થયેલું શું કે નવનિર્માણમાં પહેલાં તો ચીમનભાઈની સરકાર ગબડી પડી. ઇન્દિરાજી ચીમનભાઈને મુખ્યમંત્રી તરીકે કાઢવા માંગતાં હતાં એટલે ગુજરાતમાં નવ-નિર્માણ થયેલું. ચીમનભાઈનાં રાજીનામાં પછી ગુજરાતમાં નવ-નિર્માણ આંદોલન ધીમું પડવા માંડેલું. ઇન્દિરાજી બીજા કોઈને મુખ્યમંત્રી તરીકે બેસાડવા માંગતાં હતાં પરંતુ ચીમનભાઈ પણ રાજકારણના મોટા ખેલાડી હતા. મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ તેઓ વિધાનસભાનું વિસર્જન કરાવવા માંગતા હતા અને ચીમનભાઈએ વડોદરા સ્ટુડન્ટ એક્શન કમિટી મારફતે આ કામ કરાવ્યું. ચીમનભાઈએ મને કહ્યું, “જીતુ, વિધાનસભા વિસર્જન ના થાય ત્યાં સુધી આંદોલન બંધ ના થવા દેશો.” આઇડિયા એવો હતો કે ચીમનભાઈને પાડી દો અને વિધાનસભા ચાલુ રાખો એટલે ઇન્દિરાજી નવા મુખ્યમંત્રી બેસાડી દે. પણ વડોદરાએ તોફાન બંધ ના કર્યાં અને એનું ટોટલ ફાઇનાન્સ ચીમનભાઈએ કર્યું. એટલે ચીમનભાઈની સરકાર ગબડી ગઈ પછી પણ આંદોલન દોઢેક મહિનો ચાલ્યું. વડોદરાએ આંદોલન ના છોડ્યું એટલે બીજે બધે પકડાયું અને છેલ્લે વિધાનસભાનું વિસર્જન કરવુ જ પડ્યું અને તરત ચૂંટણીઓ આવી.
હવે બે મહિના પહેલાં હું ચીમનભાઈ માટે એલ-ફેલ બોલતો હતો અને નવ-નિર્માણ પછી વાઘોડિયાના ધારાસભ્ય ધીરુભાઈ જયસ્વાલ મારા મેન્ટર બનેલા. ચીમનભાઈનાં રાજીનામાં પછીનું આખું ફાઇનાન્સ એમણે કર્યું, ચીમનભાઈ વતી. એટલે એ મને ‘જીતુ' જ કહે. મારે ને એમને બહુ બનવા માંડ્યું. એક દિવસ ધીરુભાઈ મને કહે, “જીતુ, પ્રેમાનંદ સાહિત્ય સભામાં ચીમનભાઈનું પહેલું ભાષણ છે અને ત્યાં પક્ષની સ્થાપના કરવાની છે. તું માત્ર ત્યાં હાજર રહેજે.”
હું તો શરમાતો-શરમાતો ત્યાં ગયો, કારણ કે ગાળો દઈ-દઈને તો ચીમનભાઈનું રાજીનામું લીધું હતું. પણ ધીરુભાઈને ‘ના’ ના કહેવાય, એટલે હું શરમાતો-શરમાતો ગયેલો. બધાં ઓળખે તો ખરા, પણ ત્યાં બધાં ચીમનભાઈના જ ટેકેદારો.
થોડીવાર થઈ, અને ધીરુભાઈ ઊભા થયા અને માઇક ઉપર કહ્યું, “જીતુભાઈ, સ્ટેજ પર આવી જાવ.”
તો મારા હોંશ ઊડી ગયા. સાલું, ચીમનભાઈને આટલી ગાળો દઈને કાઢ્યાના બે માહિનામાં મારે એમની સાથે સ્ટેજ પર બેસવાનું.
પણ ધીરુભાઈ સાથે સંબંધ એવા થઈ ગયેલા એટલે સ્ટેજ પર ગયો. ચીમનભાઈ પટેલ, મણીભાઈ વાસણવાળા, હું અને ધીરુભાઈ. અને પછી મણીભાઈએ ધીમે રહી મને કાનમાં કહ્યું કે તારે ભાષણ કરવાનું છે.
મેં કહ્યું, “ચીમનભાઈને ગાળો દેવાનાં મારાં ભાષણોથી તો છાપેછાપાં ભરાયાં છે અને હવે મારે ચીમનભાઈની તરફેણમાં બોલવાનું.”
પહેલાં બધા મોટા વક્તાઓ બોલે રાખ્યા, પછી મારા પછી સીધો ચીમનભાઈનો જ વારો આવવાનો હતો. એટલે છેક લગી હું પેન્ડિંગ રહ્યો. હું ઊભો થયો અને મેં જે ભાષણ કર્યું, એમાં અવતરણની ખરી મજા રહી. મેં કહ્યું કે, “પહેલાં ગંગા તો સ્વર્ગમાં વહેતી હતી, અને દેવોને પાણી પીવાનું હોય નહીં એટલે એમના માટે ગંગા તો આનંદ-પ્રમોદનું સાધન હતી. ગંગાની કોઈ ઉપયોગિતા નહોતી. ખેતર નહીં, પીવાના પાણીની જરૂર નહીં. એટલે મંદ મંદ પવન આવે અને દેવોની નૌકાઓ ફર્યા કરે. આથી જ્યારે ભગીરથ તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાને સ્વર્ગમાંથી નીચે લાવ્યા. ત્યારે ભારત નંદનવન થઈ ગયું, કરોડો લોકો માટે અનાજ પેદા થવા માંડ્યું, કરોડો લોકોની તરસ છિપાઈ. સ્વર્ગમાથી ગંગા પૃથ્વી પર આવી અને સામાન્ય લોકો માટે સમૃદ્ધિ લાવી. કોઈ એવું કહેતું નથી કે ગંગાનું પતન થયું. આપણે બધા એવું કહીએ છીએ કે ગંગાનું અવતરણ થયું. આજે આપની વચ્ચે બેઠેલા ચીમનભાઈ પણ મુખ્યમંત્રી તરીકે જ્યારે ગાંધીનગરમાં બેઠા હતા ત્યારે તેઓ ૧૦-૧૨ ઉદ્યોગપતિઓને અને થોડા ઘણા રાજકારણીઓ માટે કામ કરતા હતા. નવ-નિર્માણ આંદોલન થયું ચીમનભાઈની સરકાર ગઈ અને છેલ્લા કેટલાક સમયથી છાપાં મંડ્યાં છે કે ચીમનભાઈની સરકાર ગઈ અને ચીમનભાઈની સરકારનું પતન થયું, પતન થયું, પણ હું કહું છું કે ચીમનભાઈનું પતન નહીં, અવતરણ થયું છે.” જેમ સ્વર્ગમાં ગંગાજી દેવોના આનંદ-પ્રમોદ સિવાય કશા કામના ના હતા તેમ ચીમનભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે થોડા ઘણા લોકોને કામ આવતા હતા પણ જે રીતે સ્વર્ગમાથી ઊતરેલી ગંગાએ ભારતને નંદનવન બનાવી દીધું તેમ મુખ્યમંત્રીની ખુરશી પરથી ઊતરેલા ચીમનભાઈ આજે જનતાની વચ્ચે આવીને બેઠા છે ત્યારે ગુજરાતની જનતાને અને ગુજરાતને વધુ સમૃદ્ધ કરશે એટલે હું કહું છું કે ચીમનભાઈનું પતન નથી થયું પરંતુ ચીમનભાઈનું ગુજરાતની જનતા વચ્ચે અવતરણ થયું છે અને તેનો ફાયદો ગુજરાતનાં રાજકારણ અને ગુજરાતની જનતાને અવશ્ય થશે.
આખા હૉલમાં પાંચ મિનિટ તાળીઓ પડ્યા કરી.
મેં કહ્યું, “ચીમનભાઈ મુખ્યમંત્રી થઈ ઉદ્યોગપતિઓની સેવા કરતા હતા. હવે અમે તમને નીચે લાવ્યા છીએ, લોકોના બલિદાનો આપીને તમને નીચે લાવ્યા છીએ. હવે તમારે આ બધાની સેવા કરવાની છે.”
ચીમનલાલ તો આ સાંભળીને આનંદથી એટલા લાલ-લાલ થઈ ગયા હતા. “આ ચીમનભાઈને ભષ્ટાચારી, ભ્રષ્ટાચારી કહીને આપણે ગબડાવ્યા. વડોદરાના ચીમનભાઈ પટેલ. એમને આપણે ભષ્ટાચારી-ભષ્ટાચારી કરીને સત્તા પરથી ખસેડ્યા. પણ હવે હું વિચાર કરું છું તો મને એક વાર્તા યાદ આવે છે. જંગલમાંથી ૩૭ જણનો એક સંઘ જતો હતો. ખૂબ વાવાઝોડું આવ્યું અને મૂશળધાર વરસાદ પડવા માંડ્યો. વીજળીના કડાકા-ભડાકા થવા માંડ્યા, એટલે બધા એક ઝાડ નીચે ઊભા થઈ ગયા. આગળ જવાય એવું નહોતું.
પછી આ સંઘમાથી એક જણાએ કહ્યું, “મને એવું લાગે છે કે આ વીજળી જંગલમાં ક્યાંક પડશે. એવું બને કે આપણામાંથી કોઈ પાપી હોય, ને અહીં પડે તો આપણે બધા મરી જઈએ. એટલે સામે પેલું મંદિર દેખાય છે ત્યાં, એક પછી એક બધાએ જવાનું. એટલે જે પાપી હશે એની ઉપર વીજળી પડશે.”
એક ગયા, બે ગયા, પચ્ચીસ ગયા, ત્રીસ ગયા, પાંત્રીસ ગયા, છત્રીસ ગયા, એક જણ ઝાડ નીચે ઊભેલો ને મંદિરમાં બેઠેલા બધા કહે, “પેલો પાપી ચીમનલાલ ઊભો છે હમણાં એની ઉપર વીજળી પડશે.”
પણ વીજળી મંદિર પર પડી અને પેલા છત્રીસ મરી ગયા. બધા ચીમનભાઈને “પાપી-પાપી” કહેતા હતા. ચીમનભાઈ આ તોફાનમાં તપીને બહાર આવ્યા છે. આજે ગુજરાતની જનતા વચ્ચે કોણ છે? રતુભાઈ ક્યાં છે? ઘીયા ક્યાં છે? ફલાણો ક્યાં છે?” ગુજરાતનાં પ્રધાન મંડળના ૩૬ પ્રધાનો ક્યાં ખોવાઈ ગયા છે કોઈ જાણતું નથી. પણ એકમાત્ર ચીમનભાઈ માત્ર ૨ મહિનામાં નવો પક્ષ લઈ જનતા વચ્ચે આવવાની હિંમત બતાવી રહ્યા છે.
મારું ભાષણ પત્યું એ પછી ચીમનભાઈમાં બે મિનિટ બોલવાના પણ હોશ નહીં. ચીમનભાઈ ખૂબ ગળગળા થઈ ગયા પછી ધીરે રહી એમણે ભાષણ શરૂ કર્યું એમના ભાષણમાં ગંગા આવી ગઈ, પાપી આવી ગયા ને મે મારા ભાષણમાં જે કાંઈ કહેલું તે બધું જ આવ્યું… એમણે આખું ભાષણ જ બદલી કાઢ્યું. ફંક્શન પત્યું એટલે મેં કહ્યું, “ભાગો ભાઈ અને મને તો ખબર હતી કે આ કાલે છાપામાં મારુ ભાષણ આવી જ જવાનું છે. હું તો વટલાઈ જ ગયો.”
તે પછીના ૪ મહિના હું ચીમનભાઈનો સાથીદાર થઈ ગયો. હું ત્યાંથી છટકવા જતો હતો, એટલામાં ચીમનભાઈએ મણીભાઈને કીધું કે પેલા જીતુને બોલાવો, જવા ના દેશો.”
હું તો છેક દરવાજા સુધી પહોંચી ગયેલો, પણ બધાં કહે “બોલાવે, બોલાવે.”
ચીમનભાઈ મને કહે, “બધાને જવા દે, આપણે વાત કરવાની છે.”
બધા ગયા પછી મને કહે, “ગાડીમાં બેસી જા.”
મેં કહ્યું, “કેમ?”
તો કહે, “મારે ઘેર, અમદાવાદ.”
મેં કહ્યું, “હું તો કપડાંય નથી લાવ્યો.”
“તારાં કપડાં આપણે અમદાવાદ ખાદી-ભંડારમાંથી લઈ લઈશું, ચાલ.”
પછી મને ચાર મહીને ઘેર મૂકવા આવ્યા. દરેક ફંક્શનમાં ચીમનભાઈનો આગ્રહ, કે “મારા પહેલાં જીતુભાઈ જ બોલશે, પછી જ હું બોલીશ.” એટલે એમનું અવતરણ થઈ ગયું છે, એ પાપી નથી, એવું સર્ટિફિકેટ મળી જાય. એટલે ચીમનભાઈને બાકીનો કોઈ જવાબ જ ના આપવો પડે. એમણે કશું કહેવાનું જ ના રહે. એ વિશે કોઈ બોલે જ નહીં. ચીમનલાલ કહે, “મેં શું કર્યું ને નર્મદા યોજના અટકાવાઈ? અને ઇન્દિરાએ શું કર્યું? અને કેવી રીતે અનાજ રોક્યું? અને આમ કર્યું, અને તેમ કર્યું.
ચાર મહીને ચીમનભાઈ મને ઘેર મૂકવા આવ્યા. આ કારણે ચીમનભાઈએ જીવ્યા ત્યાં સુધી મારા પ્રત્યે ખૂબ અહોભાવ રાખેલો.
થયેલું શું કે નવનિર્માણમાં પહેલાં તો ચીમનભાઈની સરકાર ગબડી પડી. ઇન્દિરાજી ચીમનભાઈને મુખ્યમંત્રી તરીકે કાઢવા માંગતાં હતાં એટલે ગુજરાતમાં નવ-નિર્માણ થયેલું. ચીમનભાઈનાં રાજીનામાં પછી ગુજરાતમાં નવ-નિર્માણ આંદોલન ધીમું પડવા માંડેલું. ઇન્દિરાજી બીજા કોઈને મુખ્યમંત્રી તરીકે બેસાડવા માંગતાં હતાં પરંતુ ચીમનભાઈ પણ રાજકારણના મોટા ખેલાડી હતા. મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ તેઓ વિધાનસભાનું વિસર્જન કરાવવા માંગતા હતા અને ચીમનભાઈએ વડોદરા સ્ટુડન્ટ એક્શન કમિટી મારફતે આ કામ કરાવ્યું. ચીમનભાઈએ મને કહ્યું, “જીતુ, વિધાનસભા વિસર્જન ના થાય ત્યાં સુધી આંદોલન બંધ ના થવા દેશો.” આઇડિયા એવો હતો કે ચીમનભાઈને પાડી દો અને વિધાનસભા ચાલુ રાખો એટલે ઇન્દિરાજી નવા મુખ્યમંત્રી બેસાડી દે. પણ વડોદરાએ તોફાન બંધ ના કર્યાં અને એનું ટોટલ ફાઇનાન્સ ચીમનભાઈએ કર્યું. એટલે ચીમનભાઈની સરકાર ગબડી ગઈ પછી પણ આંદોલન દોઢેક મહિનો ચાલ્યું. વડોદરાએ આંદોલન ના છોડ્યું એટલે બીજે બધે પકડાયું અને છેલ્લે વિધાનસભાનું વિસર્જન કરવુ જ પડ્યું અને તરત ચૂંટણીઓ આવી.
હવે બે મહિના પહેલાં હું ચીમનભાઈ માટે એલ-ફેલ બોલતો હતો અને નવ-નિર્માણ પછી વાઘોડિયાના ધારાસભ્ય ધીરુભાઈ જયસ્વાલ મારા મેન્ટર બનેલા. ચીમનભાઈનાં રાજીનામાં પછીનું આખું ફાઇનાન્સ એમણે કર્યું, ચીમનભાઈ વતી. એટલે એ મને ‘જીતુ' જ કહે. મારે ને એમને બહુ બનવા માંડ્યું. એક દિવસ ધીરુભાઈ મને કહે, “જીતુ, પ્રેમાનંદ સાહિત્ય સભામાં ચીમનભાઈનું પહેલું ભાષણ છે અને ત્યાં પક્ષની સ્થાપના કરવાની છે. તું માત્ર ત્યાં હાજર રહેજે.”
હું તો શરમાતો-શરમાતો ત્યાં ગયો, કારણ કે ગાળો દઈ-દઈને તો ચીમનભાઈનું રાજીનામું લીધું હતું. પણ ધીરુભાઈને ‘ના’ ના કહેવાય, એટલે હું શરમાતો-શરમાતો ગયેલો. બધાં ઓળખે તો ખરા, પણ ત્યાં બધાં ચીમનભાઈના જ ટેકેદારો.
થોડીવાર થઈ, અને ધીરુભાઈ ઊભા થયા અને માઇક ઉપર કહ્યું, “જીતુભાઈ, સ્ટેજ પર આવી જાવ.”
તો મારા હોંશ ઊડી ગયા. સાલું, ચીમનભાઈને આટલી ગાળો દઈને કાઢ્યાના બે માહિનામાં મારે એમની સાથે સ્ટેજ પર બેસવાનું.
પણ ધીરુભાઈ સાથે સંબંધ એવા થઈ ગયેલા એટલે સ્ટેજ પર ગયો. ચીમનભાઈ પટેલ, મણીભાઈ વાસણવાળા, હું અને ધીરુભાઈ. અને પછી મણીભાઈએ ધીમે રહી મને કાનમાં કહ્યું કે તારે ભાષણ કરવાનું છે.
મેં કહ્યું, “ચીમનભાઈને ગાળો દેવાનાં મારાં ભાષણોથી તો છાપેછાપાં ભરાયાં છે અને હવે મારે ચીમનભાઈની તરફેણમાં બોલવાનું.”
પહેલાં બધા મોટા વક્તાઓ બોલે રાખ્યા, પછી મારા પછી સીધો ચીમનભાઈનો જ વારો આવવાનો હતો. એટલે છેક લગી હું પેન્ડિંગ રહ્યો. હું ઊભો થયો અને મેં જે ભાષણ કર્યું, એમાં અવતરણની ખરી મજા રહી. મેં કહ્યું કે, “પહેલાં ગંગા તો સ્વર્ગમાં વહેતી હતી, અને દેવોને પાણી પીવાનું હોય નહીં એટલે એમના માટે ગંગા તો આનંદ-પ્રમોદનું સાધન હતી. ગંગાની કોઈ ઉપયોગિતા નહોતી. ખેતર નહીં, પીવાના પાણીની જરૂર નહીં. એટલે મંદ મંદ પવન આવે અને દેવોની નૌકાઓ ફર્યા કરે. આથી જ્યારે ભગીરથ તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાને સ્વર્ગમાંથી નીચે લાવ્યા. ત્યારે ભારત નંદનવન થઈ ગયું, કરોડો લોકો માટે અનાજ પેદા થવા માંડ્યું, કરોડો લોકોની તરસ છિપાઈ. સ્વર્ગમાથી ગંગા પૃથ્વી પર આવી અને સામાન્ય લોકો માટે સમૃદ્ધિ લાવી. કોઈ એવું કહેતું નથી કે ગંગાનું પતન થયું. આપણે બધા એવું કહીએ છીએ કે ગંગાનું અવતરણ થયું. આજે આપની વચ્ચે બેઠેલા ચીમનભાઈ પણ મુખ્યમંત્રી તરીકે જ્યારે ગાંધીનગરમાં બેઠા હતા ત્યારે તેઓ ૧૦-૧૨ ઉદ્યોગપતિઓને અને થોડા ઘણા રાજકારણીઓ માટે કામ કરતા હતા. નવ-નિર્માણ આંદોલન થયું ચીમનભાઈની સરકાર ગઈ અને છેલ્લા કેટલાક સમયથી છાપાં મંડ્યાં છે કે ચીમનભાઈની સરકાર ગઈ અને ચીમનભાઈની સરકારનું પતન થયું, પતન થયું, પણ હું કહું છું કે ચીમનભાઈનું પતન નહીં, અવતરણ થયું છે.” જેમ સ્વર્ગમાં ગંગાજી દેવોના આનંદ-પ્રમોદ સિવાય કશા કામના ના હતા તેમ ચીમનભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે થોડા ઘણા લોકોને કામ આવતા હતા પણ જે રીતે સ્વર્ગમાથી ઊતરેલી ગંગાએ ભારતને નંદનવન બનાવી દીધું તેમ મુખ્યમંત્રીની ખુરશી પરથી ઊતરેલા ચીમનભાઈ આજે જનતાની વચ્ચે આવીને બેઠા છે ત્યારે ગુજરાતની જનતાને અને ગુજરાતને વધુ સમૃદ્ધ કરશે એટલે હું કહું છું કે ચીમનભાઈનું પતન નથી થયું પરંતુ ચીમનભાઈનું ગુજરાતની જનતા વચ્ચે અવતરણ થયું છે અને તેનો ફાયદો ગુજરાતનાં રાજકારણ અને ગુજરાતની જનતાને અવશ્ય થશે.
આખા હૉલમાં પાંચ મિનિટ તાળીઓ પડ્યા કરી.
મેં કહ્યું, “ચીમનભાઈ મુખ્યમંત્રી થઈ ઉદ્યોગપતિઓની સેવા કરતા હતા. હવે અમે તમને નીચે લાવ્યા છીએ, લોકોના બલિદાનો આપીને તમને નીચે લાવ્યા છીએ. હવે તમારે આ બધાની સેવા કરવાની છે.”
ચીમનલાલ તો આ સાંભળીને આનંદથી એટલા લાલ-લાલ થઈ ગયા હતા. “આ ચીમનભાઈને ભષ્ટાચારી, ભ્રષ્ટાચારી કહીને આપણે ગબડાવ્યા. વડોદરાના ચીમનભાઈ પટેલ. એમને આપણે ભષ્ટાચારી-ભષ્ટાચારી કરીને સત્તા પરથી ખસેડ્યા. પણ હવે હું વિચાર કરું છું તો મને એક વાર્તા યાદ આવે છે. જંગલમાંથી ૩૭ જણનો એક સંઘ જતો હતો. ખૂબ વાવાઝોડું આવ્યું અને મૂશળધાર વરસાદ પડવા માંડ્યો. વીજળીના કડાકા-ભડાકા થવા માંડ્યા, એટલે બધા એક ઝાડ નીચે ઊભા થઈ ગયા. આગળ જવાય એવું નહોતું.
પછી આ સંઘમાથી એક જણાએ કહ્યું, “મને એવું લાગે છે કે આ વીજળી જંગલમાં ક્યાંક પડશે. એવું બને કે આપણામાંથી કોઈ પાપી હોય, ને અહીં પડે તો આપણે બધા મરી જઈએ. એટલે સામે પેલું મંદિર દેખાય છે ત્યાં, એક પછી એક બધાએ જવાનું. એટલે જે પાપી હશે એની ઉપર વીજળી પડશે.”
એક ગયા, બે ગયા, પચ્ચીસ ગયા, ત્રીસ ગયા, પાંત્રીસ ગયા, છત્રીસ ગયા, એક જણ ઝાડ નીચે ઊભેલો ને મંદિરમાં બેઠેલા બધા કહે, “પેલો પાપી ચીમનલાલ ઊભો છે હમણાં એની ઉપર વીજળી પડશે.”
પણ વીજળી મંદિર પર પડી અને પેલા છત્રીસ મરી ગયા. બધા ચીમનભાઈને “પાપી-પાપી” કહેતા હતા. ચીમનભાઈ આ તોફાનમાં તપીને બહાર આવ્યા છે. આજે ગુજરાતની જનતા વચ્ચે કોણ છે? રતુભાઈ ક્યાં છે? ઘીયા ક્યાં છે? ફલાણો ક્યાં છે?” ગુજરાતનાં પ્રધાન મંડળના ૩૬ પ્રધાનો ક્યાં ખોવાઈ ગયા છે કોઈ જાણતું નથી. પણ એકમાત્ર ચીમનભાઈ માત્ર ૨ મહિનામાં નવો પક્ષ લઈ જનતા વચ્ચે આવવાની હિંમત બતાવી રહ્યા છે.
મારું ભાષણ પત્યું એ પછી ચીમનભાઈમાં બે મિનિટ બોલવાના પણ હોશ નહીં. ચીમનભાઈ ખૂબ ગળગળા થઈ ગયા પછી ધીરે રહી એમણે ભાષણ શરૂ કર્યું એમના ભાષણમાં ગંગા આવી ગઈ, પાપી આવી ગયા ને મે મારા ભાષણમાં જે કાંઈ કહેલું તે બધું જ આવ્યું… એમણે આખું ભાષણ જ બદલી કાઢ્યું. ફંક્શન પત્યું એટલે મેં કહ્યું, “ભાગો ભાઈ અને મને તો ખબર હતી કે આ કાલે છાપામાં મારુ ભાષણ આવી જ જવાનું છે. હું તો વટલાઈ જ ગયો.”
તે પછીના ૪ મહિના હું ચીમનભાઈનો સાથીદાર થઈ ગયો. હું ત્યાંથી છટકવા જતો હતો, એટલામાં ચીમનભાઈએ મણીભાઈને કીધું કે પેલા જીતુને બોલાવો, જવા ના દેશો.”
હું તો છેક દરવાજા સુધી પહોંચી ગયેલો, પણ બધાં કહે “બોલાવે, બોલાવે.”
ચીમનભાઈ મને કહે, “બધાને જવા દે, આપણે વાત કરવાની છે.”
બધા ગયા પછી મને કહે, “ગાડીમાં બેસી જા.”
મેં કહ્યું, “કેમ?”
તો કહે, “મારે ઘેર, અમદાવાદ.”
મેં કહ્યું, “હું તો કપડાંય નથી લાવ્યો.”
“તારાં કપડાં આપણે અમદાવાદ ખાદી-ભંડારમાંથી લઈ લઈશું, ચાલ.”
પછી મને ચાર મહીને ઘેર મૂકવા આવ્યા. દરેક ફંક્શનમાં ચીમનભાઈનો આગ્રહ, કે “મારા પહેલાં જીતુભાઈ જ બોલશે, પછી જ હું બોલીશ.” એટલે એમનું અવતરણ થઈ ગયું છે, એ પાપી નથી, એવું સર્ટિફિકેટ મળી જાય. એટલે ચીમનભાઈને બાકીનો કોઈ જવાબ જ ના આપવો પડે. એમણે કશું કહેવાનું જ ના રહે. એ વિશે કોઈ બોલે જ નહીં. ચીમનલાલ કહે, “મેં શું કર્યું ને નર્મદા યોજના અટકાવાઈ? અને ઇન્દિરાએ શું કર્યું? અને કેવી રીતે અનાજ રોક્યું? અને આમ કર્યું, અને તેમ કર્યું.
ચાર મહીને ચીમનભાઈ મને ઘેર મૂકવા આવ્યા. આ કારણે ચીમનભાઈએ જીવ્યા ત્યાં સુધી મારા પ્રત્યે ખૂબ અહોભાવ રાખેલો.