(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
એક કોટ્યાધિપતિ વેપારી. સાત દેશોમાં એનાં વહાણોની અવરજવર. આખાં રાજ્યના વેપારીઓનાં એને ત્યાં ખાતાં ચાલે. આખા ભારતમાં એની હૂંડીની આણ પ્રર્વતે. કોઈ પણ વેપારી શેઠ કીર્તિકાંત સાથે વેપાર કરવામાં મોટપ અનુભવે.
કીર્તિકાંત શેઠ સવારે પેઢીના થડે બેસે અને મુનીમો, વાણોતરો અને વેપારીઓને સાંભળતા જાય, ભાવ કરતા જાય. આમ ખરીદ-વેચાણના લાખો રૂપિયાના સોદા રોજ પડતા રહે. કીર્તિકાંત શેઠની ખરીદીએ બજાર ઊંચું જાય અને કીર્તિકાંત શેઠ વેચવા બેસે ને બજારમાં ભાવ પડી જાય.
કીર્તિકાંત શેઠનો એકનો એક પુત્ર વૈભવકાંત તેમનાથી વિપરીત. મોડી રાત સુધી મિત્રો સાથે ટોળ-ટપ્પા કરવા, અડધી રાત પછી સૂવું, સૂર્યનારાયણ માથે ચઢે ત્યારે ઊઠવું, બપોરના જમી પરવારીને આડા પડખે થવું અને ચાર વાગે પેઢી પર જવું.
કીર્તિકાંત સમજાવી સમજાવીને થાક્યા તો ય વૈભવકાંત ના સુધર્યો.
કીર્તિકાંત શેઠ મરણ પથારીએ પડ્યા છે. બધાં કુટુંબીજનો અને મોટા મોટા વેપારીઓ રૂમમાં અધ્ધર શ્વાસે ઊભા છે. કીર્તિકાંત શેઠે વૈભવકાંતનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, “બેટા, ત્રણ વચન આપ તો જીવ છૂટે.”
વૈભવકાંતે કહ્યું, “બાપા, કોઈ ચિંતા ના કરો. મરણ સુધી વચન પાળીશ.”
બાપે કહ્યું, “બેટા, એક તો છાંયડે છાંયડે પેઢીએ જજે-આવજે. બીજું બપોરે મીઠું કરીને ખાજે અને ત્રીજું, જેને ઉધાર આપે તેને ઘેર ઉઘરાણીએ ના જઈશ.” આટલાં વચન લઈને બાપ તો પરલોક સિધાવ્યા.
વૈભવકાંતે તો હવેલીથી પેઢી સુધી મોંઘામાંની તાડપત્રી બંધાવી દીધી. રોજ બપોરના મિષ્ટાન્ન ખાઈને ચાર વાગ્યા સુધી ઘરે સૂવાનું ચાલુ રાખ્યું અને ચાર વાગે પેઢીએ જાય અને હિસાબ-કિતાબ જુએ. હવે ઉધાર લઈ જનારા ફરી દેખાયા જ નહીં. છ મહિનામાં તો ધંધો ફડચામાં ગયો. પેઢીએ તાળાં લાગી ગયાં.
વૈભવકાંત બહુ મુંઝાયો એટલે છેવટે દૂરનાં શહેરમાં બાપના એક મિત્ર કૃષ્ણકાંતકાકા રહે. તે પણ મોટા વેપારી. એમને ઘેર પહોચ્યો. કૃષ્ણકાંતકાકાએ બહુ પ્રેમથી તેને આવકાર્યો, ખબર-અંતર પૂછ્યાં. એટલે વૈભવકાંત તો રડી પડ્યો.
વૈભવકાંતે કહ્યું, “કાકા, શું કહું? બાપા તો અબજો રૂપિયાનો ધંધો મૂકતા ગયા હતા, પણ એમને આપેલાં વચનો પાળવા જતાં હું સાવ બરબાદ થઈ ગયો.”
એટલે કૃષ્ણકાંતકાકાએ કહ્યું, “બેટા, એવું બને નહીં. તારા બાપની સલાહથી તો કોઈને નુકસાન થયું નથી, તો તને કેવી રીતે નુકસાન થાય?” કહે, “બેટા, બાપે શું વચન લીધાં હતાં તારી પાસેથી?” એટલે વૈભવકાંતે ત્રણે વચનો કહી બતાવ્યાં.
કૃષ્ણકાંતકાકાએ કહ્યું, “હવે એ કહે, કે તે શું કર્યું?” તો કહે, “હવેલીથી પેઢી સુધી તાડપત્રી બંધાવી દીધી. રોજ બપોરે મિષ્ટાન્ન ખાતો અને જેને ઉધાર આપ્યું તેની પાસે ઉઘરાણી કરવા ગયો જ નહીં.”
કૃષ્ણકાંતકાકાએ કહ્યું, “ભઈલા, તારા બાપે કહ્યું છાંયડે છાંયડે પેઢીએ જજે આવજે, એટલે સવારના સાત વાગ્યા પહેલા પેઢીએ જવાનું અને સાંજે સાત પછી પેઢીએથી ઘેર પાછા આવવાનું. હવેલીથી પેઢી સુધી તાડપત્રી બંધાવાની એવું નહીં. તારા બાપાએ કહ્યું કે બપોરના ગળ્યું કરીને ખાજે, એટલે પેઢી પર જેટલા વેપારીઓ, બહાર ગામના આડતિયા, વહીવટદારો, જે કોઈ આવ્યું હોય તેને જમાડીને જમવું. આપણી પેઢી પર કોઈ ભૂખ્યું ન રહે, એને કહેવાય ગળ્યું કરીને ખાવાનું. અને તું કહે છે કે ત્રીજા વચનથી બરબાદ થઈ ગયો, તે તારી સમજણફેરને લીધે. તારા બાપાએ કહ્યું, જેને ઉધાર આપ્યું તેને ત્યાં માંગવા જતો નહીં. અર્થ એવો, કે જેને ઉધાર જોઈતું હોય એનું સોનું-જમીન-મિલકતો લખાવી લઈ, આપણે કબજે લઈ લેવાની. એટલે ઉધાર લેનારો આપણે ત્યાં ધક્કા ખાય, આપણે ધક્કા નહીં ખાવાના.”
કૃષ્ણકાંતકાકાએ કહ્યું, “ધંધાના આ ત્રણ સોનેરી નિયમો છે. સવારથી સાંજ પેઢી પર બેસવાનું, બપોરે પેઢી પર જમવાનું પણ બધાંને જમાડીને, અને કોઈને પણ સોનું-મિલકત તારણમાં લીધા વગર ઉધાર આપવાનું નહીં. હવે આ નિયમો ધ્યાનમાં રાખી ધંધો કરજે.
વૈભાવકાંત કહે, “કાકા, હવે રૂપિયા-પૈસા તો રહ્યા નહીં, તો કેવી રીતે ધંધો કરું?”
તો કૃષ્ણકાંતકાકાએ હસતાં-હસતાં કહ્યું, “તારા બાપે મરતાં પહેલાં મને પાંચ લાખ સોનામહોરો મોકલી આપીને હતું, કે વૈભવ આવે તો એને આપજે.”
વૈભવકાંત કહે, “કાકા, બાપાએ મને સીધી રીતે જ આ વાત સમજાવી હોત તો આટલું નુકસાન ન થાત ને?”
કૃષ્ણકાંતકાકાએ પીઠ થાબડતાં કહ્યું, “વૈભવ, આ છ મહિના ગરીબીમાં જીવ્યો એ અનુભવ તને ન મળત ને?”
તો આપ પણ કોઈ ધંધો-વેપાર કરવા માંગતા હો, તો આ ત્રણ સુવર્ણ નિયમો છે નહીં પાળો, તો પસ્તાશો. આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે ધંધાની ગાદી ૩ વર્ષ તપાવો એટલે કે દિવસના ૧૦ કલાક એ ગાદી પર બેસો ત્યારે ધંધાની શરૂઆત થઈ કહેવાય અને ૧૨ વર્ષ ગાદી તપાવો ત્યારે ધંધો જામ્યો કહેવાય. હવે આપને શું કરવું છે તે આપે નક્કી કરવાનું છે.
(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
એક કોટ્યાધિપતિ વેપારી. સાત દેશોમાં એનાં વહાણોની અવરજવર. આખાં રાજ્યના વેપારીઓનાં એને ત્યાં ખાતાં ચાલે. આખા ભારતમાં એની હૂંડીની આણ પ્રર્વતે. કોઈ પણ વેપારી શેઠ કીર્તિકાંત સાથે વેપાર કરવામાં મોટપ અનુભવે.
કીર્તિકાંત શેઠ સવારે પેઢીના થડે બેસે અને મુનીમો, વાણોતરો અને વેપારીઓને સાંભળતા જાય, ભાવ કરતા જાય. આમ ખરીદ-વેચાણના લાખો રૂપિયાના સોદા રોજ પડતા રહે. કીર્તિકાંત શેઠની ખરીદીએ બજાર ઊંચું જાય અને કીર્તિકાંત શેઠ વેચવા બેસે ને બજારમાં ભાવ પડી જાય.
કીર્તિકાંત શેઠનો એકનો એક પુત્ર વૈભવકાંત તેમનાથી વિપરીત. મોડી રાત સુધી મિત્રો સાથે ટોળ-ટપ્પા કરવા, અડધી રાત પછી સૂવું, સૂર્યનારાયણ માથે ચઢે ત્યારે ઊઠવું, બપોરના જમી પરવારીને આડા પડખે થવું અને ચાર વાગે પેઢી પર જવું.
કીર્તિકાંત સમજાવી સમજાવીને થાક્યા તો ય વૈભવકાંત ના સુધર્યો.
કીર્તિકાંત શેઠ મરણ પથારીએ પડ્યા છે. બધાં કુટુંબીજનો અને મોટા મોટા વેપારીઓ રૂમમાં અધ્ધર શ્વાસે ઊભા છે. કીર્તિકાંત શેઠે વૈભવકાંતનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, “બેટા, ત્રણ વચન આપ તો જીવ છૂટે.”
વૈભવકાંતે કહ્યું, “બાપા, કોઈ ચિંતા ના કરો. મરણ સુધી વચન પાળીશ.”
બાપે કહ્યું, “બેટા, એક તો છાંયડે છાંયડે પેઢીએ જજે-આવજે. બીજું બપોરે મીઠું કરીને ખાજે અને ત્રીજું, જેને ઉધાર આપે તેને ઘેર ઉઘરાણીએ ના જઈશ.” આટલાં વચન લઈને બાપ તો પરલોક સિધાવ્યા.
વૈભવકાંતે તો હવેલીથી પેઢી સુધી મોંઘામાંની તાડપત્રી બંધાવી દીધી. રોજ બપોરના મિષ્ટાન્ન ખાઈને ચાર વાગ્યા સુધી ઘરે સૂવાનું ચાલુ રાખ્યું અને ચાર વાગે પેઢીએ જાય અને હિસાબ-કિતાબ જુએ. હવે ઉધાર લઈ જનારા ફરી દેખાયા જ નહીં. છ મહિનામાં તો ધંધો ફડચામાં ગયો. પેઢીએ તાળાં લાગી ગયાં.
વૈભવકાંત બહુ મુંઝાયો એટલે છેવટે દૂરનાં શહેરમાં બાપના એક મિત્ર કૃષ્ણકાંતકાકા રહે. તે પણ મોટા વેપારી. એમને ઘેર પહોચ્યો. કૃષ્ણકાંતકાકાએ બહુ પ્રેમથી તેને આવકાર્યો, ખબર-અંતર પૂછ્યાં. એટલે વૈભવકાંત તો રડી પડ્યો.
વૈભવકાંતે કહ્યું, “કાકા, શું કહું? બાપા તો અબજો રૂપિયાનો ધંધો મૂકતા ગયા હતા, પણ એમને આપેલાં વચનો પાળવા જતાં હું સાવ બરબાદ થઈ ગયો.”
એટલે કૃષ્ણકાંતકાકાએ કહ્યું, “બેટા, એવું બને નહીં. તારા બાપની સલાહથી તો કોઈને નુકસાન થયું નથી, તો તને કેવી રીતે નુકસાન થાય?” કહે, “બેટા, બાપે શું વચન લીધાં હતાં તારી પાસેથી?” એટલે વૈભવકાંતે ત્રણે વચનો કહી બતાવ્યાં.
કૃષ્ણકાંતકાકાએ કહ્યું, “હવે એ કહે, કે તે શું કર્યું?” તો કહે, “હવેલીથી પેઢી સુધી તાડપત્રી બંધાવી દીધી. રોજ બપોરે મિષ્ટાન્ન ખાતો અને જેને ઉધાર આપ્યું તેની પાસે ઉઘરાણી કરવા ગયો જ નહીં.”
કૃષ્ણકાંતકાકાએ કહ્યું, “ભઈલા, તારા બાપે કહ્યું છાંયડે છાંયડે પેઢીએ જજે આવજે, એટલે સવારના સાત વાગ્યા પહેલા પેઢીએ જવાનું અને સાંજે સાત પછી પેઢીએથી ઘેર પાછા આવવાનું. હવેલીથી પેઢી સુધી તાડપત્રી બંધાવાની એવું નહીં. તારા બાપાએ કહ્યું કે બપોરના ગળ્યું કરીને ખાજે, એટલે પેઢી પર જેટલા વેપારીઓ, બહાર ગામના આડતિયા, વહીવટદારો, જે કોઈ આવ્યું હોય તેને જમાડીને જમવું. આપણી પેઢી પર કોઈ ભૂખ્યું ન રહે, એને કહેવાય ગળ્યું કરીને ખાવાનું. અને તું કહે છે કે ત્રીજા વચનથી બરબાદ થઈ ગયો, તે તારી સમજણફેરને લીધે. તારા બાપાએ કહ્યું, જેને ઉધાર આપ્યું તેને ત્યાં માંગવા જતો નહીં. અર્થ એવો, કે જેને ઉધાર જોઈતું હોય એનું સોનું-જમીન-મિલકતો લખાવી લઈ, આપણે કબજે લઈ લેવાની. એટલે ઉધાર લેનારો આપણે ત્યાં ધક્કા ખાય, આપણે ધક્કા નહીં ખાવાના.”
કૃષ્ણકાંતકાકાએ કહ્યું, “ધંધાના આ ત્રણ સોનેરી નિયમો છે. સવારથી સાંજ પેઢી પર બેસવાનું, બપોરે પેઢી પર જમવાનું પણ બધાંને જમાડીને, અને કોઈને પણ સોનું-મિલકત તારણમાં લીધા વગર ઉધાર આપવાનું નહીં. હવે આ નિયમો ધ્યાનમાં રાખી ધંધો કરજે.
વૈભાવકાંત કહે, “કાકા, હવે રૂપિયા-પૈસા તો રહ્યા નહીં, તો કેવી રીતે ધંધો કરું?”
તો કૃષ્ણકાંતકાકાએ હસતાં-હસતાં કહ્યું, “તારા બાપે મરતાં પહેલાં મને પાંચ લાખ સોનામહોરો મોકલી આપીને હતું, કે વૈભવ આવે તો એને આપજે.”
વૈભવકાંત કહે, “કાકા, બાપાએ મને સીધી રીતે જ આ વાત સમજાવી હોત તો આટલું નુકસાન ન થાત ને?”
કૃષ્ણકાંતકાકાએ પીઠ થાબડતાં કહ્યું, “વૈભવ, આ છ મહિના ગરીબીમાં જીવ્યો એ અનુભવ તને ન મળત ને?”
તો આપ પણ કોઈ ધંધો-વેપાર કરવા માંગતા હો, તો આ ત્રણ સુવર્ણ નિયમો છે નહીં પાળો, તો પસ્તાશો. આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે ધંધાની ગાદી ૩ વર્ષ તપાવો એટલે કે દિવસના ૧૦ કલાક એ ગાદી પર બેસો ત્યારે ધંધાની શરૂઆત થઈ કહેવાય અને ૧૨ વર્ષ ગાદી તપાવો ત્યારે ધંધો જામ્યો કહેવાય. હવે આપને શું કરવું છે તે આપે નક્કી કરવાનું છે.