારિતોષિક
ગુજરાત રાજ્યનું વાર્તાસંગ્રહ માટેનું પ્રથમ પરિતોષિક
સવિતા વાર્તા સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક
મૂળે મજાનાં કવિ હતાં. સ્નેહાંજલિ..!!
kamakkalisonsunday@gmail.com
More #કમઅક્કલ #Poet #Pururaj Joshi #Kamakkal #poetry #WatchGujarat
રણુ બાપજી કને મળ્યાંનું સ્મરણ છે કમઅક્કલ દુ:ખી છે. પણ, એક યાદગાર સ્મરણ એ વેળાનું... કમઅક્કલે એમને પૂછ્યું હતું કે, આ સફેદવાળ પહેલે થી જ કે? ત્યારે મર્માળા સ્મિતે કવિ પુરુરાજ જોશીએ કહ્યું હતું, હા પણ ધીમે ધીમે..!! તેઓને વંદન. એમની રચના સાદર. #કમઅક્કલ
બદલાઈ બહુ ગયો છું હું, તમને મળ્યા પછી,
મારો મટી ગયો છું હું, તમને મળ્યા પછી.
પથ્થર હતો હું તેથી તો નિંદા થતી હતી,
ઈશ્વર બની ગયો છું હું, તમને મળ્યા પછી.
મારું હતું શું નામ મને કોઈ તો કહો –
એ પણ ભૂલી ગયો છું હું, તમને મળ્યા પછી.
તમને મળ્યા પછી મેં, મુજ શ્વાસને સૂન્ધ્યા,
સૌરભ બની ગયો છું હું, તમને મળ્યા પછી.
પુરુરાજ જોશી
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાવલી, જિ. વડોદરા- 391 770
જન્મ
14, ડીસેમ્બર – 1938, નડિયાદ
વિદાય હજુ ગત સપ્તાહે જ યાને ૧૨.૧૨.૨૦૨૦ નાં રોજ..
કુટુમ્બ
માતા – સૂરજબા; પિતા– પૂનમભાઇ
પત્ની – બકુલા ( લગ્ન – 1966, હિન્દીનાં અધ્યાપિકા)
અભ્યાસ
1957 – મેટ્રિક
1961- ગુજરાતી સાથે બી.એ.
1963- ગુજરાતી સાથે એમ.એ.
વ્યવસાય
પ્રારંભમાં શિક્ષક અને ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી
1970-75 મહુધા/ બાલાશિનોરની કોલેજમાં અધ્યાપક
1975થી – સાવલી કોલેજમાં અધ્યાપક
જીવનઝરમર
અભ્યાસકાળ દરમિયાન મુન્શી અને ધૂમકેતુની નવલકથાઓનો ઘણો પ્રભાવ
સર્વપ્રથમ મૌલિક કૃતિ – ‘સોનેરી માછલીનો સળવળાટ’
આરંભમાં ‘ચાંદની’માં તેમની વાર્તા છપાઇ હતી.
આકાશવાણી પર વાર્તા અને કાવ્યપઠનના કાર્યક્રમો આપ્યા છે.
‘ઝાપટું’ નામની વાર્તાએ ચર્ચાનું ચગડોળ ચગાવેલું
‘ગગન’ સાહિત્યિક માસિક 14 મહિના ચલાવેલું
રાસવિહારી-વિભા દેસાઈ ખાસ મિત્રો
પાઠપૂજા કરે છે ,પણ બાધા આખડી, વ્રત વિ.માં વિશ્વાસ નથી
ગુરુમાં વિશ્વાસ છે પણ વર્ણાશ્રમ પ્રથામાં નહીં
શોખ
સંગીત, નૃત્ય, ચિત્રકળા, પહેલાં ગાતા પણ હતા અને હાર્મોનિયમ પણ વગાડતા હતા