(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
ગઈકાલે ગીતા જયંતિ હતી. મારા એક ખાસ વડીલ નૈષધભાઈ જોશીના આગ્રહથી મેં ગીતા પર પ્રવચન આપ્યું. મેં કહ્યું હતું કે, ગીતા પર બોલવાની મારી કોઈ લાયકાત નથી, પણ નૈષધભાઈના આગ્રહને કારણે જ ૧૫૦ જેટલા વડીલો સમક્ષ મેં ગીતા અંગે મારું જે અજ્ઞાન હતું તે પીરસવાનો પ્રયાસ કર્યો.
મારા પ્રવચન અંગે તો ખાસ કશું કહેવા જેવું નથી, પણ પ્રવચન પછી એક વડીલ ઊભા થયા. મને કહે, “જીતુભાઈ, સાત-આઠ વરસનો હતો ત્યારથી ગીતાના અઢારે અધ્યાય મોઢે છે. રોજેરોજ કેટલીય વાર પાઠ કરું છું. પણ ૨૦૦૨નાં કોમી તોફાનોમાં મારા નિર્દોષ છોકરાને પોલીસ ઉઠાવી ગઈ ખૂનકેસમાં ફિટ કરી દીધો, આજે સાત વર્ષ થયાં, હજુ બહાર આવતો નથી. કૃષ્ણ ભગવાનની આટલી ભક્તિ પછી પણ ભગવાન મારી સામે કેમ જોતા નથી?”
મારા ગીતા પ્રવચનમાં કોઈ ખાસ દમ ન હતો, એટલે એની વાત નથી કરતો પણ આ સવાલના જવાબ પર જરૂર વાત કરીએ.
મેં એમને કહ્યું, “વડીલ, તમે બહુ મોટી ભૂલ કરી છે, તમે કૃષ્ણ પાસે તમારા પુત્રને જેલમાંથી છોડાવાની આશા રાખતા હો, તો તમારું ગીતાનું, કૃષ્ણનું જ્ઞાન અધુરું છે.
“પહેલી વાત તો એ ભગવાન કૃષ્ણ પોતે જ જેલમાં જન્મેલા. એ એમની માનું આઠમું સંતાન. બે સંતાન વચ્ચે બે-અઢી વરસનું અંતર માનીએ, તો પણ વાસુદેવ દેવકીનો અઢાર વર્ષનો જેલવાસ પૂરો થયો, ત્યારે તે જન્મ્યા હશે, પછી ભાગવત કહે છે એમ કૃષ્ણે ચૌદ વર્ષે મામા કંસને મારીને મા-બાપને જેલમાંથી છોડાવેલાં. હવે અઢાર વત્તા ચૌદ કરીએ, તો કૃષ્ણ ભગવાન જેમને પેટે જન્મ્યા એ વાસુદેવ-દેવકી, ક્રુષ્ણનાં માતા-પિતા બત્રીસ વર્ષ જેલમાં રહ્યાં હશે.”
મેં કહ્યું, “ભાઈ વિચાર કરો, કૃષ્ણની જનેતા અને પિતાને એમનાં કર્મનાં ફળ ભોગવવા બત્રીસ વર્ષ જેલમાં રહેવું પડ્યું, અને ભગવાને તેમને છોડાવવા કશું કર્યું નહીં. અને આપ સાત વર્ષમાં કહી રહ્યા છો કે ભગવાન મારા પુત્રને જેલમાંથી છોડાવતા નથી.”
મેં કહ્યું, આગળ, “ચૌદ વરસના થયા ત્યાં સુધી ભગવાન કૃષ્ણ નંદ-જશોદા સાથે ગોકુળમાં રહ્યા. ભાગવતમાં ક્યાંય નથી લખ્યું કે કૃષ્ણ કદંબ નીચે ઉદાસ બેઠા છે, અને ગોવાળોએ પૂછ્યું હોય કે, કૃષ્ણ કેમ ઉદાસ છે? અને કૃષ્ણે કહ્યું હોય કે, મારી માતા-મારા પિતા જેલમાં છે, ને હું કશું કરી શકતો નથી.”
“યાદ રાખો, કે મામા કંસને માર્યા પછી બીજું કોઈ કહેતું નથી કે, ‘કૃષ્ણ, તારાં મા-બાપ તો જેલમાં પડ્યાં છે, એમને છોડાવ. બીજું કોઈ કહે પણ કેવી રીતે, કારણ કે એ રહસ્ય તો માત્ર ત્રણ જણાં જ જાણે છે, દેવકી, વાસુદેવ અને ખુદ કૃષ્ણ.
“તો કૃષ્ણ ગોકુળમાં છે ત્યારે તેને ખબર છે કે મારાં માતા-પિતા જેલમાં છે, પણ તેનો જરા પણ શોક નથી કરતા. હવે જે લાલો પોતાનાં મા-બાપ જેલમાં હોય તો પણ શોક નથી કરતો, તે લાલો તમારા પુત્રના જેલવાસનો કેવી રીતે શોક કરશે?”
“રામ અવતારમાં દશરથ રામના પ્રેમમાં મૃત્યુ પામ્યા. સીતા રામના પ્રેમમાં ૧૨ વર્ષ વનમાં રહ્યાં –રાવણની કેદમાં રહ્યાં અને માંડ થોડાં વર્ષ સંસાર ભોગવીને પાછો એકલો વનવાસ ભોગવ્યો અને તે પણ સર્ગભા અવસ્થામાં. ભરત પણ રામપ્રેમમાં વનવાસ જેવી સ્થિતિમાં જીવ્યા. લક્ષ્મણ અને ઊર્મિલા વિયોગમાં જીવ્યાં અને આખરે રામચંદ્ર ભગવાને લક્ષ્મણને શિક્ષા કરી કે હવે તું મને તારું મોં ના બતાવીશ, ત્યારે લક્ષ્મણને સરયુ નદીમાં આત્મહત્યા કરી લેવી પડી.”
“ભગવાનનો માર્ગ પસંદ કરો, ભક્તિભાવનો માર્ગ પસંદ કરો તો સમજીને ચાલો કે બીજા લોકો કરતાં વૈષ્ણવજનોને માથે વધુ દુઃખ આવશે. ભક્તિ એ તમારું ઈશ્વર પ્રત્યેનું કમિટમેન્ટ છે ભક્તિ એ કાંઈ દુ:ખો સામેનો વીમો નથી.
“મીરાં તો રાણી હતાં, મહારાણી હતાં. ભક્તિમાં પાગલ થયાં, તો ઝૂંપડીમાં રહેતાં થઈ ગયાં હતાં.
“પ્રેમની જેમ ભક્તિ પણ અનકંડીશનલ –બિનશર્તી છે. પ્રેમમાં તો કશુંક પણ પામશો, પણ ભક્તિનો મારગ વન-વે છે, એકમાર્ગી રસ્તો છે, તમારે ઈશ્વર તરફ આગળ વધવાનું છે. ઈશ્વરની જેટલા નજીક જશો એટલા વધુ દુઃખ પામશો, દુઃખમાંથી મુક્તિ નહીં.”
“આપના પુત્રનાં એવાં કર્મનાં ફળ ઉદિત થયાં છે, જેમાં એણે જેલવાસ ભોગવવાનો થયો છે. એને આપની ભક્તિ સાથે કોઈ નિસ્બત નથી.
છતાંય ઈશ્વરની કૃપા તો રહી જ હશે આપની ઉપર આપની ભક્તિનો જાદુ આપ જોઈ નથી શકતા. એ કોમી રમખાણોમાં બે-ત્રણ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. તમારો પુત્ર હેમખેમ બચી ગયો અને માત્ર જેલમાં છે, તે કદાચ તમારી ભક્તિનો પ્રતાપ પણ હોય.”
(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
ગઈકાલે ગીતા જયંતિ હતી. મારા એક ખાસ વડીલ નૈષધભાઈ જોશીના આગ્રહથી મેં ગીતા પર પ્રવચન આપ્યું. મેં કહ્યું હતું કે, ગીતા પર બોલવાની મારી કોઈ લાયકાત નથી, પણ નૈષધભાઈના આગ્રહને કારણે જ ૧૫૦ જેટલા વડીલો સમક્ષ મેં ગીતા અંગે મારું જે અજ્ઞાન હતું તે પીરસવાનો પ્રયાસ કર્યો.
મારા પ્રવચન અંગે તો ખાસ કશું કહેવા જેવું નથી, પણ પ્રવચન પછી એક વડીલ ઊભા થયા. મને કહે, “જીતુભાઈ, સાત-આઠ વરસનો હતો ત્યારથી ગીતાના અઢારે અધ્યાય મોઢે છે. રોજેરોજ કેટલીય વાર પાઠ કરું છું. પણ ૨૦૦૨નાં કોમી તોફાનોમાં મારા નિર્દોષ છોકરાને પોલીસ ઉઠાવી ગઈ ખૂનકેસમાં ફિટ કરી દીધો, આજે સાત વર્ષ થયાં, હજુ બહાર આવતો નથી. કૃષ્ણ ભગવાનની આટલી ભક્તિ પછી પણ ભગવાન મારી સામે કેમ જોતા નથી?”
મારા ગીતા પ્રવચનમાં કોઈ ખાસ દમ ન હતો, એટલે એની વાત નથી કરતો પણ આ સવાલના જવાબ પર જરૂર વાત કરીએ.
મેં એમને કહ્યું, “વડીલ, તમે બહુ મોટી ભૂલ કરી છે, તમે કૃષ્ણ પાસે તમારા પુત્રને જેલમાંથી છોડાવાની આશા રાખતા હો, તો તમારું ગીતાનું, કૃષ્ણનું જ્ઞાન અધુરું છે.
“પહેલી વાત તો એ ભગવાન કૃષ્ણ પોતે જ જેલમાં જન્મેલા. એ એમની માનું આઠમું સંતાન. બે સંતાન વચ્ચે બે-અઢી વરસનું અંતર માનીએ, તો પણ વાસુદેવ દેવકીનો અઢાર વર્ષનો જેલવાસ પૂરો થયો, ત્યારે તે જન્મ્યા હશે, પછી ભાગવત કહે છે એમ કૃષ્ણે ચૌદ વર્ષે મામા કંસને મારીને મા-બાપને જેલમાંથી છોડાવેલાં. હવે અઢાર વત્તા ચૌદ કરીએ, તો કૃષ્ણ ભગવાન જેમને પેટે જન્મ્યા એ વાસુદેવ-દેવકી, ક્રુષ્ણનાં માતા-પિતા બત્રીસ વર્ષ જેલમાં રહ્યાં હશે.”
મેં કહ્યું, “ભાઈ વિચાર કરો, કૃષ્ણની જનેતા અને પિતાને એમનાં કર્મનાં ફળ ભોગવવા બત્રીસ વર્ષ જેલમાં રહેવું પડ્યું, અને ભગવાને તેમને છોડાવવા કશું કર્યું નહીં. અને આપ સાત વર્ષમાં કહી રહ્યા છો કે ભગવાન મારા પુત્રને જેલમાંથી છોડાવતા નથી.”
મેં કહ્યું, આગળ, “ચૌદ વરસના થયા ત્યાં સુધી ભગવાન કૃષ્ણ નંદ-જશોદા સાથે ગોકુળમાં રહ્યા. ભાગવતમાં ક્યાંય નથી લખ્યું કે કૃષ્ણ કદંબ નીચે ઉદાસ બેઠા છે, અને ગોવાળોએ પૂછ્યું હોય કે, કૃષ્ણ કેમ ઉદાસ છે? અને કૃષ્ણે કહ્યું હોય કે, મારી માતા-મારા પિતા જેલમાં છે, ને હું કશું કરી શકતો નથી.”
“યાદ રાખો, કે મામા કંસને માર્યા પછી બીજું કોઈ કહેતું નથી કે, ‘કૃષ્ણ, તારાં મા-બાપ તો જેલમાં પડ્યાં છે, એમને છોડાવ. બીજું કોઈ કહે પણ કેવી રીતે, કારણ કે એ રહસ્ય તો માત્ર ત્રણ જણાં જ જાણે છે, દેવકી, વાસુદેવ અને ખુદ કૃષ્ણ.
“તો કૃષ્ણ ગોકુળમાં છે ત્યારે તેને ખબર છે કે મારાં માતા-પિતા જેલમાં છે, પણ તેનો જરા પણ શોક નથી કરતા. હવે જે લાલો પોતાનાં મા-બાપ જેલમાં હોય તો પણ શોક નથી કરતો, તે લાલો તમારા પુત્રના જેલવાસનો કેવી રીતે શોક કરશે?”
“રામ અવતારમાં દશરથ રામના પ્રેમમાં મૃત્યુ પામ્યા. સીતા રામના પ્રેમમાં ૧૨ વર્ષ વનમાં રહ્યાં –રાવણની કેદમાં રહ્યાં અને માંડ થોડાં વર્ષ સંસાર ભોગવીને પાછો એકલો વનવાસ ભોગવ્યો અને તે પણ સર્ગભા અવસ્થામાં. ભરત પણ રામપ્રેમમાં વનવાસ જેવી સ્થિતિમાં જીવ્યા. લક્ષ્મણ અને ઊર્મિલા વિયોગમાં જીવ્યાં અને આખરે રામચંદ્ર ભગવાને લક્ષ્મણને શિક્ષા કરી કે હવે તું મને તારું મોં ના બતાવીશ, ત્યારે લક્ષ્મણને સરયુ નદીમાં આત્મહત્યા કરી લેવી પડી.”
“ભગવાનનો માર્ગ પસંદ કરો, ભક્તિભાવનો માર્ગ પસંદ કરો તો સમજીને ચાલો કે બીજા લોકો કરતાં વૈષ્ણવજનોને માથે વધુ દુઃખ આવશે. ભક્તિ એ તમારું ઈશ્વર પ્રત્યેનું કમિટમેન્ટ છે ભક્તિ એ કાંઈ દુ:ખો સામેનો વીમો નથી.
“મીરાં તો રાણી હતાં, મહારાણી હતાં. ભક્તિમાં પાગલ થયાં, તો ઝૂંપડીમાં રહેતાં થઈ ગયાં હતાં.
“પ્રેમની જેમ ભક્તિ પણ અનકંડીશનલ –બિનશર્તી છે. પ્રેમમાં તો કશુંક પણ પામશો, પણ ભક્તિનો મારગ વન-વે છે, એકમાર્ગી રસ્તો છે, તમારે ઈશ્વર તરફ આગળ વધવાનું છે. ઈશ્વરની જેટલા નજીક જશો એટલા વધુ દુઃખ પામશો, દુઃખમાંથી મુક્તિ નહીં.”
“આપના પુત્રનાં એવાં કર્મનાં ફળ ઉદિત થયાં છે, જેમાં એણે જેલવાસ ભોગવવાનો થયો છે. એને આપની ભક્તિ સાથે કોઈ નિસ્બત નથી.
છતાંય ઈશ્વરની કૃપા તો રહી જ હશે આપની ઉપર આપની ભક્તિનો જાદુ આપ જોઈ નથી શકતા. એ કોમી રમખાણોમાં બે-ત્રણ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. તમારો પુત્ર હેમખેમ બચી ગયો અને માત્ર જેલમાં છે, તે કદાચ તમારી ભક્તિનો પ્રતાપ પણ હોય.”