(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
[caption id="attachment_509" align="aligncenter" width="1366"] સીધીવાત[/caption]
મને એક બહેનનો ફોન આવ્યો કે જીતુભાઈ, હું બહુ દુઃખી -દુઃખી થઈ ગઈ છું. તમે મને સાંભળો અને માર્ગદર્શન આપો.
ફોનમાં એ બહેને એમની આ પરિસ્થિતિ કાંઈક આવા શબ્દોમાં કહી.
“મારાં પ્રેમલગ્ન છે. અમારા બંને વચ્ચે ખૂબ પ્રેમ. મારા પતિ ભગવાનના માણસ. મારા સિવાય કોઈની સામે આંખ ઊંચી કરીને જુએ પણ નહીં. અમારું ૧૫ વર્ષનું લગ્નજીવન, કોઈ વાતે બોલવા-ઝગડવાનું થયેલું નહીં.
બે મહિના પહેલાં અમે એક લગ્નમાં ગયેલાં, ત્યાં બે દિવસ રોકાવાનું હતું. ત્યાં અમે એક બહેનને પહેલી જ વાર મળ્યાં. મારા પતિ અને એ બહેન બંને વાતોએ વળગ્યાં. મોબાઇલ નંબરની આપ-લે થઈ. એ બહેન પણ વડોદરાનાં જ. મારે ઘેર આવતાં-જતાં થયાં. અને હવે મારા પતિદેવને એ બહેન સિવાય કાંઈ સૂઝતું જ નથી. ગાંડા થઈ ગયા છે. એ બંને બહાર એકલાં-એકલાં મળે છે. રાત્રે મધરાતે એ બહેનના ફોન આવે અને તમારા ભાઈ બીજી રૂમમાં જઈ ફોન પર અડધો કલાક વાતો કરે છે. મારું લગ્નજીવન જોખમાઈ ગયું છે. હું તો કહું કે, એ બહેનમાં એવા કોઈ વેતા વળ્યા નથી. એના કરતાં હું સો ગણી રૂપાળી અને હોશિયાર છું. તમારા ભાઈને આ શું થઈ ગયું છે? મારી સાથેના પંદર વરસના સંબંધો બે મહિનામાં ખતમ થઈ ગયા? વગેરે વગેરે...” #સીધીવાત
મેં એમને કહ્યું કે, આપની સાથે જે થયું છે તે બધાં બહુની વ્યથા-કથા છે. તમારા કેસમાં ભાઈ હાથથી ગયા છે, તો ઘણા કેસમાં પત્નીઓ પતિને છોડીને બીજા પાછળ ગાંડી થાય છે. હવે તમે જ કહો છો કે, પંદર વરસ સુધી તમારા પતિદેવે તમારા સિવાય કોઈની સામે આંખ ઉઠાવીને જોયું નથી, એટલે એક વાત તો નિશ્ચિત છે કે તમારા પતિદેવ કાછડી છૂટા તો નથી જ. તમારી ફરિયાદ એ છે કે પંદર વર્ષનાં લગ્નજીવન બાદ બે સંતાનો હોવા છતાં, તમારા પતિદેવ તમારા કરતાં ગઈ-ગુજરેલી સ્ત્રી પાછળ કેમ ગાંડા થયા? #સીધીવાત
હવે બને છે એવું કે આપણો આત્મા લાખો યોનીમાં કરોડો જન્મ લઈને અહીં આ જનમમાં આવ્યો છે. ગયા જન્મે પણ તમારે અને તમારા પતિદેવને નિકટનાં સંબંધો હશે એટલે તમે બંને એકબીજાંને જોઈ આકર્ષાયાં અને પ્રેમમાં પડ્યાં, લગ્ન કરી લીધાં. હવે વાત આવે છે પતિ-પત્ની અને વોની. તમને બહુ આશ્રર્ય થઈ રહ્યું છે કે, પંદર વર્ષનાં લગ્નજીવન પછી પતિ આમ પાગલ કેમ બન્યા? તો એવું પણ બની શકે કે તમારા પતિ અને આ બેન ઓકનાં વૃક્ષો હોય, અને ૧૫૦૦ વર્ષ સુધી એકબીજાંની જોડે ઊભાં રહીને એક બીજાની ડાળીઓનો સ્પર્શ માણ્યો હોય. વાત ભલે લાખો વરસ પહેલાંની હોય, પણ એ સહવાસ ૧૫૦૦ વરસનો હોય. બની શકે કે એ બંને નાગ-નાગણ હોય અને ૨૦૦ વર્ષ સાથે રહ્યાં હોય, કાચબો-કાચબી હોય અને ૪૦૦ વર્ષ જોડે રહ્યાં હોય. #સીધીવાત
એ બંને નહોતાં મળ્યાં ત્યાં સુધી વાત જુદી હતી. હવે એ બંને તો આ કશું જાણતાં નથી. પાછલા જન્મોની સ્મૃતિ તો જાગૃત નથી એમની, પણ પાછલા જન્મોનો પ્રેમ જાગૃત થઈ ગયો હોય. #સીધીવાત
આપણે જાણતાં નથી કે, આપણને આપણા કે બીજાના પાછલા જન્મો યાદ નથી રહેતા, કે નથી એની સ્મૃતિ રહેતી. પરંતુ ભાવજગત સ્મૃતિજગત કરતાં વધુ ઊંડું હોય છે. સ્મૃતિ એ જાગૃત મગજનો ભાગ છે. ભાવના એ સુષુપ્ત મનનો ભાગ છે. #સીધીવાત
આપણાં શાસ્ત્રોની વાત માનીએ તો આત્મા તો નિર્વિકાર છે, પરંતુ આત્મા મનથી દોરાય છે. મૃત્યુ પછી પણ મન જ આત્માને છેક સુધી લઈ જાય છે. જાગૃત મનની સ્મૃતિને મન મૃત્યુ સાથે ભૂંસી નાખે છે. પણ સુષુપ્ત મનમાં પડેલાં ભાવનાત્મક ચિત્રો બીજા જન્મોમાં સાથે આવે છે.
જ્યારે આ સુષુપ્ત મનમાં ભાવસ્મરણો જાગૃત થાય છે ત્યારે અને તે પ્રમાણે બીજા લોકો સાથે આપણું વર્તન નક્કી થતું હોય છે.
આપના પતિના કિસ્સામાં પણ આવું કાંઈ બન્યું હોઈ શકે, એટલે આપનો પંદર વર્ષનો પ્રેમ હારી ગયો હોય.”
એ બહેને મને કહ્યું કે, એટલે શું જીતુભાઈ તમે મારા પતિની આ બેવફાઈને જસ્ટિફાઈ કરો છો?
મેં કહ્યું કે, ના, હું તો એટલું જ કહેવા માંગું છું કે માનવીને આપણે જેટલો સ્વતંત્ર સમજીએ છીએ એટલો એ સ્વતંત્ર નથી. માનવીને એમ થાય છે કે આ મારો નિર્ણય છે, આ મને ગમ્યું અને આ મને ના ગમ્યું. પરંતુ કોઈ નિર્ણય એના પોતાના નથી હોતા. એ પાછલાં કર્મો-સંસ્કારોનો બંધાયેલો હોય છે, પછી ભલે એ આઝાદ સ્વતંત્ર દેશમાં જન્મ્યો હોય, ગમે તેટલું ભણ્યો હોય, ગમે તેટલો વિદ્વાન હોય. એ પોતાનાં મનનો, ઇચ્છાનો માલિક નથી, ગુલામ છે. એટલે જ તો આપણાં શાસ્ત્રો, ઋષિમુનિઓ પોકારી – પોકારીને કહી રહ્યાં છે કે મોક્ષને પ્રાપ્ત કરો અને જીવન-મરણના આ ફેરામાથી મુક્તિ મેળવો. #સીધીવાત
More #સીધીવાત #Sidhi Vat #Jitubhai Pandya #Weekly blog #Watchgujarat
(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
મને એક બહેનનો ફોન આવ્યો કે જીતુભાઈ, હું બહુ દુઃખી -દુઃખી થઈ ગઈ છું. તમે મને સાંભળો અને માર્ગદર્શન આપો.
ફોનમાં એ બહેને એમની આ પરિસ્થિતિ કાંઈક આવા શબ્દોમાં કહી.
“મારાં પ્રેમલગ્ન છે. અમારા બંને વચ્ચે ખૂબ પ્રેમ. મારા પતિ ભગવાનના માણસ. મારા સિવાય કોઈની સામે આંખ ઊંચી કરીને જુએ પણ નહીં. અમારું ૧૫ વર્ષનું લગ્નજીવન, કોઈ વાતે બોલવા-ઝગડવાનું થયેલું નહીં.
બે મહિના પહેલાં અમે એક લગ્નમાં ગયેલાં, ત્યાં બે દિવસ રોકાવાનું હતું. ત્યાં અમે એક બહેનને પહેલી જ વાર મળ્યાં. મારા પતિ અને એ બહેન બંને વાતોએ વળગ્યાં. મોબાઇલ નંબરની આપ-લે થઈ. એ બહેન પણ વડોદરાનાં જ. મારે ઘેર આવતાં-જતાં થયાં. અને હવે મારા પતિદેવને એ બહેન સિવાય કાંઈ સૂઝતું જ નથી. ગાંડા થઈ ગયા છે. એ બંને બહાર એકલાં-એકલાં મળે છે. રાત્રે મધરાતે એ બહેનના ફોન આવે અને તમારા ભાઈ બીજી રૂમમાં જઈ ફોન પર અડધો કલાક વાતો કરે છે. મારું લગ્નજીવન જોખમાઈ ગયું છે. હું તો કહું કે, એ બહેનમાં એવા કોઈ વેતા વળ્યા નથી. એના કરતાં હું સો ગણી રૂપાળી અને હોશિયાર છું. તમારા ભાઈને આ શું થઈ ગયું છે? મારી સાથેના પંદર વરસના સંબંધો બે મહિનામાં ખતમ થઈ ગયા? વગેરે વગેરે...” #સીધીવાત
મેં એમને કહ્યું કે, આપની સાથે જે થયું છે તે બધાં બહુની વ્યથા-કથા છે. તમારા કેસમાં ભાઈ હાથથી ગયા છે, તો ઘણા કેસમાં પત્નીઓ પતિને છોડીને બીજા પાછળ ગાંડી થાય છે. હવે તમે જ કહો છો કે, પંદર વરસ સુધી તમારા પતિદેવે તમારા સિવાય કોઈની સામે આંખ ઉઠાવીને જોયું નથી, એટલે એક વાત તો નિશ્ચિત છે કે તમારા પતિદેવ કાછડી છૂટા તો નથી જ. તમારી ફરિયાદ એ છે કે પંદર વર્ષનાં લગ્નજીવન બાદ બે સંતાનો હોવા છતાં, તમારા પતિદેવ તમારા કરતાં ગઈ-ગુજરેલી સ્ત્રી પાછળ કેમ ગાંડા થયા? #સીધીવાત
હવે બને છે એવું કે આપણો આત્મા લાખો યોનીમાં કરોડો જન્મ લઈને અહીં આ જનમમાં આવ્યો છે. ગયા જન્મે પણ તમારે અને તમારા પતિદેવને નિકટનાં સંબંધો હશે એટલે તમે બંને એકબીજાંને જોઈ આકર્ષાયાં અને પ્રેમમાં પડ્યાં, લગ્ન કરી લીધાં. હવે વાત આવે છે પતિ-પત્ની અને વોની. તમને બહુ આશ્રર્ય થઈ રહ્યું છે કે, પંદર વર્ષનાં લગ્નજીવન પછી પતિ આમ પાગલ કેમ બન્યા? તો એવું પણ બની શકે કે તમારા પતિ અને આ બેન ઓકનાં વૃક્ષો હોય, અને ૧૫૦૦ વર્ષ સુધી એકબીજાંની જોડે ઊભાં રહીને એક બીજાની ડાળીઓનો સ્પર્શ માણ્યો હોય. વાત ભલે લાખો વરસ પહેલાંની હોય, પણ એ સહવાસ ૧૫૦૦ વરસનો હોય. બની શકે કે એ બંને નાગ-નાગણ હોય અને ૨૦૦ વર્ષ સાથે રહ્યાં હોય, કાચબો-કાચબી હોય અને ૪૦૦ વર્ષ જોડે રહ્યાં હોય. #સીધીવાત
એ બંને નહોતાં મળ્યાં ત્યાં સુધી વાત જુદી હતી. હવે એ બંને તો આ કશું જાણતાં નથી. પાછલા જન્મોની સ્મૃતિ તો જાગૃત નથી એમની, પણ પાછલા જન્મોનો પ્રેમ જાગૃત થઈ ગયો હોય. #સીધીવાત
આપણે જાણતાં નથી કે, આપણને આપણા કે બીજાના પાછલા જન્મો યાદ નથી રહેતા, કે નથી એની સ્મૃતિ રહેતી. પરંતુ ભાવજગત સ્મૃતિજગત કરતાં વધુ ઊંડું હોય છે. સ્મૃતિ એ જાગૃત મગજનો ભાગ છે. ભાવના એ સુષુપ્ત મનનો ભાગ છે. #સીધીવાત
આપણાં શાસ્ત્રોની વાત માનીએ તો આત્મા તો નિર્વિકાર છે, પરંતુ આત્મા મનથી દોરાય છે. મૃત્યુ પછી પણ મન જ આત્માને છેક સુધી લઈ જાય છે. જાગૃત મનની સ્મૃતિને મન મૃત્યુ સાથે ભૂંસી નાખે છે. પણ સુષુપ્ત મનમાં પડેલાં ભાવનાત્મક ચિત્રો બીજા જન્મોમાં સાથે આવે છે.
જ્યારે આ સુષુપ્ત મનમાં ભાવસ્મરણો જાગૃત થાય છે ત્યારે અને તે પ્રમાણે બીજા લોકો સાથે આપણું વર્તન નક્કી થતું હોય છે.
આપના પતિના કિસ્સામાં પણ આવું કાંઈ બન્યું હોઈ શકે, એટલે આપનો પંદર વર્ષનો પ્રેમ હારી ગયો હોય.”
એ બહેને મને કહ્યું કે, એટલે શું જીતુભાઈ તમે મારા પતિની આ બેવફાઈને જસ્ટિફાઈ કરો છો?
મેં કહ્યું કે, ના, હું તો એટલું જ કહેવા માંગું છું કે માનવીને આપણે જેટલો સ્વતંત્ર સમજીએ છીએ એટલો એ સ્વતંત્ર નથી. માનવીને એમ થાય છે કે આ મારો નિર્ણય છે, આ મને ગમ્યું અને આ મને ના ગમ્યું. પરંતુ કોઈ નિર્ણય એના પોતાના નથી હોતા. એ પાછલાં કર્મો-સંસ્કારોનો બંધાયેલો હોય છે, પછી ભલે એ આઝાદ સ્વતંત્ર દેશમાં જન્મ્યો હોય, ગમે તેટલું ભણ્યો હોય, ગમે તેટલો વિદ્વાન હોય. એ પોતાનાં મનનો, ઇચ્છાનો માલિક નથી, ગુલામ છે. એટલે જ તો આપણાં શાસ્ત્રો, ઋષિમુનિઓ પોકારી – પોકારીને કહી રહ્યાં છે કે મોક્ષને પ્રાપ્ત કરો અને જીવન-મરણના આ ફેરામાથી મુક્તિ મેળવો. #સીધીવાત
More #સીધીવાત #Sidhi Vat #Jitubhai Pandya #Weekly blog #Watchgujarat